SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક અધ્યયન-૬ – ગીતાથવિહાર' – ૪ – ૪ – ૪ – ૪ – ૪ -- ૪– ૪ – ૪ - ૮િ૪૫] ભગવન્! જે રાત દિવસ સિદ્ધાંત સૂત્રો ભણે, શ્રવણ કરે, વ્યાખ્યાન કરે, સતd ચિંતન જે તે શું અનાચાર આચરે? ગૌતમ ! સિદ્ધાંતમાં રહેલ એક પણ અક્ષર જાણે છે, તે મરણાંતે પણ અનાચાર ન સેવે. ૮િ૪૬] ભગવન! તો દશપૂર્વી મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યા છોડી ગણિકાના ઘેર પ્રવેશ કેમ ર્યો ? હે ગૌતમ ! સાંભળ. ૮િ૪૭ થી ૮૫) તેને ભોગફળ ખલનાનું કારણ થયું, તે હકીક્ત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો ત્યારે પછી જલ્દી દીક્ષા અંગીકાર ક્રી. કદાચ પાતાળ ઉભુખ થાય. સ્વર્ગ નીગ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો ક્ય. શાસ્ત્રાનુસારે વિચાર ક્રીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેશ અર્પણ કરીને જોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ ક્રતો પોતાના યાત્રિ મોહનીય કર્મોદયથી સર્વવિરતિમહાવતોનો ભંગ તેમજ બદ્ધ, પૃષ્ટ, નિાચીત એવું ર્મનું ફળ ભોગવતો હતો. ભગવન્! શાસ્ત્રમાં નિરૂપિત એવા કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણ પણું છોડીને તે હજું પ્રાણ ધારણ કરે છે? ગોતમ ! કેવલી પ્રરૂપિત આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ રે તે આ પ્રમાણે [૮૫૩ થી ૮૫૫ જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુક્ર, ઘોર એવા પ્રકારનું આઠગણું તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોક્વા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી મૃગુપત રે. કાંટાળા આસને બેસે, વિપનું પાન રે, ઉબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે વિરાધના ક્રવી યોગ્ય નથી. કદાય આ કહેલ ઉપાયો કરવા સમર્થ ન થાય તો અને વેશ સમપ એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે. અણુવ્રતનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધસતા ન પામે. | [૮૫૬ થી ૮૬) ગૌતમ ! નંદિપેણે જ્યારે પર્વર ઉપરથી પડવાનું આરંવ્યું ત્યાં આક્તશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતાં મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તેમણે હ્યું તારું અમલે મૃત્યુ નથી. પછી વિષમ જેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શક્તો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy