SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-I-/૬૦૯ ૧૯૫ સંખ્યાતા હોતા નથી. કેમકે જ્યોતિકોનું જઘન્યપદે પણ અસંખ્યાત વર્ષનું આયુ હોવાથી જઘન્યથી પણ અસં૰ લોભ સમુ હોય છે. કેમકે તે જાતિના દેવોને લોભ ઘણો છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિ સમુદ્ઘાતના વિચારમાં કહેવું. એમ વૈરયિકને સ્વસ્થાન અને પરસ્થાનમાં લોભ સમુદ્ઘાતનો વિચાર કર્યો. હવે અસુરકુમાર સંબંધે લોભ સમુદ્ઘાતનો વિચાર કરે છે – એક્કેક અસુકુમારને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ઘાતો થયેલાં છે. કેમકે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્ - ૪ - નૈરયિકોને ઈષ્ટવસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્દાત અસંભવ છે. - X + X - અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે ‘અનંતા' સ્પષ્ટ છે. ભાવિકાળે કોઈને હોય છે – કોઈને હોતા નથી. કારણો - ૪ - પૂર્વવત્ જાણી લેવા. - x - અસુકુમારને નાગકુમારપણામાં અતીતકાળે લોભ સમુદ્ધાતો પૂર્વવત્ જાણવા. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. કારણો પૂર્વવત્ જાણવા - X + X - એ પ્રમાણે બધું સ્તનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકપણામાં ચાવત્ વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું, તેમ કહેવું. એમ અસુરકુમારની માફક નાગકુમારાદિને પણ ચાવત્ સ્તનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું. તેનું સૂત્ર આ રીતે – ભગવન્ ! એકૈક ાનિતકુમારને વૈમાનિકપણામાં કેટલાં લોભસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે, ઈત્યાદિ. એ પ્રમાણે એક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુદ્ધાતો અતીતકાળે હોય ? ઈત્યાદિ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં વિચારવા. એમ નૈરયિકાદિના એકવચનના વિષયભૂત ક્રોધાદિ સમુદ્દાતોનો પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સૂત્રો વડે વિચાર કર્યો. હવે નૈરયિકાદિના બહુવચનવિષયક તે જ સમુાતો વિચારે છે – નૈરયિકોને વૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે સર્વે જીવોએ અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલ છે. ભાવિમાં કેટલાં થવાના છે ? અનંતા. ઈત્યાદિ - ૪ - એ પ્રમાણે નૈરયિક સૂત્રના પાઠથી ચોવીશ-ચોવીશ દંડક સૂત્રો વડે ચાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવા. તે સૂત્ર આ પ્રમાણે - વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્દાત અતીતકાળે થયા છે? અનંત. ઈત્યાદિ પૂર્વવત્. જેમ ક્રોધ સમુદ્ઘાતો સર્વ જીવોમાં સ્વસ્થાને અને પરસ્થાને અતીત-અનાગત કાળે અનંતા કહેલાં છે, તેમ માનાદિ સમુદ્ઘાતો પણ કહેવા. - x - ક્રોધ સમુદ્ઘાત પ્રમાણે ચારે સમુદ્ઘાતો સ્વસ્થાને અને પરસ્થાને બધે ચાવત્ લોભ સમુદ્ઘાત વૈમાનિકપણામાં કહ્યો ત્યાં સુધી કહેવા. x - x - એ પ્રમાણે નૈરયિકાદિના બહુવચનના વિષયભૂત ક્રોધાદિ સમુદ્ઘાતો પણ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કહ્યા. E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (98) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હવે ક્રોધાદિ સમુદ્દાત સહિતાદિનું અલ્પબહુવ - સૂત્ર-૬૧૦ ઃ ભગવન્ ! આ ક્રોધ-માન-માયા-લોભ સમુદ્દાત સહિત, અકષાય સમુદ્લાતવાળા અને સમુદ્દાત રહિત જીવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં જીવો કષાય સમુદ્ઘતિવાળા છે, માન સમુવાળા અનંતગણાં, ક્રોધ સમુ વિશેષ અધિક, માયાસમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક છે. સમુ રહિત સંખ્યાતગુણાં છે. ભગવન્ ! એ ક્રોધ-માન-માયા-લોભ સમુદ્દાતવાળા અને મુદ્દાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અા છે? ગૌતમ ! સૌથી થોડાં નરયિકો લોભ સમુ, માયા સમુ સંખ્યાતગણાં, માન સમુ સંખ્યા, ક્રોધ સમુ સંખ્યા, સમુદ્ઘતિ રહિત સંખ્યા છે. ૧૯૬ - - અસુરકુમારો વિશે પ્રશ્નન સૌથી થોડાં અસુકુમારો ક્રોધ સમુ૰, માન સમુ સંખ્યા, માયા સમુ સંખ્યા, લોભ સમુ સંખ્યા સમુ રહિત સંખ્યા છે. એમ સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા – સૌથી થોડાં પૃથ્વી માન સમુ, ક્રોધ સમુ વિશેષાધિક, માયા સમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક, સમુદ્દાત રહિત સંખ્યા છે, એમ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરંતુ માન સમુવાળા અસંખ્યાતગણાં કહેવા. • વિવેચન-૬૧૦ : - પહેલાં સામાન્યથી જીવ સંબંધે અબહુત્વ કહે છે ભગવન્ ! ક્રોધ સમુદ્ઘાતવાળા ચાવત્ લોભ સમુ કષાય સિવાયના સમુ, સમુરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? સૌથી થોડાં અકષાય સમુવાળા છે. કેમકે કષાય સિવાયના બીજા સમુ વડે સમુવાળા કોઈક કાળે હોય છે. તેઓ ઉત્કૃષ્ટપદે પણ કષાય સમુવાળાની અપેક્ષા અનંતમો ભાગ હોય. તેનાથી માન સમુવાળા અનંતગણાં છે, કેમકે અનંત વનસ્પતિ જીવો પૂર્વભવના સંબંધથી માન સમુ૰ વર્તતા હોય છે. તેનાથી ક્રોધ સમુ વિશેષાધિક છે, કેમકે માનની અપેક્ષાથી ક્રોધી ઘણાં છે તેનાથી માયા સમુ૰ વિશષાધિક છે. કેમકે ક્રોધીથી માયી ઘણાં છે તેનાથી લોભ સમુ વિશેષાધિક છે. કેમકે માચી કરતાં લોભી ઘણાં છે તેનાથી સમુદ્દાતરહિત સંખ્યાતગણાં છે. કેમકે ચારે ગતિમાં સમુવાળા કરતાં વગરના હંમેશાં સંખ્યા હોય છે સિદ્ધો એકેન્દ્રિયની અપેક્ષાએ અનંતમાં ભાગે છે, માટે તે સમુ રહિત હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. આ જ અલ્પબહુત્વ ચોવીશ દંડકના ક્રમે વિચારે છે – સૂત્ર સુગમ છે. પરંતુ સૌથી થોડાં તૈરયિકો લોભ સમુદ્દાતવાળા છે. કેમકે નૈરયિકોને ઈષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્દાત હોતો નથી. જેમને હોય તેને
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy