SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧૧૭ થી ૧૨૨ સૌથી નીચેના તારા વિમાનથી ઉર્ધ્વ ૧૦ યોજન જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. ૧૫૫ તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૯૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં ચંદ્ર વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૧૧૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં સર્વોપરિ રહેલ તારાવિમાન ચાર ચરે છે. સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૮૦ યોજન જઈને આ અંતરમાં ચંદ્રવિમાન ચાર ચરે છે. તે જ સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૧૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિપ્ ચક્રચાર ચરે છે અર્થાત્ ભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી ઉર્ધ્વ ૨૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિષ ચક્ર ચાર ચરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી પૂર્વ અને અપર સહિત અર્થાત્ સર્વપર-પૂર્વાપરના મળવાથી, ૧૧૦ યોજન બાહલ્યથી છે. તે આ રીતે – સર્વ અધસ્તન તારારૂપથી જ્યોતિપ્ ચક્રથી ઉર્ધ્વ ૧૦ યોજને સૂર્ય વિમાન, તેનાથી પણ ૮૦ યોજને ચંદ્રવિમાન, તેનાથી ૨૦ યોજને સૌથી ઉપર તારારૂપ જ્યોતિષુ ચક્ર હોય છે. એ રીતે જ્યોતિષુ ચક્રનું ૧૧૦ યોજન બાહલ્સ છે. તે ૧૧૦ યોજન બાહલ્સમાં ફરી કેવા પ્રકારે છે, તે કહે છે – તિર્છ અસંખ્યેય યોજન કોડાકોડી પ્રમાણ જ્યોતિર્વિષયક મનુષ્ય ક્ષેત્ર વિષય જ્યોતિષુ ચક્ર ચાર રે છે. ચાર ચરતા મનુષ્ય ક્ષેત્રથી બહાર વળી અવસ્થિત છે, એમ કહેલ છે. તેવું [સ્વ શિષ્યોને તમારે કહેવું. ભગવન્! શું એવું છે કે – જે ચંદ્ર સૂર્ય દેવોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો ધુતિ-વૈભવ-લેશ્યાદિની અપેક્ષાથી કેટલાંક અણુ-લઘુ પણ હોય છે, અર્થાત્ હીન પણ હોય છે, કેટલાંક તુલ્ય પણ હોય છે. તથા સમ પણ ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્ર અપેક્ષાથી સમશ્રેણિથી વ્યવસ્થિત તારારૂપ-તારાવિમાન અધિષ્ઠાતા દેવો પણ છે. ચંદ્ર સૂર્ય દેવોના દ્યુતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? તથા ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનોની ઉપર પણ જે તારારૂપ - તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો પણ રહેલ છે. તેઓ પણ ચંદ્ર સૂર્યોના દેવોના ધૃતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? એ પ્રમાણે ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંત કહે છે – જે આ પ્રમાણે તે પૂછ્યું, તે બધું તેમજ છે. એમ કહેતા ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહ્યું – જેમ-જેમ તે દેવોના-તારારૂપ વિમાનોના અધિષ્ઠાતા પૂર્વ ભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય ઉત્કટ હોય છે, ૧૫૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમ તેમ તે દેવોના, તે તારારૂપ વિમાનના અધિષ્ઠાતા ભવમાં એ પ્રમાણે તેમ અણુત્વ કે તુલ્યત્વ થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જેઓ વડે પૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય મંદ [અલ્પ] કરાયેલા હોય, તેઓ તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવભવને પામીને ચંદ્ર-સૂર્ય દેવો કરતાં ધ્રુતિ-વૈભવાદિની અપેક્ષા થકી હીન હોય છે. જેઓ વડે ભવાંતરમાં તપ-નિયમ-બ્રહ્મચર્યને અતિ ઉત્કટપણે સેવેલા છે, તે તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવત્વને પામીને ધુતિ-વૈભવ આદિની અપેક્ષાથી ચંદ્ર-સૂર્ય દેવો સાથે સમાન હોય છે. આ અનુત્પન્ન નથી. મનુષ્ય લોકમાં પણ કેટલાંક જન્માંતસ્થી ઉપચિત તથાવિધ પુન્ય પ્રાક્ભારા રાજત્વને ન પામીને પણ રાજાની સાથે તુલ્ય ધુતિ વૈભવવાળા હોય છે. ‘“તા ર્વ અનુ'' નિગમનવાક્ય સુગમ છે. ગ્રહાદિ પરિવાર વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સુગમ છે. મેરુ પર્વત, જંબૂદ્વીપમાં રહેલ અને સર્વ તીર્કાલોકનો મધ્યવર્તી છે, તેનું કેટલું ક્ષેત્ર અબાધાથી કરીને ચાર ચરે છે ? ભગવંતે કહ્યું – તે ૧૧૨૧ - યોજનો અબાધાથી કરીને ચાર ચરે છે. અર્થાત્ શું કહેવા માંગે છે ? મેરુની ફરતાં ૧૧૨૧ યોજન છોડીને ત્યારપછી ચક્રવાલપણે જ્યોતિને ચાર ચરે છે. તે લોકાંતની પૂર્વે કેટલાં ક્ષેત્રની અબાધા કરીને - અપાંતરાલ કરીને જ્યોતિષ્ક કહેલ છે ? ભગવંતે કહ્યું – ૧૧૧૧ યોજન અબાધા કરીને - અપાંતરાલ રાખીને જ્યોતિપ્ કહેલ રો. તે જંબુદ્વીપદ્વીપમાં કેટલાં નક્ષત્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ છે કે અભિજિત્ નક્ષત્ર સન્વિંતર નક્ષત્ર મંડલને અપેક્ષાથી એ પ્રમાણે મૂલાદિ સર્વ બાહ્યાદિ જાણવા. - સૂત્ર-૧૨૩,૧૨૪ ૭ [૧૨૩] ચંદ્ર વિમાન કયા આકારે કહેલ છે ? તે અર્ધ કપિત્યક સંસ્થાન સંસ્થિત, સર્વ સ્ફટિકમય, અભ્યુદ્ગત ઉસિત પહસિત વિવિધ મણિ-રત્ન વડે આશ્ચર્ય ચકિત યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહવિમાન, નક્ષત્રવિમાન, તારાવિમાન જાણવા. તે ચંદ્રવિમાન કેટલા આયામ-વિકુંભથી અને કેટલાં પરિક્ષેપથી, કેટલાં બાહલ્સથી કહેલ છે ? તે ૫૬/૬૧ ભાગ યોજન આયામ અને વિશ્કભથી છે, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી અને યોજનના ૨૮/૬૧ ભાગ બાહત્યથી કહેલ છે. તે સૂર્ય વિમાન આયામવિષ્કથી કેટલું છે, ઇત્યાદિ પ્રશ્નન - તે યોજનના ૨૮/૬૧ ભાગ આયામ વિશ્કેભથી, ત્રિગુણ સવિશેષ પરિધિથી, યોજનના ૨૪/૧ ભાગ ભાહલ્યથી છે. તે નક્ષત્ર વિમાન કેટલું આયામાદિથી છે, તે પૃચ્છા. તે એક કોશ આયામવિખંભથી, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી, અર્ધકોશ બાહલ્સથી કહેલ છે.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy