SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ | - | ૪૧૧ થી ૪૧૪ ૧૯૭ (૪૧૪) જે પૂર્વોક્ત ગુણોથી યુક્ત છે, દુઃખોને સહે છે, જિતેન્દ્રિય છે, શ્રુતથી યુક્ત છે, મમત્વરહિત અને અકિંચન છે, તેઓ કર્મરૂપી મેઘ દૂર થઈ જતાં, વાદળા રહિત ચંદ્ર જેવા શોભે છે - તેમ હું કહું છું. ♦ વિવેચન ૪૧૧ થી ૪૧૪ - - જે પ્રધાનગુણ સ્વીકારવારૂપ શ્રદ્ધાથી અવિરતિરૂપ કાદવથી નીકળેલ છે, પ્રવજ્યારૂપ પ્રધાન સ્થાનોને પામેલ છે. તે જ શ્રદ્ધાથી પતિત થયા વિના પ્રયત્નપૂર્વક વધતી જતી શ્રદ્ધાથી મૂળ ગુણાદિરૂપ અને તીર્થંકરાદિ બહુમત તે ગુણોને પાળે, તે આચાર્ય સંમત હોય, પણ સ્વ આગ્રહથી કલંકિત નહીં. હવે આયાર પ્રણિધિનું ફળ કહે છેઃ- અનશનાદિ તપ, પૃથ્વી આદિ વિષયક સંયમ વ્યાપાર, વાચનાદિ વ્યાપાર ને સર્વકાળ તપ વગેરે કરે, અહીં તપના ગ્રહણ છથાં સ્વાધ્યાય યોગની પ્રાધાન્યતા જણાવવા અગલ મૂકેલ છે. શેષ કથન સૂત્રાર્થવત્ જાણી લેવું. હવે સૂત્રોક્ત વાતને સ્પષ્ટ કરે છે - સ્વાધ્યાય જ સધ્યાન તે સ્વાધ્યાયસધ્યાન. તેમાં આસક્ત, સ્વ - પર - ઉભયને રક્ષણ કરવાના સ્વભાવવાળા, લબ્ધિ આદિ અપેક્ષા રહિતાથી શુદ્ધ ચિત્ત, અનશનાદિમાં યથાશક્તિ રત સાધુ જન્માંતરમાં સંચિત કર્મમલને વિશુદ્ધ કરે છે. અનંતરોક્ત ગુણવાન સાધુ પરીષહ વિજેતા, શ્રોત્રેન્દ્રિયને પરાજિત કરેલ, વિધાવાન, મમત્વ રહિત, દ્રવ્યભાવ કિંચન રહિત તે જ્ઞાનાવરણીયાદિ કર્મ મેઘ દૂર થતાં નિર્મળ ચંદ્રવત્ શોભે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ . Jain Education International 1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy