SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૮૬૭,૮૬૮ ૧૪૫ હું એકલો કઈ રીતે ખાઉં ? તેણે બે ભાગ કરી તે બંનેને આપ્યા. તે બંનેએ લાડુ ખાવાનો આરંભ કર્યો. ત્યારે વિષ ફેલાવા લાગ્યું. રાજાએ ગભરાઈને વૈધોને બોલાવ્યા. સુવર્ણ પીવડાવ્યું. સાજા થયા. " ત્યારપછી દાસીને બોલાવીને પૂછતા તે બોલી - બીજા કોઈએ જોયા નથી, મણ આ બંનેની માતાએ સ્પર્યા હતા. તેની માતા-રાણીને બોલાવીને કહ્યું - હે પાપીણી ! જો તને રાજ્ય અપાતું ઈષ્ટ ન હતું. હવે હું આના વડે તને પરલોકના ભાથારૂપ સંસારમાં પાડીશ. બંને ભાઈને રાજય આપીને દીક્ષા લીધી. કોઈ દિવસે સંઘાટક સાધુ ઉજૈની આવ્યા. તેણે પૂછ્યું - ત્યાં બધું નિરૂપસર્ગ છે. તે બંને બોલ્યા – માત્ર રાજપુત્ર અને પુરોહિત બ સાધુ અને સ્થાનોમાં પીડે છે. તે ત્યાં રોષથી ગયો. સાધુને વિશ્રમિત કર્યા. તેમણે સાંભોગિક સાધુને ભિક્ષાવેળાએ કહ્યું- કંઈ લાવું? હું આત્મલબ્ધિક છું. માત્ર મને સ્થાપના કુળો કહો. તેઓએ બાળ સાધુને સાથે આપ્યો. તેણે પુરોહિતનું ઘર દેખાડ્યું અને પાછો ગયો. આ સાધુપણ ત્યાં જ પ્રવેશ્યો. મોટા-મોટા શબ્દોથી “ધર્મલાભ" બોલે છે. તપુરની સ્ત્રી હાહાકાર કરતી નીકળી. તે મોટામોટા શબ્દોથી કહે છે - શું આ શ્રાવિકા છે? તે બંનેએ નીકળીને બહારનું દ્વાર બંધ કરી દીધુ. પછી સાધુને કહેવા લાગ્યા - ભગવન! તમે નાચો. તે બંને વગાડવાનું જાણતા ન હતા. ત્યારપછી સાધુને કહ્યું - ચાલો યુદ્ધ કરીએ. તે બંને [રાજપુત્ર અને પુરોહિત પુગ] સાથે આવ્યા. સાધુએ મર્મમાં માર્યું. યંત્રની માફક અસ્થિર સંધિક કર્યા. ત્યાંથી નીકળી બારણાને લાત મારી ઉઘાડીને ગયા. ઉધાનમાં રહ્યા. રાજાને વાત કરી. રાજાએ તેમની શોધ ચલાવી સાધુઓ બોલ્યા – કોઈ મહેમાન સાધુ આવેલ, અમે જાણતા નથી. શોધ કરતાં ઉધાનમાં જોયા. રાજાએ જઈને ક્ષમા યાચના કરી. પુત્રોને મુક્ત કરવા કહ્યું. સાધુએ કહ્યું – દીક્ષા લે તો મુક્ત કરીએ. ત્યારે પૂછતા તેઓ કબૂલ થયા. બંને સાથે મળીને ચાલ્યા. સ્વસ્થાને સાંધા બેસાડી દીધા. લોચ કરીને દીક્ષા આપી દીધી. રાજપુત્ર સમ્યક્ દીક્ષા પાળે છે. કેમકે આ મારા કાકા છે, તેમ જાણે છે. પુરોહિત પણ ગુપ્સા કરે છે. અમને આણે કપટથી દીક્ષા લીધી. તે બંને કાળધર્મ પામીને દેવલોકે ગયા. સંકેત કર્યો કે જે પહેલાં વે, તેને બીજો બોધ કરવો. પુરોહિતપુત્ર વીને, પૂર્વભવે કરેલ ગુણાથી સજગૃહમાં ચાંડાલણના ઉદરમાં આવ્યો. તેણીને એક શ્રેષ્ઠીણી સખી હતી. તે મૈત્રી કઈ રીતે થઈ ? ચાંડાલણી માંસ વેચતી હતી. શ્રેષ્ઠીની બોલી - બીજે ક્યાંય ન જતી હું બધુ ખરીદી લઈશ. ચાંડાલણી રોજેરોજ આવતી હતી, એ પ્રમાણે તે બંનેની પ્રીતિ વધે છે. તેના જ ઘેર આવતી અને રહેતી. તે શ્રેષ્ઠીની નિંદુ હતી. બાળક ન રહેતા ત્યારે ચાંડાલણીએ ખાનગીમાં જ, શ્રેષ્ઠીનીને પત્ર આપ્યો. શ્રેષ્ઠીનીને મરેલી પુત્રી અવતરી, તે ચાંડાલણીએ રાખી લીધી. ત્યારપછી તે શ્રેષ્ઠીની બાળકને તે માતંગીના પગે લગાડતી. તારા પ્રભાવથી આ બાળક જીવે છે, તેથી તેનું મેતાર્ય (માતંગીનો આત્મજ) એમ નામ રાખ્યું છે મોટો. [32/10] ૧૪૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ થવા લાગ્યો. કળા શીખ્યો. દેવ આવીને તેને બોધ કર્યો, પણ તે બોધ પામતો નથી. ત્યારપછી મેતાર્યએ આઠ કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણીગ્રહણ કર્યું. શિબિકામાં નગરીમાં જતો હતો. તે વખતે મિગદેવ ચાંડાલણીના શરીરમાં પ્રવેશ્યો અને રોવા લાગ્યો. જો મારી પણ પમી જીવતી હોત તો તેણીના પણ વિવાહ આજે કર્યા હોત. ચાંડાલોને ભોજન પણ કરાવત. ત્યારે ચાંડાલણને આશ્વાસિત કરી. ત્યારે રોપાયમાન થયેલા દેવે તે શિબિકાથી પાડી દીધો. તું કેમ અસમાનને પરણે છે, એમ કહી ખાડામાં પાડી દીધો. ત્યારે દેવ બોલ્યો - કઈ રીતે અસમાન છે ? તે બોલ્યો - અવર્ણ છે. મેતાર્યએ કહ્યું - હાલ મને થોડો કાળ મુક્ત કર, બાર વર્ષ હું ઘેર રહું. દેવે પૂછ્યું - હું શું કરું ? મેતાર્ય બોલ્યો - રાજાની કન્યા અપાવ. ત્યારે દેવે બધી અક્રિયાને પરાવર્તીત કરી દીધી. પછી મેતાને એક બોકડો આપ્યો. તે રનની લીંડી કરતો હતો. તેના વડે રત્નોનો થાળ ભર્યો. મેતાર્યએ પિતાને કહ્યું - રાજાની કન્યાને વરીશ. રનનો થાળ ભરીને ગયો. રાજાએ પૂછ્યું - શું જોઈએ છે? મેં તો બોલ્યો - કન્યા. રાજાએ તેનો તિરસ્કાર કરીને કાઢી મુકયો. એ પ્રમાણે રોજેરોજ થાળ ભરીને લઈ જતો, પણ રાજા કન્યા આપતો ન હતો. અભયકુમારે પૂછ્યું - આ રનો ક્યાંથી લાવે છે ? ચાંડાલે કહ્યું - બોકળો હંગે છે, અભય બોલ્યો - બોકડો અમને આપ. ચાંડાલે લાવી આપ્યો. બોકડો મડદાની વાસ આવે તેવી લીંડી કરવા લાગ્યો. ત્યારે અભય કુમારે કહ્યું - આ દેવાનુભાવ જણાય છે કે શું ? પરીક્ષા કરવી જોઈએ. કઈ રીતે કરવી ? અભય બોલ્યો - રાજા કાઢે કરીને વૈભાર પતિ ભગવંતને વંદનાર્થે જાય છે, તું થમા કરાવી આપ. તેણે રય માર્ગ કર્યો. તે હજી પણ દેખાય છે. ફરી કહ્યું – સુવર્ણનો પ્રાકાર કરાવ. તે પણ કર્યો. ફરી કહ્યું - જો સમુદ્રને લાવી આપ તો ન્હાઈને શુદ્ધ થઈ શકીશ, તેથી તે આપ. તે પણ કર્યો. ફરી કહ્યું - જો સમુદ્રને લાવી આપ તો હાઈને શુદ્ધ થઈ શકીશ, તેથી તે આપ. તે પણ લાવી આપ્યો અને સમુદ્રની વેળામાં નાન કર્યું. ત્યારે રાજકન્યા સાથે વિવાહ થયો - x ". એ પ્રમાણે ભોગો ભોગવતા બાર વર્ષો ગયા. દેવ ફરી બોધ કરવા આવ્યો. સ્ત્રીઓએ મેતાર્યની પત્નીઓએ બાર વર્ષ માંગ્યા, તે પણ આપ્યા. ચોવીશ વર્ષે બધાં પણ દીક્ષિત થયા. મેતાર્ય મુનિ નવપૂર્વી ગયા. એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. તે જ સજગૃહમાં જાય છે. સોનીના ઘેર આવ્યા. તે શ્રેણિકને માટે સોનાના જ્વલી ૧૦૮ કરતો હતો. ચૈત્યની અર્ચના માટે રોજ શ્રેણિક કરાવતો હતો. તે ત્રિસંધ્યા પૂજા કરતો. તે સોનીને ઘેર સાધુ ગયા ભિક્ષા ન લાવ્યો. જવલા ક્રૌંચ પક્ષી ખાઈ ગયું. સોની આવીને જુએ છે, જવલા દેખાયા નહીં. રાજા મૈત્ય અર્ચનાના સમયે દેવાના હતા. •x - સાધુ તરફ શંકા જતાં પૂછે છે. સાધુ મૌન રહ્યા. ત્યારે મસ્તકને આવેટન વડે બાંધ્યું. સાધુને કહે છે - બોલ જ્વલા કોણે લીધા. તે પ્રકારે બાંધવાથી મેતાર્યમુનિની આંખો બહાર નીકળીને જમીન ઉપર પડી ગઈ. ત્યારે ઢીંચ પક્ષીને લાકડું ફાડતા ગળામાં સળી લાગી ગઈ. પક્ષીએ વમન કરતાં જવલા બહાર નીકળ્યા. લોકો કહેવા લાગ્યા - ઓ! પાપ થયું. આ તાસ જવલા રહ્યા. મેતાર્યમુનિ પણ કાળ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy