SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧ ૧os ૧૦૮ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહે છે – • સૂત્ર-૨,3 - ગણવામાં મનુષ્યનું આયુ સો વર્ષનું લઈ, તેને દશ-દશમાં વિભાજીત કરાય છે. તે સો વર્ષના આયુ સિવાયનો કાળ તે ગભવિાસ. તે ગર્ભકાળ જેટલા દિવસ, સમિ, મુહૂd, શ્વાસોચ્છવાસ જીવ ગભવાસમાં રહે તેની આહારવિધિ કહીશ. • વિવેચન-૨,૩ : અહીં પદોનો સંબંધ આ છે - સો વર્ષના આયુમાં પ્રાણી જે રીતે દશ-દશ અવસ્થામાં પૃથક થાય, તે રીતે તમે સાંભળો. તે એક, બે આદિ કરીને છે. તથા દશ દશા એક મળતાં તથા નિકાસિત કરાતા પરમાયુ સો વર્ષ તેમાંથી ૫૦ વર્ષ નિદ્રાદિના લેતા જે આયુ બાકી રહે, તે પણ તમે સાંભળો. જેટલા માત્ર દિવસો, જેટલી સત્રિ, જેટલા મુહર્તા, જેટલાં ઉચ્છવાસ જીવ ગર્ભમાં વસે છે, તેને કહીશ. ગભદિમાં આહારવિધિને અને શબ્દથી શરીર રોમાદિ સ્વરૂપ કહીશ. તેમાં ગર્ભમાં અહોરણનું પ્રમાણ કહે છે – • સૂત્ર-૪ થી ૮ : જીવ રકo પૂર્ણ રાત્રિ દિવસ અને અડધો દિવસ ગર્ભમાં રહે છે. નિયમથી જીવને આટલા દિવસ ગર્ભવાસમાં લાગે. પણ ઉપઘાતના કારણે તેનાથી ઓછા કે અધિક દિવસમાં પણ જન્મ લઈ શકે છે. નિયમથી જીવ ૮૩૫ મુહૂર્ત સુધી ગર્ભમાં રહે પણ તેમાં હાનિ-વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં ૩,૧૪,૧૦૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. પણ તેનાથી હિનાધિક પણ હોઈ શકે. • વિવેચન-૪ થી ૮ : જીવ ગર્ભમાં ૨9ણી અહોરાત્ર રહે છે. આ રીતે નવ માસ અને શા દિવસ જીવ ગર્ભમાં રહે છે. ઉત્તરૂપ અહોરાત્ર નિશ્ચયથી જીવના ગર્ભવાસમાં થાય છે. આ ઉક્ત અહોરમ પ્રમાણથી ઉપઘાત વશ-વાતપિતાદિ દોષથી હીનાધિક પણ થાય છે. અહીં ‘તુ' શબ્દ ‘મપિ' અર્થમાં યોજેલ છે. હવે ગર્ભમાં મુહર્ત પ્રમાણ કહે છે - ૮૩૨૫ મુહર્ત, નિશ્ચયે જીવ ગર્ભમાં વસે છે. તે કઈ રીતે થાય? ઉક્ત ૨૭ષા દિવસને ૩૦ વડે ગુણવાથી ૮૩૨૫ મુહૂર્ત આવે છે. ઉક્તરૂપ વાત દોષાદિ કારણથી હીનાધિક પણ મુહર્ત ગર્ભમાં જીવ રહે. ધે બે ગાથા વડે ગર્ભમાં નિઃશ્વાસોચ્છવાસ પ્રમાણ કહે છે - તે ૩,૧૪,૧૦,૨૫ થાય. આટલી માત્રામાં સંકલિત જીવના ગર્ભવાસમાં નિશ્ચયથી નિઃશ્વાસોચ્છવાસ થાય છે. કઈ રીતે ? એક તમુહર્તમાં ૩૭૭૩ નિઃશ્વાસોચ્છવાસ થાય છે. આ સંખ્યા વડે ઉક્તરૂ૫ મુહર્તા ગુણતાં યથોક્ત ૩,૧૪,૧૦,૨૨૫ થાય છે. તેમાં વાત આદિ કારણથી હીનાધિક નિઃશ્વાસોચ્છવાસ થાય છે. હવે આહાર અધિકારમાં કિંચિત ગભદિ સ્વરૂપ કહે છે. • સૂરણ-૯ થી ૧૧ - હે આયુષ્યમાન ! પ્રીની નાભિની નીચે પુuડંઠલના આકારે બે સિરા હોય છે. તેની નીચે ઉલટા કરેલા કમળના આકારે યોનિ હોય છે, જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માસપિંડ હોય છે, તે ઋતુકાળમાં કુટીને લોહીના કણ છોડે છે, ઉલટા કરાયેલા કમળના આકારની યોનિ, જ્યારે શુકમિશ્રિત હોય ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે, તેમ જિનેન્દ્રોએ કહેલું છે. • વિવેચન-૯ થી ૧૧ - હે આયુષ્યમાન ! ગૌતમ સ્ત્રીઓની નાભિના અધો ભાગમાં પુપની નાલિકા આકારે બે ધમનીઓ રહેલી છે. વળી તે બંને શિરા-ધમનીની નીચે યોનિ-સ્મરકૃપિકા રહેલ છે. કેવી ? અધોમુખ. વળી કેવી ? ખગ પિધાનક-મ્યાનના આકારે. તે યોનિના અધોભાગમાં આંબાની જેવી મંજરીઓ હોય છે. તેવા માંસ-પલલની મંજરી હોય છે તે મંજરી સ્ત્રીઓને માસને અંતે જે અકસમિશ્ર ત્રણ દિવસ થાય છે, તે ઋતુકાળ-સ્ત્રીધર્મના પ્રસ્તાવથી તેમાં સ્ફટિત થઈને લોહીના બિંદુને છોડી છે - રુધિર શ્રવે છે. તે રધિર બિંદુઓ કોશાકાર યોનિમાં સંપાત થઈ શુક મિશ્રિત - તૃદિન ત્રણને અંતે પુરુષ સંયોગથી કે અપુરષ સંયોગથી પ્રવીર્યથી એકત્રિત જ્યારે થાય ત્યારે જીવોત્પાદ-ગર્ભસંભૂતિ યોગ્ય થાય, તેમ જિનેન્દ્રોએ કહેલ છે. | (શંકા] પુરુષના સંયોગ વિના પુરુષવીર્ય કઈ રીતે સંભવે ? સ્થાનાંગસૂત્રના અભિપ્રાયથી. પાંચ સ્થાને સ્ત્રીપુરુષ સાથે સંવાસ ન કરે તો પણ ગર્ભને ધારણ કરે છે, તે આ - (૧) ક્યાંક પુરુષના નીકળેલા પુરષ શુક પુદ્ગલો હોય તેવા સ્થાને કે આસને સ્ત્રી બેસે અને યોનિના આકર્ષણથી શુકનો સંગ્રહ થાય. (૨) નીકળેલા શુક પુદ્ગલ તે સ્ત્રીના અંતરવસ્ત્ર મધ્યેથી યોનિમાં પ્રવેશી જાય, અહીં વસ્ત્રના ઉપલક્ષણથી તેવા બીજા કોઈમાં પણ અનુપવેશ કરે. (3) પુત્રની અર્થી હોય અને શીલરક્ષકપણું હોય, તે સ્ત્રી સ્વયં શુકપુદ્ગલોને યોનિમાં પ્રવેશ કરાવે છે. (૪) અથવા બીજા કોઈ પુકાર્ય તેની યોનિમાં પ્રક્ષેપે. (૫) શીત જળ રૂપ જે વિકટ તળાવાદિમાં જાય, તેમાં પૂર્વે પડેલ શુક પુદ્ગલો પ્રવેશે. હવે અgu-kuસ્ત યોનિકાળ જીવ સંખ્યા પરિમાણ - • સૂત્ર-૧૨,૧૩ - ગભોંત્પત્તિ યોગ્ય યોનિમાં બર મુહુર્ત સુધી લાખ પૃથકવણી અધિક જીવ રહે છે, પછી વિનાશ પામે છે. પપ વર્ષ બાદ મીની યોનિ ગર્ભધારણ યોગ્ય રહેતી નથી અને ૭૫ વર્ષ બાદ પાયઃ શુક્રાણુ રહિત થઈ જાય છે. • વિવેચન-૧૨,૧૩ : તે પુરુષવીર્ય સંયુક્ત યોનિ ૧૨-મુહૂર્ત સુધી અધ્વસ્ત રહે છે, પછી વિવંસ પામે છે. અર્થાત્ ઋતુ અંતે સ્ત્રીને પુરુષના ઉપભોગથી ૧૨ મુહૂર્તમાં જ ગર્ભભાવ છે,
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy