SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૩૫૬ થી ૩૮ • મૂલ-૩૫૬ થી ૩૮૭ : (૬) સ્થાનસ્થિત - પ્રવેશના દિને પ્રાતઃકાલીન પ્રતિકમણાદિ કરી, સ્થાપના કુળ, પ્રાંત કુલાદિનો વિભાણ કરે એટલે અમુક ઘરોમાં ગૌચરી જવું, અમુકમાં ન જવું. પછી સારા શુકન જોઈને ગામમાં પ્રવેશ કરે. પ્રવેશતા પહેલાં કથાલબ્ધિસંપન્ન સાધને મોકલે. તે સાધ ગામમાં જઈ શય્યાતર પાસે કથા કરે. પછી આચાર્યશ્રી પધારે ત્યારે ઉભા થઈ વિનય સાચવે અને શય્યાતરને કહે કે - આ અમારા આચાર્યશ્રી છે. આચાર્યને કહે કે આ મહાનુભવે આપણને વસતિ આપે છે. આચાર્ય પછી શય્યાતર સાથે વાતચીત કરો, જેથી તેને એમ ન થાય કે આ લોકો ઉચિત જાણતા નથી. વસતિમાં આચાર્ય માટે ત્રણ જગ્યા રાખી સ્થવિર સાધુ બીજા માટે રત્નાધિકના ક્રમે યોગ્ય જગ્યા વહેંચી આપે. ત્ર પ્રત્યુપ્રેક્ષકો આવેલા સાધુને અંડિત ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ આદિ બતાવે. સાધુમાં કોઈ તપસ્વી હોય, કોઈને વાપરવાનું હોય તો સ્થાપનાકુળ આદિ બતાવે છે. - જિનાલયે જતાં આચાર્ય સાથે એક-બે સાધુ પાકા લઈને જાય કેમકે ત્યાં કોઈ ગૃહસ્થને ગૌચરી આપવાની ભાવના થાય તો લઈ શકાય. પાકા લઈને આવીશું કહે અને શ્રાવક વસ્તુ રાખી મૂકે તો સ્થાપના દોષ લાગે. બધાં સાધુએ સાથે ન જવું કેમકે તો ગૃહસ્થને એ થશે કે કોને આપું અને કોને ન આપું. સાધુને જોઈને ભય પામે અથવા આ બધાં ખાઉઘરા છે તેમ વિચારે. તેથી આચાર્ય સાથે બે-ત્રણ સાધુ જ પાત્ર લઈને જાય. જે તે ક્ષેત્રમાં પહેલાં માસકતા ન કરેલ હોય કે પહેલાં આવ્યા હોય, તો જાણકાર સાધુ દર્શન કે ગૌચરી અર્થે જાય, ત્યારે દાન આપનાર આદિના કુળો બતાવે કાં તો પ્રતિક્રમણ કર્યા પછી દાનાદિ કુલો કહે. આચાર્ય પણ પ્રતિક્રમણ કર્યા બાદ ક્ષેત્ર પ્રત્યપેક્ષકોને બોલાવી સ્થાપનાદિ કુળો પૂછે. હોમ પ્રત્યુપ્રેક્ષકો તે જમાવે તેમને પૂછ્યા વિના સાધુ સ્થાપનાદિ કુળોમાં જાય, તો સંયમ કે આત્મ વિરાધનાદિ દોષ લાગે. ૦ સ્થાપનાદિ કુળોનું પ્રયોજન - સ્થાપનાદિ કુળો સ્થાપવાનું કારણ એ છે કે, આચાર્ય ગ્લાન પ્રાપર્ણકાદિને યોગ્ય ભિક્ષા મળી રહે. જે બધાં જ સાધુ ત્યાં ભિક્ષા લેવા જાય તો ગૃહસ્થોને કદર્ચના થાય અને આચાર્ય આદિના પ્રાયોગ્ય દ્રવ્યનો ક્ષય થવાથી જોઈએ ત્યારે વસ્તુ ન મળે. કેમકે તેણે ઘણાં સાધુને ધૃતાદિ આપ્યા. હોવાથી ધૃતાદિ ખલાસ થઈ જાય. પ્રાંત-વિરોધી ગૃહસ્થો હોય તો સ્ત્રીને માર મારે કે મારી પણ નાંખે અથવા ઠપકો આપે કે- તેં સાધુઓને ધૃતાદિ આપ્યું એટલે ખલાસ થઈ ગયું. ભદ્રક હોય તો નવું લાવે કે કરાવે. સ્થાપના કુળો રાખવાથી ગ્લાન, આચાર્ય, બાળ, વૃદ્ધાદિની યથાયોગ્ય ભક્તિ કરી શકાય છે, તેથી સ્થાપના કુળો રાખવા જોઈએ. ત્યાં અમુક ગીતાર્થ સિવાય બધાં ૨૧૪ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સાધુઓએ ન જવું. કહ્યું છે કે – આચાર્યની ભક્તિથી ગચ્છની અનુકંપા થાય, ગચ્છાનુકંપાથી તીર્થ પરંપરા ચાલે છે. આ કુળોમાં વિના કારણે પણ થોડાં થોડાં દિવસે જવાનું ચાલુ રાખું કેમકે તેમને ખ્યાલ રહે કે અહીં સાધુ આદિ રહેલાં છે. • મૂલ-૩૮૮ થી ૪૨૮ : - આચાર્યની વૈયાવર માટે આ દશ પ્રકારના સાધુ અયોગ્ય છે – (૧) આળસુ-પ્રમાદથી સમયે ગૌચરી ન જાય, (૨) ઘસિર - બહુ ખાનારો હોય તો પોતાનો જ આહાર પહેલાં પૂરો કરે ત્યાં ભિક્ષાનો સમય થઈ જાય. (3) ઉંઘણશી • ઉંધ્યા કરે, ત્યાં ગૌચરીનો સમય પૂરો થઈ જાય. (૪) તપસ્વી-તેને ગૌચરીમાં વધુ સમય લાગે, તેથી આચાર્યને પરિતાપનાદિ થાય, જો તપસ્વી પહેલાં આચાર્યની ગૌચરી લાવે તો તેને પરિતાપનાદિ થાય. (૫) ક્રોધી-ગૌચરીમાં ક્રોધ કરે. (૬) માની - સકાર ન મળે તો ગૌચરી ન જાય, (9) માયી - સારું સારું એકાંતમાં વાપરી, રૂક્ષ આહાર વસતિમાં લાવે. (૮) લોભી - મળે તેટલું બધું લઈ લે, (૯) કુતુહલી - માર્ગમાં નટ આદિને રમતાં જોવો ઉભો રહી જાય. (૧૦) પ્રતિબદ્ધ - સૂગાર્યની તલ્લીનતાવાળો હોય. ઉપર બતાવ્યા સિવાયના ગીતાર્થ, પ્રિયધર્મી સાધુ હોય તે આચાર્યની ભક્તિ માટે યોગ્ય છે, તેમને ગૌચરી મોકલવા. કેમકે તેઓ વિવેકથી ભિક્ષા ગ્રહણ કરશે. પરિણામે તાદિ દ્રવ્યોની નિરંતર પ્રાપ્તિ કરીને ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. સ્થાપના કુળોમાં એક સંઘાટક જાય, બીજા કુળોમાં બાળ, વૃદ્ધ, તપસ્વી આદિ જાય. તરણ બીજે ગામ ગૌચરી જાય. તેમના બહારગામ જવાથી ગામના ગૃહસ્યોને ખ્યાલ આવે કે આ સાધુ બહારગામ ગૌચરીએ જાય છે, નવા સાધુ આવે ત્યારે જ આપણે ત્યાં આવે છે, તેથી બાળ, વૃદ્ધાદિને ઘણું આપે. આ પ્રમાણે ગૌચરી જતાં આચાર્યાદિને ન પૂછતાં આવા પ્રકારના દોષો થાય છે – (૧) સ્તામાં ચોર આદિ ઉપધિને કે તેને ઉપાડી જાય તો તેમને શોધવા મુશ્કેલ પડે. (૨) પ્રાદુર્ણક આવ્યા હોય તેમને યોગ્ય કંઈ લાવવાનું હોય તો ખબર ન પડે. (૪) રસ્તામાં કૂતરા આદિનો ભય હોય તો કરડે. (૫) સ્ત્રી કે નપુંસકના દોષો હોય તેની ખબર ન પડે, કદાચ ભિક્ષાએ ગયા ત્યાં મૂછ આવી તો શોધવા ક્યાં ? તેથી જતી વેળા આચાર્યને કહે કે – હું અમુક ગામમાં ગૌચરી જઉ છું. * * * * * કદાચ નીકળતી વખતે કહેવાનું ભૂલી જાય, પછી યાદ આવે તો પાછો આવીને કહી જાય, તેટલો સમય ન હોય તો માર્ગમાં ચંડિલ કે આહારદિ માટે નીકળેલા સાધુને કહે કે – હું અમુક ગામે ગૌચરી જાઉં છું, તમે આચાર્યને કહી દેજો. જ્યાં જાય તે ગામ કોઈ કારણે દૂર હોય, નાનું હોય કે ખાલી થઈ ગયું હોય, તો કોઈ સાથે કહેવડાવે અને બીજા ગામે ગૌચરી જાય. ચોર આદિ સાધુને ઉપાડી જાય, તો સાધુ રસ્તામાં અક્ષરો લખતો જાય અથવા વસ્ત્ર ફાડીને ટુકડા રસ્તામાં નાંખતો જાય, જેથી તપાસ કરનારને ખબર પડે કે સાધુને કઈ દિશામાં લઈ ગયા છે. ગૌચરી આદિ ગયેલા સાધુને ઘણી વાર લાગે તો
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy