SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬ ઘી લાવો. તે પ્રમાણે દેવાને પ્રવૃત્ત થયા. તે પણ મટે છે. તો પણ ઘણું જ ઘી આપે છે. પછી નિર્વિણ થાય છે. ત્યારે કહે છે - હવે સ્મરણ કરશો નહીં. સાધુ સંતપ્રાંત આહાર કરવા લાગ્યા. ત્યારે તે ફરી પણ પુરાણ શરીરવાળા થઈ ગયા. પછી તેમના સ્વજનોને ખાતરી કરાવી, ધર્મ કહ્યો. તેઓ શ્રાવકો થયા. તે ગચ્છમાં આ ચાર વ્યક્તિ મુખ્ય હતા – દુર્બલિકાપુષ્પમિત્ર, વિંધમુનિ, ફશુરક્ષિત અને ગોઠા માહિલ. તેમાં જે વિંધમુનિ હતા તે ઘણાં મેધાવી હતા. સૂત્રાર્થ અને તદુભય ધારણામાં સમર્થ હતા. તે વારંવાર સૂણામંડલીમાં વિષાદ પામતા ચાવતું પરિપાટીએ આલાવા આવતા તેટલામાં ખેદિત થઈ જતાં. તેમણે આચાર્યને કહ્યું - હું સૂત્ર મંડલીમાં વિષાદ પામું છું કેમકે ઘણાં કાળે આલાવાની પરિપાટી આવે છે. તો મને વાચનાચાર્ય આપો. ત્યારે આચાર્યએ દુર્બલિકાપુષ્પમિત્રને તેના વાયનાચાર્યરૂપે આપ્યા. ત્યારપછી તે કેટલાંક દિવસો વાચના આપીને આચાર્ય પાસે આવ્યા અને કહ્યું - મને વાંચના દેતા [બીજું જ્ઞાન નાશ પામે છે -x - x • જો હું સ્મરણ નહીં કરું તો નવમું પૂર્વ નાશ પામશે. ત્યારે આચાર્ય વિચારે છે - જો આવા પરમ મેધાવીને આ પ્રમાણે મરણ કરતાં નાશ પામે, તો બાકીનાને તો ચિરન જ છે. તેમણે અતિશયનો ઉપયોગ મૂક્યો – મતિ, મેધા, ધારણા વડે શેષ પુરુષોને પરિહીન થતાં અને કાલાનુભાવને પણ ઘટતો જાયો. તેથી આર્યરક્ષિત સૂરિએ અનુગ્રહને માટે અનુયોગને શ્રુતવિભાગથી પૃથક્ કર્યા. જેથી સુખેથી ગ્રહણ થઈ શકે. નયોના પણ વિભાગ કર્યા. - X - X - X - ઈત્યાદિથી કાલિક શ્રતમાં નય વિભાગ ન રહ્યો. • ભાગ-૧૨૪ - કાલિક શ્રત, ઋષિભાષિત [એ બે અનુયોગ], ત્રીજો આનુયોગ સૂર્ય પ્રજ્ઞપ્તિ, દૃષ્ટિવાદ એ ચોથો અનુયોગ જાણો. • વિવેચન-૧૨૪ : કાલિક શ્રુત તે ૧૧-અંગરૂપ છે, ઋષિભાષિત - તે ઉત્તરાધ્યયનાદિ, ત્રીજો કાલાનુયોગ ગિણિતાનુયોગ તે સૂર્યપ્રજ્ઞપ્તિ, ઉપલક્ષણથી ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ. કાલિકકૃત તે ચરણકરણાનુયોગ છે. ઋષિભાષિત તે ધર્મકથાનુયોગ છે એમ જાણવું. આખો દષ્ટિવાદ તે ચોથો અનુયોગ છે અર્થાત્ તેને દ્રવ્યાનુયોગ જાણવો. તેમાં ગઠષિ ભાષિતને ધર્મકથાનુયોગ એમ કહ્યો. તેથી મહાકલ્પકૃતાદિ પણ ઋષિભાષિતત્વથી દષ્ટિવાદથી ઉદ્ધરેલ છતાં તેના પ્રતિપાદિતત્વથી ધર્મકથાનુયોગત્વનો પ્રસંગ આવે. તેથી તેનો અપોદ્ધાર કરવાને માટે કહે છે – • નિર્યુક્તિ -- જે મહાકાબુત અને જે પણ બાકીના છેદસૂત્રો છે, તે ચરકરણાનુયોગ છે એમ કરીને કાલિક અર્થમાં સમાવાયા છે. • વિવેચન-૭૩૦ - (ગાથાર્થ કહો.] અહીં જે રીતે આર્યરક્ષિતને દેવેન્દ્રો વાંધા, તે પ્રમાણે કહે ૮૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ છે. તેઓ વિચરતા મથુરા ગયા. ત્યાં ભૂત ગુફામાં વ્યંતરગૃહે રહ્યા. આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછે છે - નિગોદ જીવનું સ્વરૂપ શું ? જ્યારે ભગવંતે નિગોદના જીવોનું સ્વરૂપ કહ્યું, ત્યારે ઈન્દ્ર પૂછ્યું કે- શું ભરતદ્દોગમાં એવું કોઈ છે, જે નિગોદનું આવું સ્વરૂપ જણાવી શકે ? ભગવંતે કહ્યું - હા, આર્યરક્ષિત છે. ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને ઈન્દ્ર આવ્યો. ત્યાં સ્થવિર [વૃદ્ધ રૂપ કરીને સાધુ નીકળતા હતા ત્યારે આવ્યો. વંદન કરીને પૂછ્યું - ભગવનું ! મારા શરીરમાં આ મહા વ્યાધિ થયો છે. મારે ભકત પચ્ચકખાણ કરવું છે. તો મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે ? આયશ્રેણિ યવિકોમાં કહો. ત્યારે ઉપયોગવંત આચાર્ય જેટલામાં જુએ છે કે - આનું આયુ તો ૧૦૦ વર્ષથી અધિક છે, બે કે ત્રણ. ત્યારે વિચારે છે – ભરતક્ષેત્રમાં આવો મનુષ્ય ન હોય. આ કોઈ વિધાધર કે યંતર હોવો જોઈએ. ચાવતુ આનું આયુ તો બે સાગરોપમનું છે. ત્યારે બે હાથ પડે ભ્રમર ખેંચીને કહ્યું - તમે શક છો. તે વખતે શકે બધી વાત કરી. જેમકે – મેં મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછ્યું અને એ રીતે અહીં આવ્યો. તો હું નિગોદના જીવોનું સ્વરૂપ સાંભળવા ઈચ્છું છે. ત્યારે આર્યરક્ષિતે તેને કહ્યું. ત્યારે સંતુષ્ટ થઈ શક પૂછે છે – હું જઉં ? આચાર્યએ કહ્યું - મુહૂર્ત માત્ર રહો. તેટલામાં સાધુઓ આવે છે. હાલ દુકથા પ્રવર્તે છે, જે ચલિત થયા છે, તેઓ સ્થિર થઈ જશે કે હજી પણ દેવેન્દ્રો આવે છે. ત્યારે શકએ કહ્યું કે - જો તે મને જોશે તો તેઓ અલ સરવી હોવાથી નિયાણું કરશે, માટે હું જઉં. તેથી ચિહ્ન કરીને જઉં. પછી શકએ ઉપાશ્રયનું દ્વાર બીજી તરફ કરી દીધું. ત્યારપછી સંયતો આવ્યા. જુએ છે કે – આ દ્વાર આમ કેમ થઈ ગયું ? આચાર્યએ ઉત્તર આપ્યો કે - x- શક આવેલ હતો. તેઓ કહેવા લાગ્યા - અહો ! અમે ન જોયો. કેમ મુહd ધીરજ ન રાખી ? ત્યારે કહે છે કે - અા સવવાળા મનુષ્યો નિદાન કરશે, તેમ જાણીને આ પ્રતીહાર્ય કરીને ગયો. એ પ્રમાણે આર્ય રક્ષિત દેવેન્દ્ર વડે વંદિત કહેવાયા. તેઓ ક્યારેક વિહાર કરતાં દશપુર ગયા. મથુરામાં અક્રિયાવાડી ઉત્પન્ન થયેલ. માતા નથી, પિતા નથી, એ પ્રમાણે નાસ્તિક વાદ કરે છે. • x • ત્યારે સંઘે એક સંઘાટક [સાધુ યુગલને આર્યરક્ષિત સૂરિ પાસે મોકલ્યા. તેઓ યુગપ્રધાન આચાર્ય છે. તે બંનેએ આવીને રક્ષિત સૂરિને કહ્યું. તેઓ વૃદ્ધ થઈ ગયેલા. ત્યારે તેના મામા ગોઠા માહિલને મોકલ્યા. તેમને વાદલબ્ધિ હતી. તેણે જઈને તે વાદીનો નિગ્રહ કર્યો. પછી શ્રાવકોએ ગોઠા માહિલને પકડી રાખ્યા, ત્યાં જ તેઓ ચોમાસુ રહ્યા. આ તરફ આર્યરક્ષિત સૂરિ વિચારે છે કે – હવે ગણને ધારણકર્તા કોણ થશે ? ત્યારે તેમણે દુબલિકાપુષ્પમિત્રને નિર્ધારિત કર્યા. વળી જે તેમનો સ્વજનવર્ગ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy