SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ૬-૧રર૦ થી ૧ર૬ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન ક્રાવીને મહાક્લેશથી જીવાડ્યો. પછી ગોળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડાં પોતાની માતાનું સ્તનપાન ક્રતાં હોય, તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન ક્યું, તેના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવો સુધી સ્તનપાન પ્રાપ્ત ન ર્ક્સ દોરડાથી બંધાતો, રોકતો, સાંળોથી જકડાતો, દમન કરાતો, માતા આદિ સાથે વિયોગ પામતો ઘણાં ભવો ભટક્યો. પછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકે તેને ઘાયલ કરી. છોડીને ચાલી ગયા. ક્યાંથી મૃત્યુ પામી, અહીં મનુષ્યપણું પામી, શરીરદોષથી આ મહાપૃથ્વીમાં પાંચ ઘરવાળા ગામ, નગર, શહેર કે પટ્ટણમામાં ચોક પ્રહર અર્ધ પ્રહર કે કે ઘડીભર પણ સુખ ન પામી. વિરર૬ થી ૧ર૩ર ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારડીના દુઃખ સમાન અનેક રડારોળ ક્રાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રોદ્ધ ધ્યાનમાં મરીને સાતમી નસ્ક પૃથ્વીમાં ખાડાહડ નરાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને 33-સાગરોપમ આયુ પૂર્ણ ક્રી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુક્સાન ક્રતી, વાડો ભાંગી નાખી, ચરતી હતી, ત્યારે ઘણાં લોકો ભેગા થઈને તેને તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા. તે તેમાં ખેંચી ગઈ. બહાર નીકળી ન શકી. તેને જળચર જીવોએ કોલી ખાધી. કાગડા-ગીઘાદિ ચાંચ મારવા લાગ્યા. ક્રોધથી વ્યાપેલો. તે ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વિનાના મારવાડ દેશમાં રણમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી મરી પાંચમી નરકે ગઈ. [૧ર૩૩ થી ૧ર૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આ દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારદ્ધ, તિર્યય અને મનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણીક સજાનો જીવ આવતી ચોવીસીમાં પાનાભ નામે પહેલાં તીર્થક્ટ થશે, તેમના તીર્થમાં કુબ્રિક્ટ પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ ન આપનારી, સર્વ લોકોને ઉદ્વેગ કરાવનારી લાગતાં, મેશ ગેરના લેપનું શરીર વિલેપન કરી ગધેડા ઉપર સવારી #ાવીને ભ્રમણ ાવશે. તેના શરીરે બંને પડખે પક્ષીના પીછાં લગાડશે, ખોખરા અજવાળું ડિડિમ આગળ વગાડશે એમ ગામમાં ફેરવીને બીજા સ્થળે જવા કઢી મૂકશે. ફરી ગામમાં પ્રવેશ પામી શકશે નહીં. ત્યારે અરણ્યમાં વાસ ક્રતી તે કંદફળનો આહાર ક્રતી રહેશે. નાભિના મધ્યભાગે ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, સર્વ શરીરે ગુમડાં, દરાજ, ખરજવું આદિ ચર્મરોગો ઉત્પન્ન થશે, તેને ખણત ધોર દુસહ દુઃખ અનુભવશે. [૧ર૪૦, ૧ર૪૧] તેણી વેદના ભોગવતી હશે. ત્યારે પદ્મનાભ તીર્થક્ર સમવરશે. તેમના તે દર્શન ક્રશે એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy