SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-/-/૬૦૩,૬૦૮ ૧૮૩ સમુ છે. તેમનાથી પણ કપાય સમુવાળા અસંખ્યાતગણાં છે, કેમકે વિગ્રહગતિ પ્રાપ્ત જીવો કરતાં અસં૰ અનંત નિગોદ જીવો કષાય સમુ હંમેશાં હોય છે. તેનાથી વેદના સમુ॰ વિશેષાધિક છે. કેમકે અનંત નિગોદ જીવો વેદના સમુ હંમેશા હોય છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત જીવો અસં છે. કેમકે વેદના, કષાય અને મરણ સમુ કરતાં અસં૰ નિગોદ જીવો સમુ રહિત છે. હવે એ જ અલ્પબહુત્વનો નૈરયિકાદિ જીવ વિશેષમાં ચોવીશ દંડકના ક્રમે યથાસંભવ વિચાર કરે છે સૌથી થોડાં નૈરયિકો મારણાંતિક સમુ છે. કેમકે મારણાંતિક સમુ મરણ કાળે હોય છે અને મરણ, બાકીના જીવતા નારકોની અપેક્ષાથી ઘણાં થોડાનું હોય છે. વળી બધાં મરણ પામતાં જીવોને સામાન્યથી મરણ સમુ હોતો નથી. શાસ્ત્ર વચન છે કે સમુવાળા પણ મરે છે અને સમુ વિનાના પણ મરે છે. તેમનાથી વૈક્રિય સમુ અસંખ્યાતગમાં છે કેમકે – સાતે નકપૃથ્વીમાં પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવા માટે ઘણાં નાકોને નિરંતર ઉત્તર વૈક્રિયનો પારંભ સંભવે છે. તેમનાથી કાયસમુ સંખ્યાતગણાં છે, કેમકે જેમણે ઉત્તવૈક્રિય કર્યુ છે, જેમણે નથી કર્યુ એવા સર્વ સંખ્યા વડે - ૪ - સંખ્યાતગણાં છે. તેમનાથી વેદના સમુ સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્રજન્ય, પરમાધાર્મિકોએ કરેલ, પરસ્પર વેદનાથી પ્રાયઃ ઘણાં હંમેશાં વેદના સમુને પ્રાપ્ત થયા હોય. તેઓથી પણ સમુદ્ઘાતથી રહિત જીવો સંખ્યાતગણાં છે, કેમકે વેદના સમુ સિવાય પણ સામાન્યથી વેદના અનુભવતા ઘણાં વધુ નારકો સંભવે છે. હવે અસુકુમારોનું અાબહુત્વ કહે છે – સૌથી થોડાં અસુકુમારો તૈજસ સમુ છે. કેમકે તૈજસ સમુ ઘણો કોપાવેશ હોય ત્યારે ક્વચિત્ કોઈકવાર કોઈને હોય. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે, તેનાથી વેદના સમુ અસંખ્યાતગણાં છે, કેમકે પરસ્પર યુદ્ધાદિ કરવામાં ઘણાં વેદના સમુ॰ પ્રાપ્ત થાય છે. તેથી પણ કાય સમુ સંખ્યાતગણાં છે, તેમનાથી વૈક્રિય સમુ વાળા સંખ્યાતગણાં છે, કેમકે સંભોગાદિ અનેક નિમિતે અતિશય ઘણાં અસુકુમારોને ઉત્તર વૈક્રિય શરીરનો આરંભ સંભવે છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત અસંખ્યાતગણાં છે, કેમકે ઘણાં ઉત્તમ જાતિવાળા અને સુખસાગરમાં લીન દેવો અસંખ્યાતગણાં કોઈપણ સમુદ્દાત રહિત હંમેશાં હોય છે. સ્વનિતકુમાર સુધી આ જાણવું. હવે પૃથ્વીકાયિક સંબંધે અલ્પબહુત્વ - અહીં કષાય સમુવાળા અને વેદના સમુવાળા સંખ્યાતગણાં અને સમુદ્ઘાત રહિત અસંખ્યાતગણા સંબંધે સુગમ હોવાથી સ્વયં વિચારવું. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી અાબહુત્વ કહેવું. પરંતુ વાયુકાયિકોમાં આટલું વિશેષ જાણવું - સૌથી થોડાં વાયુ વૈક્રિય સમુ છે. કેમકે બાદર પર્યાપ્તાના સંખ્યાતમાં ભાગ માત્રને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેમનાથી પણ મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે. કેમકે પર્યાપ્તા, અપર્યાપ્તાદિ બધાં વાયુને મરણ સમુ સંભવે છે. E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (94) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેમનાથી પણ કષાય સમુ સંખ્યાતગણાં, તેમનાથી વેદના સમુ વિશેષાધિક છે. તેમનાથી સમુદ્ઘાત રહિત અસં છે. કેમકે સર્વ સમુને પ્રાપ્ત વાયુની અપેક્ષાથી સ્વભાવસ્થિત વાયુકાયિકો સ્વભાવથી જ અસંખ્યાતગણાં છે. ૧૮૮ બેઈન્દ્રિયસૂત્રમાં સૌથી થોડાં બેઈન્દ્રિયો મરણાંતિક સમુદ્ઘાતવાળા છે, કેમકે પ્રશ્ન સમયે અમુક જ બેઈન્દ્રિયોને મરણનો સંભવ છે. તેનાથી વેદના સમુ અસંખ્યાતગણાં છે, કેમકે તાપ-ઠંડીના સંબંધથી મોટા ભાગને વેદના સમુ સંભવે છે. તેનાથી કષાય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે અતિ ઘણાં બેઈન્દ્રિય જીવોને લોભાદિ કષાયનો સદ્ભાવ છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત સંખ્યાતગણાં છે. એમ આ પાઠથી ચઉરિન્દ્રિયો સુધી જાણવું. તિર્યંચ પંચે સૂત્રોમાં સૌથી થોડાં તૈજસ સમુ છે, કેમકે કેટલાંકને તેજોલબ્ધિ સંભવે છે. તેનાથી વેદના સમુ અસં છે. તેમનાથી પણ વૈક્રિય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે ઘણાંને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે, કેમકે વૈક્રિય લબ્ધિ રહિત બધાં સંમૂર્ત્તિમ જલચર, સ્થળચર, ખેચર આદિને પણ મરણ સમુ સંભવે છે. તેનાથી વેદના સમુ વાળા અસંખ્યાતગમાં છે - x + તેનાથી કષાય સમુ સંખ્યાતગણાં છે. તેનાથી સમુદ્દાત રહિત સંખ્યા છે ઈત્યાદિ પૂર્વવત્. મનુષ્ય સૂત્રમાં સૌથી થોડાં આહારક સમુ છે. કેમકે બહુ થોડાંને એકકાળે આહાક શરીરનો પ્રારંભ સંભવે છે. તેનાથી કેવલિ સમુવાળા સંખ્યાતગણાં છે, કેમકે તેઓ શત પૃથક્ક્ત્ત સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેનાથી તૈજસ સમુ સંખ્યાતગણાં છે. કેમકે તેઓ સંખ્યામાં એક લાખ પ્રાપ્ત થાય. તેનાથી વૈક્રિય સમુ સંખ્યાતગણાં છે. કેમકે કોટી પ્રમાણ છે. તેનાથી મારણાંતિક સમુ અસં છે કેમકે સંમૂર્ત્તિમ મનુષ્યો પણ તે સંભવે છે. તેનાથી વેદના સમુદ્દાતવાળા અસંખ્યાતગણાં છે, કેમકે મરણ પામતા જીવોની અપેક્ષાથી મરણ ન પામતાં અસં૰ જીવોને વેદના સમુ સંભવે છે. તેનાથી કષાય સમુ સંખ્યાતગણાં છે, કેમકે તેઓ ઘણાં છે. તેનાથી સમુ રહિત અસંખ્યાતગણાં છે, કેમકે ઉત્કૃષ્ટ કષાયી કરતાં અસં૰ અલ્પકષાયી સંમૂર્ણિમ મનુષ્યો સદા પ્રાપ્ત થાય છે. - ૪ - ૪ - હવે કષાય સમુદ્દાત સંબંધે વિશેષ કાન – • સૂત્ર-૬૦૯ - ભગવન્ ! કષાય સમુદ્ધાતો કેટલા છે? ચાર - ક્રોધ યાવત્ માન સમુદ્દાત. નૈરયિકોને કેટલાં કષાય સમુ છે ? ચાર કષાય સમુદ્દાતો છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! એકૈંક નૈરયિકને કેટલાં ક્રોધ સમુદ્લાતો અતીત કાળે થયેલ છે ? અનંતા. ભાવિમાં કેટલાં થશે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થાય.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy