SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૧૩ થી ૧૧૫ પ૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સમને વજીને જીણવા. અતિપાતને વજીને જે પીડા તે અદ્વાવણ જાણવું. કાય, વચન, મન એ ત્રણ અથવા દેહ, આયુ, ઈન્દ્રિય એ ત્રણ પણ જાણવા. સ્વામીત્વ, અપાદાન અને કરણમાં અતિપાત હોય છે. જે ગૃહસ્થદાતા એક કે અનેક સાધુને હૃદયમાં સ્થાપી કાયા વડે પાણીવધ કરે તે આધાકર્મ છે. • વિવેચન-૧૧૩ થી ૧૧૫ :ગાથાર્થ કહ્યો. મહારાજ - પંચમી, વજન - તૃતીયા વિભક્તિ. આધાકર્મ કહ્યું, હવે અધ:કર્મ કહે છે. તે નામાદિ ચાર ભેદે છે. નોઆગમના પહેલા બે ભેદ સુધી આધાકર્મવતુ જાણવું. તદ્ગતિરિક્ત દ્રવ્ય આધાકર્મને નિર્યુક્તિકાર સ્વયં જણાવે છે. • મૂલ-૧૧૬,૧૧૩ : જળ આદિમાં નાંખેલ દ્રવ્ય ભાર વડે નીચે જાય છે કે નીસરણી આદિથી નીચે ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ છે. ભાવ અધાકર્મ તે • સંયમ સ્થાનો, કંડકો, લેમ્યા અને શુભકર્મની સ્થિતિ વિશેષના ભાવને નીચે કરે છે. • વિવેચન-૧૧૬,૧૧૩ : પત્યરાદિ દ્રવ્ય, જળ આદિમાં નાંખતા ભારેપણાને લીધે નીચે જાય છે, નીસરણી કે દોરડાદિથી કૂવાદિમાં ઉતરવું કે માળ આદિથી નીચે જવું તે દ્રવ્ય અધ:કર્મ છે. હવે ભાવ અધઃકર્મનો અવસર છે તે બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમણી પૂર્વવતુ નોઆગમથી ભાવ અધ:કર્મ આ રીતે - જે કારણે આધાકર્મ ભોજી સાધુ આગળ કહેવાશે તે સંયમનાં સ્થાનો, કંડક - અસંખ્યાતા સંયમનાં સ્થાન સમુદાયરૂપ. તથા લેશ્યા, સાતા વેદનીય આદિ શુભ પ્રકૃતિ સંબંધી સ્થિતિ વિશેષ. આ બધાં સંબંધે વિશુદ્ધ અને અતિ વિશુદ્ધ સ્થાનોમાં વર્તતા પોતાના આત્માના અધ્યવસાયને નીચે કરે છે. એટલે હીન અને અતિહીંના સ્થાનોને વિશે કરે છે. તે કારણે આધાકર્મ ભાવ અધ:કર્મ કહેવાય છે. ભાષ્યકાર આ વાત ત્રણ ગાયા વડે કરે છે - • મૂલ-૧૧૮ થી ૧૨૦ :- [ભાય-૨૮ થી ૩૦] તેમાં ચાચિના જે અનંત પાયો છે તે સંચમસ્થાન હોય છે અને તે અસંખ્યાત સ્થાનોનો એક કંડક થાય છે. વળી અસંખ્યાતા જે કંડકો તે વસ્થાનક કહેલ છે, આવા અસંખ્યાતા જે સ્થાનકો તે સંયમશ્રેણી રણવી. તથા જે કૃષ્ણાદિ વેશ્યાઓ અને સર્વોત્કૃષ્ટ વિરુદ્ધ પ્રકૃતિના વિશુદ્ધ સ્થિતિ વિશેષો એ સર્વેને સાધુ આધાકર્મ-ગ્રહણથી પોતાના આત્માને આ વિશુદ્ધ સંયમ સ્થાનાદિકથી નીચે-નીચે કરે છે. • વિવેચન-૧૧૮ થી ૧૨૦ : દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનથી સર્વ વિરતિનું જઘન્ય એવું વિશુદ્ધિસ્થાન પણ અનંતગણું છે. અનંતગુણપણું ‘છઠાણ વડિયા' ભાવ વિચારતી વખતે સર્વ સ્થળે સર્વજીવના અનંત પ્રમાણ ગુણાકારે જાણવું. - x - ૪ - હવે આ સૂત્રનો અર્થ લખાય છે. તે સંયમના સ્થાનાદિ કહેવા લાયકમાં પહેલું સંયમ સ્થાન કહેવામાં આવે છે - અનંત સંખ્યાવાળા ચાસ્ત્રિના પર્યાયો એટલે કે ચારિત્ર સંબંધી સર્વ જઘન્ય વિસદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાણ ભાગો છે, તે બધાં મળીને એક સંયમ સ્થાન થાય. તેના પછીનું બીજું સંયમ સ્થાન, તે પહેલાં સ્થાનથી અનંતતમ ભાગ વડે અધિક છે. એ રીતે પૂર્વ-પૂર્વના સ્થાનથી ઉત્તર-ઉત્તરના સ્થાનો અનંતતમ ભાગથી અધિક એવા નિરંતર કહેવા. આ સર્વે સંયમ સ્થાનોનો એક કંડક થાય. કંડક એટલે અંગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાત ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ પ્રમાણ સંખ્યા. કંડક પછીનું બીજું તુરંતનું સંયમ સ્થાન તે પૂર્વના સંયમસ્થાન થકી અસંખ્યાત ભાગ અધિક છે. પછીના બીજા પણ કંડક પ્રમાણ સંયમ સ્થાનો ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધિવાળા છે. ત્યારપછીનું એક સંયમસ્થાન અસંખ્યાત ભાગ અધિક હોય છે. પછી ફરીથી તેની પછીના કંડક પ્રમાણ સંયમ સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા છે. યાવતુ પછી-પછી વૃદ્ધિ કરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તે સ્થાનો પણ કંડક પ્રમાણવાળા થાય. ચાવત છેલ્લે એક સંયમસ્થાન સંખ્યય ભાગ અધિક હોય છે. પછી પહેલેથી આરંભી જેટલાં સંયમ સ્થાનો પૂર્વે વ્યતીત થયા છે. તે ફરીથી તે જ અનુક્રમ વડે કહીને ફરીથી પણ એક સંયમ સ્થાન સંખ્યય ભાગ અધિક કહેવું ઈત્યાદિ - x - x - વૃત્તિમાં ઘણું લાંબુ કથન છે. • x x - પણ છેલ્લે અસંખ્યાતા કંડકો મળીને એક સ્થાનક થાય છે. આ પસ્થાનકોમાં છ પ્રકારે વૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે - ૧- અનંત ભાગ વૃદ્ધિ, ૨- અસંખ્યય ભાગ વૃદ્ધિ, 3- સંખ્યય ભાગ વૃદ્ધિ, ૪- સંખ્યયગુણ વૃદ્ધિ, ૫- અસંખ્યયગુણ વૃદ્ધિ, ૬- અનંતગુણ વૃદ્ધિ. અહીં વૃત્તિકારશ્રી જેવા પ્રકારનો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ ગ્રહણ કરાય છે તથા જેવા પ્રકારનો સંગાતો, અસંગાતો કે અનંતો ગુણાકાર ગ્રહણ કરાય છે, તે કહે છે. [અમે આ રાશિ ગણિતનો અનુવાદ કરેલ નથી, પણ ‘કમ્મપયડમાં આ સ્થાનકમાં રહેલ્લા ભાગાકાર, ગુણાકાર વિસ્તારથી સમજાવેલા છે, તેમાં પ્રણમાં ગુણાકાર અને પક્ષમાં ભાગાકાર છે.] પહેલાં ષસ્થાનક પછી ઉક્ત ક્રમે બીજું સ્થાનક પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બીજું પણ્ સ્થાનક પ્રાપ્ત થાય છે, એ રીતે ત્યાં સુધી ષસ્થાનકો કહેવા કે જ્યાં સુધી તે અસંખ્યય લોકાકાશ પ્રદેશ જેટલાં પ્રમાણવાળા થાય. આવા અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલા પ્રમાણવાળા જે ષટુ સ્થાનકો થાય તે સર્વે મળીને એક સંયમ શ્રેણિ કહેવાય છે. કૃષ્ણાદિક લેશ્યાએ તથા સર્વોત્કૃષ્ટ સાતવેદનીયાદિ વિશુદ્ધ પ્રકૃતિ સંબંધી વિશેષ સ્થિતિ વિશેષો જાણવા. તેથી કરીને આ સંયમ સ્થાનાદિ શુભ સ્થાનોમાં વીતો
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy