SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પરંતુ જો ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ સંભવે, જો મૃત્યુ સિવાયના દુઃખરૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે સ્પંડિલ ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને, ફરી પણ તેની આલોચના ક્રીને યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ ક્વે નહીં તો ઉપસ્થાપન, સમાધિપૂર્વક પરઠવે તો પણ સાગારી રહે તો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન કરેલી જગ્યાએ જે કંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન એ પ્રમાણે વસતિ-ઉપાધિને પડિલેહીને સમાધિપૂર્વક સુબ્ધ થયા વિના પરઠવીને એકાગ્ર મનવાળો સાવધાનપૂર્વક વિધિથી સૂત્ર અને અર્થને અનુસરતા ઇરિયાવહિયં ન પ્રતિક્રમે તો એકાસણું, મુહપત્તિ વિના દરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ કરે, મુહપત્તિ રાખ્યા વિના બગાસુ ખાય, સ્વાધ્યાય , વાંચના આપે ઇત્યાદિ સર્વે સ્થાનમાં પરિમ. એ પ્રમાણે દરિયા પ્રતિક્રમી સુકુમાલ સુંવાળી દહીયુક્ત ચીકાશ રહિત, સખત ન હોય તેવી સારી દસીવાળા, ડીડીથી ાણા ન પાડેલ, અખંડ દાંડીવાળા દંડપુંછણથી વસતિની પ્રમાર્જના ન રૈ તો એકાસણું સાવરણીથી વસતિનો ક્યારો સાફ રે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુછણક આપીને એકઠો કરેલો કાજ સુપડીમાં લઈને ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યપ્રેક્ષેણા વિના ક્રરો પરઠવે તો પાંચ ઉપવાસ, પણ જે કે કોઈ જીવ હોય અથવા કોઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલાં કમને અવલોકનો છે તેમાં જૂ આદી હોય તેને શોધી શોધીને છુટી પાડીને એકઠી ક્રી કરીને ગ્રહણ કરી હોય તેવું પ્રાયશ્ચિત્ત સર્વે ભિક્ષ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપવું, તેમ ન કરે તો એકાસણું, જો પોતે જાતે જૂ આદિ ગ્રહણ ક્રી પ્રાયશ્ચિત્ત વિભાગપૂર્વક ન આપે કે પરસ્પર ન સ્વીકારે તો પારંચિત એ પ્રમાણે વસતિ દંડ પૂંછણક્યી વિધિપૂર્વક પ્રમાર્જન કરીને કાજાને બરોબર અવલોન ક્રીને જૂ વગેરેને કાજામાંથી જૂદી ક્રીને ક પરઠવે પરઠવીને સન્ વિધિથી, અત્યંત ઉપયોગ અને એકગ્ર માનસવાળો સ્ત્ર, અર્થ અને તભયને મરતો એવો ભિક્ષુ જે ઇરિયાવહી ન પ્રતિક્રમે તેને આયંબિલ અને ઉપવાસ પ્રાયશ્ચિત્ત. એ પ્રમાણે હે ગૌતમ ! આ હવે જણાવીશું તેનું પ્રતિક્રમણ ક્વે - દિવસના પહેલાં પ્રહરનો દોઢ ધડી ચૂળ એવા સમયે જે ભિક્ષુ ગુરુ પાસે વિધિ સહિત સમય સંદિસાઉ” એમ કહીને એwગ્ર ચિત્તથી ભૂતમાં ઉપયોગવાળો દેટધુતિપૂર્વક એક ઘડી જૂન પહેલી પોરિસિમાં જાવજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન રે તેને પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત. અપૂર્વજ્ઞાન ભણવાનું ન બની શકે તો પહેલાંનું ભણેલું હોય તે સૂત્ર, અર્થ, તદુભયને યાદ કરતો એકૃગ્ર મનથી પરાવર્તન ન કરે અને ભક્ત વર્ગ, સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિકથા કરવામાં સમય પસાર ક્રી આનંદ મનાવે તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy