SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૬,૧૦૩ ૨૦૩ ૨૦૪ ગચ્છાચારપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ચોથાવતની કઈ નિર્મળતા રહે ? અહીં પણ દોષો છે - ઉક્ત સાધુ સૂત્રના દોષો અહીં જાણવા. વિશેષ એ કે – તેને એકલી જોઈ તરણો આવે, હાસ્યાદિ કરે, શરીરે ચોંટે, ઉaહ કરે, સ્પર્શથી તેણીને મોહોદય થાય, શીલ ભાંગે, ગર્ભ રહે, જો પાડી દે મહાદોષ થાય. ગર્ભ વધે તો પ્રવયનની ઉગ્રુહણા થાય, ઈત્યાદિ • x • અનેક દોષો સંભવે. • ગાથા-૧૦૮ થી ૧૧૦ : જે ગચ્છમાં રાત્રિના એકલી સાળી બે હાથ મx પણ ઉપાશ્રય બહાર જાય, તે ગચ્છમાં મર્યાદા ક્યાંથી હોય? જ્યાં એકલી સાદડી પોતાના બંધમુનિ સાથે બોલે, હે હે સૌમ્યાં તે ગચ્છને ગુણહીન જાણવો. જે ગચ્છમાં સાળી જકાર, મકારાદિ શબ્દો ગૃહસ્થ સમક્ષ બોલે, તે સાળી પોતાને પ્રત્યક્ષ સંસારમાં નાંખે છે. • વિવેચન-૧૦૮ થી ૧૧૦ : જે ગચ્છમાં ઉપાશ્રય બહાર એકલી સાળી રાત્રિમાં બે હાથ માત્ર ભૂમિમાં જાય, તેમાં આ દોષો સંભવે - કોઈ પરદાના સેવક સગિના એકલી જોઈને હરણ કરે, કે રાત્રિના ભ્રમણ કરતી તેણીમાં શંકા થાય, ચોરો પણ અપહરણ કરે, વદિ લઈ લે. ઈત્યાદિ કારણે રાત્રે બહાર ન જાય. ઉત્સર્ગથી એકાકી સાધ્વી, પોતાના જ એકલા ભાઈમુનિ સાથે બોલે કે એકલા સાધુ પોતાની બહેન સાથી સાથે બોલે તો તે ગચ્છ ગુણહીન જાણવો. કેમકે એકલા વાતચીતમાં ઘણાં દોષો સંભવે છે. કામવૃત્તિ મલિન થાય છે. પ્રીતિ આદિ વધે છે કહ્યું છે - સાધ્વીના સંદર્શનથી પ્રીતિ થાય, પ્રીતિથી તિ થાય, તેનાથી વિશ્વાસ જન્મ, વિશ્વાસથી પ્રણય જન્મ, તેનાથી પ્રતિબંધ થાય. -- હે સાધ્વી ! જેમ જેમ તું મારો સ્નેહ સંપાદિત કરીશ તેમ-તેમ મને તારામાં સ્નેહ વધશે. ઈત્યાદિ - x - મંડીવેશધારી-સાધ્વીના દર્શન અને સંભાષણથી સંદીપિત મદનરૂપ અગ્નિ સાધુના બ્રહ્મચર્યાદિ ગુણરત્નોને ન ઈચ્છવા છતાં બાળી નાંખે છે. જે ગચ્છમાં ૫૦ - તારી યોનિ દુષ્ટ છે, જેમાં તું ઉત્પન્ન થયો છે, જા શેઠ સાથે ચોંટી જા, શું તને યક્ષ ચોંટ્યો છે તારી મા મરે, તારો બાપ મરે ઈત્યાદિ અપુ શબ્દો બોલે. મક્કર તારું મોટું ન બતાવ, તારા મોઢામાં વિષ્ઠા પડે, ઈત્યાદિ બોલે. તે જિનપ્રવચનદમની, મોટા અવાજે કુત્સિત બોલે છે. જે ગૃહસ્યો પણ સાંભળે, તે સાક્ષાત ભવપરંપરા કોટિ સંકલ ચતુર્થત્યાત્મક સંસારમાં સાધવી આભાસવેષા - વેષ વિડંબિકા, આત્માને પતિત કરે છે. • ગાથા-૧૧૧ થી ૧૧૩ : જે ગચ્છમાં સાળી ગૃહસ્થ જેવી સાવધ ભાષા બોલે છે. તે ગચ્છને હે ગુણસાગરા શ્રમણણણથી રહિત જાણ.. વળી જે સાદdી સવ ઉચિત શ્વેત વસ્ત્રો ત્યજી વિવિધ રંગી વિચિત્ર વા-ત્ર સેવે છે, તેને સાળી ન કહેવી... વળી જે સાદની ગૃહસ્થના શીવણ-તુણન-ભરણ આદિ કરે છે, પોતાને કે ઘરને તેલનું ઉદ્વર્તન કરે છે. • વિવેચન-૧૧૧ થી ૧૧૩ : જે ગણમાં સાવધરૂપ ભાષા બોલે, જેમકે – તારું ઘર બળી જાય, તારો પુત્ર સમગૃહે જાય આદિ ગૃહસ્થોને કહે. સાવીને કહે- તારી દેતપંક્તિ તોડી નાંખ, તારા, પગ કાપી નાંખુ, તારા પેટમાં અગ્નિ નાંખ, હે સંડ ઈત્યાદિ બોલે. •x • મપ શબ્દથી સ્વભાવમાં રહીને પણ ગૃહસ્થ ભાષા વડે બોલે. જેમકે - તારું ઘર પડતું દેખાય છે, શા માટે તે સખું નથી કરાવતા ? તારી પુત્રી મોટી થઈ ગઈ, તેને માટે વર શોધ ઈત્યાદિ ભાષા બોલે. આવો ગચ્છ શ્રમણગુણ વર્જિન જાણવો. જે આ સાધવી યોગ્ય વસ્ત્રનો ત્યાગ કરીને વિવિધ ભરત આદિ યુક્ત વો કે આશ્ચર્યકારી રૂપો • x • બહુમૂલ્ય વસ્ત્રો, જે સાધ્વીને અયોગ્ય છે, ધારણા કરે, તે પ્રવચન ઉહકારી છે. જીવન - પંડિત વસ્ત્રાદિનું, તુણન - જિર્ણવાદિનું ભરણ-ભરત કરવું, ગૃહસ્થના ગૃહદ્વારાદિનું રક્ષણ કરવું, તેલ-ઘી-દુધ આદિ વડે અંગોપાંગનું મર્દન કરે, ઉપ શબ્દથી અંગ ક્ષાલન, વિવિધ મંડનાદિ કરે, સુભદ્રા આર્યાવતું. તે પાર્થસ્થા - પાસ્થ વિહારણી, અવસન્ના-અવસજ્ઞાવિહારી આદિ થાય છે. • ગાથા-૧૧૪,૧૧૫ : વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂની તળાઈમાં અને ઓશીકાપૂર્વક શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્વર્તન કરે, જે નાનાદિથી વિભૂષા કરે, ગૃહસ્થના ઘેર જઈ કી-વાત કરે, યુવાન પુરુષોના આગમનને અભિનંદ, તે સાળીને જરૂર જાણવી. • વિવેચન-૧૧૪,૧૧૫ : જે આર્યા બિબ્લોકપૂર્વક વિલાસયુક્ત ગતિથી રાજમાર્ગ આદિમાં વૈશ્યાની જેમ ભમે છે, બિબ્લોક અને વિલાસના લક્ષણ-ઈષ્ટ અર્થ પ્રાપ્ત થતાં અભિમાન-ગર્વ જમે, સ્ત્રીનો અનાદર કરતાં બિબ્લોક નામ જાણવું. સ્થાન, આસન ગમન કરતાં હાય-ભ્રમર-નેગકર્મચી જે વિશેષ શ્લિષ્ટ ઉપજે તે વિલાસ. -x-x-x• વળી કેવી ? ઓશીકા સહિત, મસ્તકે અને પગે ઓશીકા રાખે, પિષ્ટિકાદિ વડે મર્દન કરે. પોતાના શરીરે સ્નાન, વિલેપન, પુષ્પમાળા, વીંઝણા, વસ્ત્રાદિને ધૂપન, દાંત રંગવા આદિ કરે, તેને વર્ધમાનસ્વામીએ આર્યા કહેલ નથી. પણ વેષવિડંબિની, જિનાજ્ઞા કંદલી કુઠારિકા, પ્રવચન માલિન્યકારિણી, અનાચારિણી આદિ જાણવી. ગૃહસ્થના ઘેર જઈ ધમ[ભાસકથા કે સંસાર વ્યાપાર વિષયા કથા વચન વિલાસથી વિસ્તારે છે. તેણીની સામે તરુણાદિ પુરષો આવે છે ત્યારે આપનું આગમન ભવ્ય છે, અમારા સ્થાને રહો, ફરી પાછા પધાજો, કંઈ ચિંતા ન કરતા, અમારે યોગ્ય કાર્ય જણાવજો, ઈત્યાદિ વચનાડંબર કરે. તે સાવીને ગુરુ-ગચ્છ-સંઘ-પ્રવચનની શગુરૂપ જાણવી. • ગાથા-૧૧૬ :વૃદ્ધ કે યુવાન પુરુષો પાસે રણે જે સાળી ધર્મ કહે છે, તે સાધ્વીને પણ
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy