SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ સ્નાન ન કરે. તે સાધુ કેવા છે ? આજન્મ દુરનુચર સ્નાન વ્રતને આશ્રીને, તેના કર્તા હોવાથી. સ્નાન - પૂર્વોક્ત અથવા ચંદન કહ્કાદિ, ગંધદ્રવ્ય, કુંકુમકેસર, ચ શબ્દથી અન્ય આવા પ્રકારના ગામના ઉદ્ધર્તન નિમિત્તે કદાયિત્ પણ ન સેવે. જાવજ્જીવ એ પ્રમાણે ભાવસાધુ કહે, • સૂત્ર - ૨૮૯ થી ૨૧ - (૨૮૯) નગ્ન, મુંડિત, દીર્ઘ વાળ અને નખોવાળા તથા મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષા કરવાનું શું પ્રયોજન ? (૨૯૦) વિભૂષા નિમિત્ત સાધુ - સાધ્વી ચીકણા કર્મ બાંધે છે, જેના કારણે તે દુસ્તર સંસાર સાગરમાં પડે છે. (૨૯૧) તીર્થંકર દેવો વિભૂષામાં સંલગ્ન ચિત્તને કર્મ બંધનનો હેતુ માને છે. આવું ચિત્ત સાવધ બહુલ છે. આ છકાયના ત્રાતા સાધુ - સાધ્વી દ્વારા આસેવિત નથી. • વિવેચન ૨૮૯ થી ૨૯૧ અસ્નાન વિધિ કહી, તે કહેવાથી સત્તરમું સ્થાન કહ્યું. હવે અઢારમું શોભા વર્જન સ્થાન કહે છેઃ- “શોભામાં દોષ નથી’’ ઇત્યાદિ વચનથી, બીજાની આશંકા માટે કહે છે - ન - તુચ્છ વસ્ત્રવાળાને ઉપચારથી નગ્ન કહે છે. નિરુપચારિત નગ્ન કે જિન કલ્પિકને એટલે સામાન્યથી દ્રવ્યભાવથી મુંડને, બગલ આદિમાં લાંબા વાળવાળા, હાથ આદિના દીર્ઘ નખવાળા - ૪ - ૪ - ૪ - - મૈથુનથી ઉપશાંત થયેલ એવાને વિભૂષાથી શું કામ છે ? કંઈ નહીં. આ પ્રયોજનનો અભાવ જણાવીને તેના અપાયો કહે છે - - - વિભૂષા નિમિત્તે સાધુ દારુણ કર્મ બાંધે છે. તે રૌદ્ર કર્મના કારણે સંસાર સાગરમાં પડે છે, કેવા ? અકુશલાનુબંધથી અત્યંત દીર્ઘ એવા. એ પ્રમાણે બાહ્ય વિભૂષાના અપાયો જણાવી સંકલ્પવિભૂષાના અપાયને કહે છે - મને આવી વિભૂષા પ્રાપ્ત થાય તેવું ચિત્તમાં થવું તીર્થંકરો તેને રૌદ્રકર્મબંધના હેતુભૂત અને ઘણું પાપકારી કહેલ છે. કુશલચિત્તપણાથી આત્મામાં આનંદ માનનારો સાધુ આર્તધ્યાન કરાવનારું આ કૃત્ય કરતાં નથી. Jain Education International ♦ સૂત્ર - ૨૯૨, ૨૯૩ વ્યાોહરહિત તત્ત્વદર્શી તથા તપ, સંયમ, આર્જવગુણમાં ત રહેનારા, તે પોતાના શરીરને ક્ષીણ કરી દે છે. પૂર્વકૃત્ પાપોનો ક્ષય કરે છે, અને નવા પાપ કરતા નથી. સદા ઉપશાંત, મમત્વ રહિત, અકિંચન, અધ્યાત્મવિધાના અનુગામી, જગતના જીવોના માતા અને યશસ્વી છે, શરદઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન સર્વથા વિમલ સાધુ સિદ્ધિને અથવા વૈમાનિકપણું પ્રાપ્ત કરે છે - તેમ હું કહું છું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy