SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦ પ્રશ્ન - આવા પ્રકારની પદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે ? ઉત્તર - હા, હે છે. પ્રશ્ન – શું તે ધર્મ સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે શીલવત ચાવત પોષધોપવાસ રે છે ? ઉત્તર – હા તે શીલવતાદિ સ્વીકાર કરે છે. પ્રસ્ત – શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે. તથા અનગાર પ્રવજ્યાનો સ્વીકાર ક્રે છે ? ઉત્તર - તે સંભવ નથી. તે શ્રાવક થાય છે, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું સાધુને પ્રાસુક એષણીયા અનશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી વિચરે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. તાક્ત પ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી છેદન ક્વે છે. છેદન કરીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે. જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડીને દેવલોકે દેવ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે – તે ગૃહવાસ છોડીને તથા સર્વથા મુંડિત થઈને અનગાર પ્રવજ્યા સ્વીકારી ન શકે. આ આઠમા નિયાણાનું સ્વરૂપ હ્યું.] [૧૧૧] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ રેલ છે યથાવત્ સંચમની સાધનામાં પ્રયત્ન કરતો સાધુ દિવ્ય માનષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે માનુર્ષિક કામભોગો અધુવ યાવત્ યાજ્ય છે.” દિવ્ય કામભોગો પણ આધુવ યાવત ભવ પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે. જે સમ્યક પ્રચારથી આચરિત મારા આ તપ નિયમ તથા બહાચર્યનું પાલનનું ચાણકરી વિશિષ્ટ ફળ હોય તેવું ભાવિમાં જે આ અંતફળ, પ્રતિફલ, તુચ્છ કલ, દરિદ્ર ફળ, પણ ફળ કે ભિક્ષ ફળ છે, તેમાંના કેઈ એક કુળમાં પુરૂષ બનું જેનાથી હું પ્રવજિત થવાને માટે સુવિધાપૂર્વક ગૃહવાસ છોડી શકું તો તે શ્રેષ્ઠ થશે. હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈ પણ નિદાન કરીને યાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. ચાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરે છે. ચાવત તે દેવ દે દેવલોક્યી આયુ ક્ષય થવાથી યાવત પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ પૂછે છે કે આપના મુખને કેવા કેવા પદાર્થ સારા લાગે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy