SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨-I-/૫૩૦ થી ૩૩ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાધનાર, ઘણાં છ બાંધનાર, એક બંધક. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં છ બાંધનાર, ઘણાં બંધક હોય. () ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આ6િ ભકિનાર છ બાંધનાર, એક અબંધક હોય, (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક બંધક હોય. (૮) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. એ પ્રમાણે આઠ ભંગો થયા. બધાં મળીને ૨૭ ભંગો થાય. એમ મનુષ્યોને એ જ ૨૭ ભંગો કહેવા. એ રીતે મૃષાવાદવિરત ચાવ4 માયામૃષાવાદ વિરત જીવ અને મનુષ્ય જાણવા. મિયા-દર્શનશલ્ય વિરત જીવ કેટલી કમપકૃતિ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે, એક બાંધે, અબંધક હોય. મિથ્યાદશનશલ્ય વિરd નૈરયિક કેટલી કમપ્રકૃતિ બાંધે ? સાત અને આઠ ચાવતુ પંચેન્દ્રિય તિચિ બાંધે. મનુષ્યને જીવ માફક જાણવો. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકવતું સમજવો. મિયાદશન શલ્ય વિરત જીવો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? પૂવક્ત ર૭-ભંગો કહેવા. મિચ્છાદનરાવ્ય વિરત નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા ઘણાં સાત બાંધે અને એક આઠ બાંધે. ઘણાં સાત અને આઠ બાંધ.. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. પણ મનુષ્યો જીવ માફક કહેવા. | [33] પ્રાણાતિપાત વિરત જીવોને શું આરંભિકી ક્રિયા હોય ? યાવતું મિસાદર્શન પત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય-કદાચ ન હોય. રિગ્રહિંદી ક્રિયા ? એ અર્થ સમર્થ નથી. માયા પચયિકી ક્રિયા ? કદાચ હોય . કદાચ ન હોય. અપ્રત્યાખ્યાન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. મિચ્છાદનપત્યયા ? એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપ્રતવિરત મનુષ્ય પણ જણd. એ પ્રમાણે માયામૃષાવાદવિરત સુધીના જીવ, મનુષ્ય જાણવા. ભગવાન મિયાદન શલ્ય વિરત જીવને શું આરંભિકી યાવતુ મિયાદના પ્રત્યયા કિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવુંમિયાદન પ્રત્યયિકી ન હોય. ભગવન મિયાદન શલ્ય વિરd નૈરચિકને શું આરંભિકી યાવત્ મિયાદન પ્રત્યવિકી ક્રિયા હોય? આરંભિકી યાવતું પત્યાખ્યાન ક્રિયા હોય. મિચ્છાદનપત્યયા ન હોય. એમ અનિતકુમાર સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચને આરંભિકી, માયા પ્રત્યયિકી ક્રિયા હોય, પત્યાખ્યાનક્રિયા કદાચ હોય • કદાચ ન હોય. મિશ્રાદશન પત્યયા ન હોય. મનુષ્ય જીવવતુ જાણવા. વ્યંતરુ જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા. આ આરંભિકી ચાવતું મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં કઈ કોનાથી આદિ છે ? સૌથી થોડી મિયાદર્શન પ્રત્યયા ક્રિયા છે. પ્રત્યાખ્યાન કિયા વિશેષાધિક, પારિગ્રહિક વિશેષાધિક, આરંભિકી વિશેષાધિક, માયાપત્યયિકી વિશેષાધિક છે. • વિવેચન-૫૩૧ - * * * પ્રાણાતિપાતાદિના વિરમણ વિષયભૂત છ કાયાદિનો પૂર્વે જ વિચાર કર્યો છે, માટે અહીં ફરી વિચારતા નથી. પ્રાણાતિપાતથી મૃષાવાદ સુધીની વિરતી જીવ અને મનુષ્યને વિશે કહેવી. • x - કેમકે મનુષ્ય સિવાય બીજાને ભવનિમિતક સર્વ વિરતિનો અભાવ છે. મિથ્યાદર્શન વિરમણમાં “સર્વ દ્રવ્યોને વિશે” કહ્યું પણ ઉપલક્ષણથી સર્વ પર્યાયો વિશે પણ સમજવું. કેમકે એક દ્રવ્ય કે પર્યાયને વિશે મિથ્યાત્વ હોય તો તેને મિથ્યાદર્શનના વિરમણનો અસંભવ છે. સૂત્રોક્ત એક પણ અક્ષરની અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાર્દષ્ટિ થાય છે. કેમકે “જિનોક્ત સૂઝ અમને પ્રમાણ છે” એવું શાસ્ત્ર વચન છે. મિથ્યાદર્શલશલ્ય વિરતિ કેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સિવાયના જીવ સ્થાનોમાં હોય છે. • x - કેમકે પૃવી આદિમાં પ્રતિપદામાન અને પ્રતિપન્ન બંનેનો અભાવ છે. - એમ શાઅવચન છે. કોઈક બેઈન્દ્રિયાદિને કરણાપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તો પણ મિથ્યાત્વાભિમુખ અને સમ્યક પ્રતિકૂળને હોય માટે તેમને પણ મિથ્યાદર્શનશલ્ય વિરતિનો નિષેધ છે. પ્રાણાતિપાત વિરતને કર્મબંધ થવા કે ન થવા વિશે કહે છે – સૂણો સુગમ છે, ઉત્તર સૂત્રમાં જણાવે છે કે- બધાં જીવો સાત પ્રકૃતિ બાંધનાર અને એક પ્રકૃતિ બાંધનાર હોય. અહીં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય સાત પ્રકૃતિ બાંધે. તેમાં પ્રમત, અપ્રમત્ત આયુના બંધ કાળે આઠ પ્રકૃતિ બાંધે. આયુનો બંધ કદાયિત્વ હોય છે, તેથી કોઈ કાળે સર્વયા પણ ન હોય. વળી અાપૂર્વકરણ, અનિવૃત્તિનાદર કદાચિત્ ન પણ હોય, કેમકે તેનો વિરહ પણ કહેલો છે. એક પ્રકૃતિ બંધક ઉપશાંતમોહાદિવાળા છે. તેમાં ઉપશાંત કે ક્ષીણ મોહ કદાચ હોય કે ન હોય, સયોગી કેવલી હંમેશાં હોય છે. • x • તેથી સાત પ્રકૃતિબંધક, એક પ્રકૃતિ બંધક ઘણાં હોય છે. એમ આઠ પ્રકૃતિ બંધ કરનાર આદિના અભાવમાં પહેલો ભંગ થાય છે. અથવા સાત પ્રકૃતિ બંધક અને એક પ્રકૃતિ બંધક ઘણાં હોય અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય તે બીજો ભંગ. આઠ પ્રકૃતિ બંધક ઘણાં હોય તે બીજો ભંગ. છ પ્રકૃતિ બંધક કદાચ હોય - કદાચ ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય - X• તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે પવિધ બંધકના પણ બે ભંગો થાય. અબંધક તે અયોગી કેવલી, તે પણ હોય કે ન હોય, કેમકે તેમને ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય. તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે બંધક પદ વડે બે ભંગો થાય.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy