SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 3/•/૬૦૫ સુધીના અભિગ્રહ સહિત ચારે કાળ યથાશક્તિ વાચનાદિરૂપ સ્વાધ્યાય ન કરે તે જ્ઞાનકુશીલ છે. [૬૬] જે કોઈ યાવજ્જીવ સુધીના અભિગ્રહપૂર્વક અપૂર્વ જ્ઞાનનો બોધ કરે, તેની અશક્તિમાં પૂર્વે ગૃહિત જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં ૨૫૦૦ નવારમંત્રનું પરાવર્તન કરે. તે પણ આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કર્મો ખપાવીને તીર્થંકર કે ગણધર થઈને આરાધક્પણું પામી સિદ્ધિ પામે છે. [૬૦૭ થી ૬૧૦] ભગવન્ ! ક્યા કારણે હેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ ? ગૌતમ ! મન, વચન, કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય-ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જયોતિપ્ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપને વિશે સમ્યક્ દૃષ્ટિ આત્માને સ્વાધ્યાય સમાન તપ થયો નથી અને થવાનો નથી. [૬૧૧ થી ૬૧૫] એક, બે, ત્રણ માસ ક્ષમણ કરે, અરે! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ કરે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશાં ગ્રહણ કરનાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય રતો હોય તો એકાગ્ર માનસવાળોને વરસ દિવસ સુધી ઉપવાસો નારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમ કે એકાગ્રતાથી સ્વાધ્યાય નારને અત્યંત નિર્જરા થાય છે. 93 પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સહનશીલતા, ઇંન્દ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્રમનથી નિશ્વલ પણે જે સ્વાધ્યાય કરે છે, જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ ! તત્કાળ આશ્રવદ્વારો બંધ કરે છે. [૬૧૬ થી ૬૧૯] દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડ્યો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર નભાવને પામતું નથી, તેમ સર્વે જીવો. જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મક્થા રે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમેા ધર્મોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા હે તો ક્લેનારને એકાંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય. [૬૦] ગૌતમ ! એ કારણે એમ કહેવાય છે કે જાવજ્જીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય રવો, તેમજ ગૌતમ ! જે ભિક્ષુ, વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy