SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ |૩૨૯ થી ૩૩૧ છે, ફુલોપકુલનો કરતી નથી. કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલના યોગમાં રોહિણી નક્ષત્રનો યોગ કરે છે. એ પ્રમાણે મૃગશિર્ષી પૂર્ણિમા યાવત્ કહેવાય છે. ૦ એ પ્રમાણે બાકીની પૂર્ણિમાઓ પણ યાવત્ આષાઢી પૂર્ણિમા સુધી [પોત્તર - વર્ણન] સમજી લેવું. વિશેષ એ કે - - પૌષી અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલનો, ઉપકુલનો કે કુલોપકુલ નક્ષત્રનો યોગ કરે છે, બાકીની પૂર્ણિમામાં કુલનો કે ઉપકુલનો યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ ન કહેવો. [પૂર્ણિમાની માફક હવે સૂત્રકાર અમાસનું કથન કરે છે. ૭ ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? આશ્લેષા નક્ષત્ર ગૌતમ ! બે નક્ષત્રનો યોગ કરે છે, તે આ પ્રમાણે અને મઘા નક્ષત્રનો. ૭ ભગવન્ ! પૌથી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે? ગૌતમ ! બેનો, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુનીનો. ૭ ભગવન્ ! આસોજી અમાવાસ્યા પ્રભા ગૌતમ! બેનો, હસ્ત અને ચિત્ર. ૧૫૯ - - - ૦ એ પ્રમાણે અમાવાસ્યા ત્રણનો પોષી અમાવાસ્યા ને નો - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. માછી અમાસ ત્રણનો – અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા, ફાલ્ગુન અમાવાસ્યા ત્રણનો – શતભિષા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા, ચૈત્રી અમાવાસ્યા બેનો - રેવતી અને અશ્વિની, વૈશાખી અમાવાસ્યા ભેનો – ભરણી અને કૃતિકા, જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા જેનો – રોહિણી અને મૃગશિર્ષ, આપાઢી અમાસ ત્રણનો આઈ, પુનર્વસુ અને પુણ્ય. ૭ ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? કાર્તિકી અમાવાસ્યા સ્વાતી અને વિશાખાનો, મૃગશિર્ષી અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલનો. ગૌતમ ! કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે, કુલોસ્કુલનો નક્ષત્રનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. શ્રાવણી અમાવાસ્યા કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ કરે ત્યારે કુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કે ઉપકુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કહેવાય છે. ૭ ભગવન્ ! ભાદરવી અમાવાસ્યા પૂર્વવત્ બેનો યોગ કરે છે. કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો યોગ કરે છે અને ઉપકુલનો ૧૬૦ યોગ કરતાં પૂવફિાલ્ગુનીનો યોગ કરે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભાદરવી અમાવાસ્યા ત્યારે કુલોપયુક્ત કે ઉપકુલથી ઉપયુક્ત સાર્વત્ કહેવાય છે. માર્ગશિર્ષી અમાવાસ્યા તે પ્રમાણે જ કુલના યોગમાં મૂલ નક્ષત્રથી યોગ કરે છે, ઉપકુલના યોગમાં જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ કરે છે, કુલોપકુલમાં અનુરાધાનો યોગ કરે છે યાવત્ તે ફુલોપયુક્ત ઈત્યાદિ કહેવાય છે. એ પ્રમાણે માથી, ફાલ્ગુની અને આષાઢી ફુલને, ઉપકુલને અને કુલોપકુલને યોગ કરે છે. બાકીની અમાવાસ્યા કુલનો કે ઉપકુલનો યોગ કરે છે. ભગવન્ ! જ્યારે શ્રવણનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય ત્યારે પૂર્વવર્તી અમાસ શું મા યુક્ત હોય ? ભગવન્ ! જ્યારે મઘાનયુકત પૂર્ણિમા હોય ત્યારે શું શ્રવણનક્ષત્રયુક્ત અમાસ પૂર્વે હોય ? હા, ગૌતમ ! તેમજ કહેવું. ભગવન્ ! જ્યારે પૌષ્ઠપદી પૂર્ણિમા હોય ત્યારે પૂર્વની અમાવાસ્યા ફાલ્ગુની યુક્ત હોય ? અને જ્યારે ફાલ્ગુની પૂર્ણિમા હોય ત્યારે પૂર્વે પૌષ્ઠપદી અમાસ હોય? હા, ગૌતમ ! તેમજ હોય. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી - અશ્વિની નક્ષત્રયુક્ત પૂર્ણિમા, ચિત્રાનયુક્ત અમાવાસ્યા. કૃતિકા યુક્ત પૂર્ણિમા, વિશાખા યુક્ત અમાવાસ્યા. મૃગશિર યુક્ત પૂર્ણિમા, જ્યેષ્ઠાયુક્ત અમાવાસ્યા. પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા, પૂર્વાષાઢા નક્ષયુક્ત અમાવાસ્યા. • વિવેચન-૩૨૯ થી ૩૩૧ : ભગવન્ ! કેટલા કુલસંજ્ઞક નક્ષત્રો છે, કેટલા ઉપકુલ સંજ્ઞક અને કેટલાં કુલોપકુલ સંજ્ઞક કહેલાં છે ? ગૌતમ ! બાર કુલ સંજ્ઞક, બાર ઉપકુલ સંજ્ઞક અને ચાર કુલોપકુલ સંજ્ઞક કહેલા છે. તેમાં બાર કુલ સંજ્ઞકો આ પ્રમાણે ધનિષ્ઠાકુલ, ઉત્તરા ભાદ્રપદાકુલ, અશ્વિની કુલ ઈત્યાદિ હવે કુલાદિના લક્ષણ શું છે ? તે કહે છે – માસ વડે પરિસમાપ્ત થાય છે તે કુલ સંજ્ઞક અર્થાત્ અહીં જે નક્ષત્ર વડે પ્રાયઃ માસોની પરિસમાપ્તિ કરવામાં આવે છે, તે માસ સર્દેશ નામવાળા નક્ષત્રો કુલ નક્ષત્ર છે. - તે આ પ્રમાણે શ્રાવણમાસ, પ્રાયઃ શ્રવિષ્ઠા જેનું બીજું નામ ધનિષ્ઠા છે, તેના વડે પરિસમાપ્ત થાય.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy