SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮//૪ થી ૭/૫૬૨ થી ૫૬૫ ૧૨૩ સંયત દ્વારની વ્યાખ્યા - સંયતપણું મનુષ્યોને જ હોય. તેમાં બે પદ - જીવપદ અને મનુષ્યપદ. જીવપદનું સૂત્ર સુગમ છે. પરંતુ અનાહારકત્વ કેવલી સમુદ્યાત અવસ્થા કે અયોગીપણામાં જાણવું. બાકીના સમયે આહારકત્વ જાણવું. એમ મનુષ્ય સૂત્ર કહેવું. જેમકે સંયત મનુષ્ય આહાક હોય કે અનાહાક? - x - બહુવચનમાં મનુષ્ય પદ અને જીવપદ પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. તે આ પ્રમાણે - બધાં આહાણ્યો હોય - જ્યારે કોઈ પણ કેવલી સમુદ્ધાત કે યોગીપણાને પામેલ ના હોય ત્યારે આ ભંગ છે. અથવા બધાં આહારક હોય અને એક અનાહારક હોય ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. અસંયત સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે કદાયિત આહારક-કદાચિતુ અનાહાક હોય. બહુવચનથી જીવપદ અને પૃથિવ્યાદિષદમાં પ્રત્યેકને આશ્રીને આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય - એ ભંગ હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ સમજવા. સંયતાસંયત - દેશવિરતિધર. તેઓ પંચે તિર્યંચ અને મનુષ્યો હોય. બાકીના જીવો ન હોય, કેમકે બાકીનાને સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ હોતા નથી. એ પ્રમાણે એઓને ત્રણ પદ હોય. સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય પદ. ત્રણેમાં બંને વચનથી આહારકો હોય. કેમકે બીજા ભવમાં જતાં અને કેવલી સમુદ્ગાતાદિ અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે. નોસવંતનોઅસંયતનોસંયતાસંયતમાં બે પદ છે જીવપદ, સિદ્ધપદ. બંને સ્થાને બંને વચનમાં અનાહારકપણું જ હોય, આહારકપણું ન હોય. કેમકે સિદ્ધો અનાહારક હોય છે. હવે કષાયદ્વાર - સંકષાયી જીવ આહારક કે અનાહારક? એકવચન સૂત્ર સુગમ છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો. જીવપદમાં અને પૃથિવ્યાદિ પદમાં પ્રત્યેકને “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય' એમ કહેવું. કેમકે તે સ્થાનમાં આહારક અને અનાહારક બંને પ્રકારે સકષાયી જીવો ઘણાં હોય છે. ક્રોધકષાયી સામાન્ય સકષાયીવતુ જાણવો. તેમાં જીવપદ અને પૃથિવ્યાદિ પદોના ભાંગાનો અભાવ છે. બાકીના સ્થાને ત્રણ ભંગો જાણવા. પરંતુ દેવોમાં છ ભંગો જાણવા. કેમકે દેવો સ્વભાવથી જ ઘણાં લોભી હોય છે. પણ બહુ ક્રોધાદિવાળા હોતા નથી. તેથી ક્રોધકષાયી એકાદિ પણ હોય, માટે છ મૂંગો થાય છે (૧) કદાચિહ્ન બધાં આહાક હોય, કેમકે એક પણ ક્રોધકષાયી વિગ્રહગતિ પ્રાપ્ત ન હોય, (૨) કદાયિતુ બધાં નાહારક હોય છે કેમકે એક પણ ક્રોધ કષાયી છતાં આહાક ના હોય. અહીં કોધોદય માનાદિના ઉદયથી જુદો જ વિવક્ષિત છે. - x • (3) કદાચ એક આહાક - એક અનાહારક હોય. (૪) કદાચ એક આહાક અને ઘણાં નાહારક હોય ઈત્યાદિ • x • માન અને માયા કષાય સૂગ એકવચનમાં પૂર્વવત્ ૧૨૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જાણવું. બહુવચનમાં વિશેષતા કહે છે – દેવો અને નૈરયિકોમાં પ્રત્યેકને આશ્રીને છ અંગો - નૈરયિકો ભવ સ્વભાવથી બહુ ક્રોધી અને દેવો બહુ લોભી હોય તેવી તે બંનેને માન અને માયાકષાય સ્વય હોય, તેથી પૂર્વોક્ત છ મૂંગો થાય. જીવપદ અને પૃથિવ્યાદિમાં પ્રત્યેકને આશ્રીને અન્ય ભેગો થતા નથી, કારણ કે આહારક, અનાહારક માનકષાયી-માયાકષાયી પ્રત્યેક હંમેશાં તે-તે સ્થાનોમાં ઘણાં હોય છે. બાકીના સ્થાને ત્રણ ભંગો છે. લોભકષાયમાં એકવચનમાં તેમજ સમજવું. બહુવચનમાં વિશેષતા જણાવે છે - તેમાં નૈયિકોમાં છ ભંગો જાણવા, કેમકે તેઓમાં લોભ કપાય જાય છે. બાકીના જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પણ ત્રણ ભંગો જાણવા. દેવોમાં પણ ગણ મંગ, કેમકે તેઓમાં લોભની અધિકતા હોવાથી છ અંગો સંભવ નથી. જીવ અને કેન્દ્રિયોમાં પૂર્વવતુ એક જ ભંગ જાણવો. આહારકો પણ હોય • અનાહારકો પણ હોય. કષાયી - x • મનુષ્યો અને સિદ્ધો હોય છે. અકષાયી મનુષ્યો ઉપશાંત કપાયાદિ જાણવા, કેમકે તે સિવાયના સકષાયી હોય છે. તેથી તેમને પણ ત્રણ પદો હોય છે. જેમકે - સામાન્યથી જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. જીવપદ અને મનુષ્ય પદમાં એકવચનથી કદાચિત્ આહારક હોય - કદાયિતુ નાહારક હોય - એમ કહેવું. સિદ્ધપદમાં તો અનાહાક જ હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય - અનાહાકો પણ હોય, કેમકે કેવળી આહારકો અને સિદ્ધો અનાહારકો હંમેશાં ઘણાં હોય છે. મનુષ્યપદમાં ત્રણ ભંગો જાણવા - બધાં આહારકો હોય ઈત્યાદિ પૂર્વવતુ. (PROO E:\Maharaj SaheibAdhayan-40\Book-403 o પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૮ થી ૧૩ o 0 કષાયદ્વાર ગયું. હવે જ્ઞાનાદિ દ્વારો કહે છે - • સૂત્ર-પ૬૬ થી પ૧ : [૫૬૬) જ્ઞાની સમ્યગૃષ્ટિવત છે. આભિનિબૌધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં છ ભંગો સમજવા, બાકીના જીવોમાં જેમને આ જ્ઞાનો છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગો જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારકો હોય, પણ નાહાક ન હોય. બાકીના જીવોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિ સંબંધે ત્રણ ભંગો જાણવા. મન:પર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો બંને વચન વડે આહારક છે પણ અનાહાક નથી. કેવળજ્ઞાની નોસંજ્ઞી નોઅસંશાવતું જાણવા. અજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાનીમાં જીવ, કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ છે. વિભંગાની પાંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે, આનાહાક નથી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy