SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧ થી ૧૩ અને શ્રવણ આ નક્ષત્રમાં માર્ગે પ્રસ્થાન અને સ્થાન કરવું પણ આ કાર્ય અવસરે ગ્રહણ કે સંધ્યા હોવા ન જોઈએ. ૨૨૩ આ રીતે સ્થાન-પ્રસ્થાન કરનારને સદા માર્ગમાં ભોજન, પાન, પુષ્કળ ફળફૂલ પ્રાપ્ત થાય અને જતાં પણ ક્ષેમકુશળ પામે. • ગાથા-૧૪ થી ૧૭ : સંધ્યાગત, રવિગત, વિ, સગ્રહ, વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન આ સર્વે નક્ષત્રો વર્લ્ડવા. [જેની વ્યાખ્યા કરે છે—] અસ્ત સમયનું નક્ષત્ર તે સંધ્યાગત, જેમાં સૂર્ય રહેલો હોય તે રવિગત નક્ષત્ર. ઉલટું પડતું હોય તે વિષેર નક્ષત્ર. ક્રુર ગ્રહ રહેલો હોય તે સગ્રહ નક્ષત્ર. સૂર્યે છોડેલું તે વિલંબી નક્ષત્ર. જેમાં ગ્રહણ થાય તે રાહુગત નક્ષત્ર. જેની મધ્યમાંથી ગ્રહો પસાર થાય તે ગ્રહભિન્ન નક્ષત્ર કહેવાય. • ગાથા-૧૮ થી ૨૦ : સંધ્યાગત નક્ષત્રમાં ઝઘડો થાય છે. વિલંબી નક્ષત્રમાં વિવાદ થાય છે. વિ નક્ષત્રમાં સામાનો જય થાય. આદિત્યગત નક્ષત્રમાં પરમ દુઃખ પ્રાપ્ત થાય. સગ્રહ નક્ષત્રમાં નિગ્રહ થાય છે. રાહુગત નક્ષત્રમાં મરણ થાય. ગ્રહભિન્ન નક્ષત્રમાં લોહીની ઉલટી થાય. સંધ્યાગત, રાહુગત, આદિત્ય ગત નક્ષત્રો દુર્બળ અને રૂક્ષ છે. સંધ્યાદિ ચાર અને ગ્રહનક્ષત્રથી વિમુક્ત, બાકીના નક્ષત્રોને તમારે બળવાન્ જાણવા. • ગાથા-૨૧ થી ૨૮ ૩ પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની, ભરણી-આ નક્ષત્રોમાં પાદોપગમન કરવું. શ્રવણ, ધનિષ્ઠા, પુનર્વસુમાં દીક્ષા ન કરવી. શતભિષા, પુષ્ય, હસ્ત નક્ષત્રમાં વિધારંભ કરવો. મૃગશિર્ષ, આર્દ્રા, પુષ્ય, ત્રણે પૂર્વા, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા. આ દશ નક્ષત્રોને જ્ઞાનના વૃદ્ધિકારક નક્ષત્રો કહેલાં છે. પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ધનિષ્ઠા એ ચારમાં લોચકર્મ કરવું. ત્રણ ઉત્તરા અને રોહિણીમાં નવદીક્ષિતને નિષ્ક્રમણ-દીક્ષા, ઉપસ્થાપના - વડી દીક્ષા, ગણિ અને વાચકની અનુજ્ઞા કરવી, ગણસંગ્રહ કરવો, ગણધરની સ્થાપના કરવી તથા અવગ્રહ, વસતિ, સ્થાનમાં સ્થિરતા કરવી. . ગાથા-૨૯,૩૦ : પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની. આ ચાર નક્ષત્ર કાર્યારંભ માટે સુંદર અને સમર્થ છે. હવે કયા કાર્યો છે તે જણાવે છે ગણિવિધાપ્રકીર્ણકરસૂત્ર-સટીક અનુવાદ વિધા ધારણ કરવી, બ્રહ્મયોગ સાધના, સ્વાધ્યાય, અનુજ્ઞા, ઉદ્દેશ અને સમુદ્દેશના કાર્યો કરવા. ૨૨૮ - ગાથા-૩૧,૩૨ - અનુરાધા, રેવતી, ચિત્રા, મૃગશિર્ષ. આ ચાર મૃદુ નક્ષત્રો છે, તે નક્ષત્રોમાં મૃદુ કાર્યો કરવા. ભિક્ષાચરણથી પીડિને ગ્રહણ ધારણ કરવું. બાળ અને વૃદ્ધો માટે સંગ્રહ-ઉપગ્રહ કરવો. - ગાથા-૩૩,૩૪ - આર્દ્રા, આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂલ. આ ચાર નક્ષત્રમાં ગુરુપ્રતિમા અને તપકર્મ કરવું. – દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપાોં સહેવા. મૂળગુણ - ઉત્તરગુણની પુષ્ટિ કરવી. • ગાથા-૩૫,૩૬ - મઘા, ભરણી, ત્રણે પૂર્વનિ ઉગ્ર નક્ષત્રો કહ્યા છે. તેમાં બાહ્ય - અત્યંતર તપ કરવો. ૩૬૦ તપ કર્મ કહેલાં છે, ઉગ્ર નક્ષત્રના યોગમાં તે સિવાયના તપ કરવા. • ગાથા-૩૭,૩૮ 3′′ કૃતિકા અને વિશાખા આ બે ઉષ્ણ નક્ષત્રમાં લેપન અને સીવણ તથા સંચારો અવગ્રહ ધારણ કરવા. ઉપકરણ, ભાંડાદિ, વિવાદ, અવગ્રહ અને વસ્ત્રો ધારણ કરવા. આચાર્ય દ્વારા ઉપકરણ અને વિભાગ કરવા. • ગાથા-૩૯ થી ૪૧ : ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, શ્રવણ, પુનર્વસુ. આ નક્ષત્રોમાં ગુરુસેવા, ચૈત્યપૂજન, સ્વાધ્યાયકરણ કરવા. વિધાગ્રહણ અને વિરતિ કરાવવી. વ્રત, ઉપસ્થાપના, ગણિ તથા વાચકની અનુજ્ઞા કરવી. ગણસંગ્રહ, શિષ્યદીક્ષા અને ગણાવચ્છેદક થકી સંગ્રહ અને અવગ્રહ કરવો. - ગાથા-૪૨ થી ૪૪ : બવ, બાલવ, કોલવ, સ્ત્રીલોચન, ગ-આદિ, વણિજ, વિષ્ટી, એ શુક્લ પક્ષના નિશાદિ કરણો છે. શકુનિ, ચતુષ્પાદ, નાગ, કિંતુઘ્ન એ ધ્રુવ કરણો છે. કૃષ્ણ ચૌદશની રાત્રિના શકુનિકરણ હોય છે. તિથિને બમણી કરી અંધારી રાત ન ગણતા સાત વડે ભાગ કરતાં જે શેષ ભાગ રહે તે કરણ. [સામાન્ય વ્યવહારમાં એક તિથિના બે કરણ કહ્યાં છે.]
SR No.009065
Book TitleAgam 31 Ganividya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 31, & agam_ganividya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy