SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૩૪ ૧૬૧ ૧૬૨ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સવભાષાનુગામી, એક યોજન સુધી પહોંચાડનાર સ્વરમાં, અર્ધમાગધી ભાષામાં બોલતા રહતે ધર્મને કહ્યો. • વિવેચન-૩૪ (અધ) : તીરે જઇફમાનિયા - તે મહા-અતિમહતિ, ગુરુક મધ્ય અતિગુરુકા. gfસરિણા - જુએ છે તે ઋષિ, તે જ પસ્વિાર તે ઋષિપરિષદ-અતિશયજ્ઞાની સાધુને. ધર્મ કહે છે તે જોડવું. મુળ - મૌનવાળા સાધુને-વાનિયમન કરેલ સાધુને. ગત - ચાસ્ત્રિ પ્રતિ પ્રયત્ન કરે છે તે, ચાત્રિમાં ઉધત સાધુઓને. કમળા સવંતા - અનેક શત પ્રમાણ છંદો જેના છે તે. માનવવંતપરિયાતા - અનેક શત પ્રમાણ જે વૃંદો, તે પરિવાર જનો છે તે. કેવો ? માવત - અવ્યવચ્છિન્નબલ, સંવત - અતિશય બલ, મન : પ્રશસ્ત બળ, મuffમયાન આદિ. અપરિમિત-અનંત જે બલ આદિ, તેના વડે યુક્ત જે છે. તેમાં બલ-શારીરિક, પ્રાણ. વીર્ય-જીવથી ઉત્પન્ન, તેજ-દીપ્તિ, માહાભ્યમહાનુભાવતા, કાંતિ-કામ્યતા. સાયનવસ્થUT૦ શારદ-શરસ્કાલિન, જે નવો છે, સ્વનિત-મેઘવનિત, તેની જેમ મધુર અને ગંભીર તથા ઊંચના નિઘોષવતુ દુભિવતું સ્વર જેનો છે તે. કેવા સ્વરૂપના ધર્મને કહે છે – સુરેfવસ્થા - હૃદયમાં વિસ્તૃતપણે હૃદયમાં વિસ્તીર્ણત્વથી. કંઠમાં અવસ્થિત • x - સિરે સમાઈણાએ - મસ્તકમાં સંકીર્ણતા - x • અગસ્લાએ-સુવિભકત અક્ષરતાથી, અમખ્ખણાએ-તોતડાપણ આદિ વિના, સુવ્યક્ત અક્ષર સંનિપાત-વર્ણસંયોગ જેમાં છે તે. પુણરત્તાઓ-સ્વર કલા વડે પૂણ, રક્તાગેયરાણ અનુરકતા જે છે તે તથા. ક્વચિત્ બે વિશેષણ છે. છૂટવિશદા-અત્યંત વ્યક્ત અક્ષરવાળા અથવા સ્કૂટવિષયવાળા-ફૂટ અર્ચવાળા, મધુકોમળ, ગંભીર-મહતી, ગ્રાહિક-અકલેશથી અર્થ બોધ કરનારી. સર્વાક્ષરોનો સંનિપાત-અવતાર જેમાં છે તે અથવા સર્વે અઢાર સંનિપાત-સંયોગો જેમાં છે તે. તે સર્વાક્ષસંનિપાતિક. સરસઈએ-વાણી વડે, જોયણનીહારિણ-યોજનને અતિકામતા સ્વર વડે. જે માગધ ભાષા લક્ષણ તેના વડે પરિપૂર્ણ અને પ્રાકૃત ભાષા લક્ષણ બહુલા તે અર્ધમાગધી કહેવાય છે. • સૂત્ર-૩૪ (અઘરેથી) : તે સર્વે આર્યો અને અનાર્યોને અગ્યાનપણે ધર્મ કહે છે. તે અર્ધમાગધી ભાષા તે સર્વે કર્યો અને અનાર્યોને પોત-પોતાની ભાષામાં પરિણામથી પરિણમે છે. તેિ દેશના આ પ્રમાણે- લોક છે, અલોક છે, એ પ્રમાણે જીવ-અજીવ, બંધ-મોક્ષ, પુજ્ય-પાપ, વસંવર, વેદના-નિર્જરા તથા અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ (તા) નરક-નૈરયિક, તિચિયોનિક-તિર્યંચયોનિની, માતા-પિતા, ઋષિ, દેવોદેવલોકો, સિદ્ધિ-સિહો, પરિનિવણિ-પરિનિવૃત્ત [આ બધાનું અસ્તિત્વ છે] પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ છે. ક્રોધ, માન, માયા, લોભ યાવતું મિશ્રાદનિશલ્ય છે. 16/11] • વિવેચન-૩૪ (અધુરેથી) : બfમરિયાન - આર્ય કે અનાર્ય દેશોત્પણા મનુષ્યો. અપ્પો સમાયણ frખેf uTH - આર્યાદિને, તત્સંબંધી જીવને સ્વભાષા-પોતાની ભાષા સંબંધી પરિણામ-સ્વરૂપથી પરિણમે-વર્તે છે જે પ્રકારે ધર્મ કહે છે, તેને દર્શાવવાને માટે કહે છે, તે આ પ્રમાણે - લોક છે, ઈત્યાદિ લ્યાણપાપક સુધી બધું સુગમ છે. વિશેષ આ - લોક-પંચાસ્તિકાયમય, અલોકકેવળ આકાશ રૂ૫, આ બંનેનું અસ્તિત્વ જણાવીને શૂન્યવાદનો નિરાસ કર્યો છે. તેના નિરાસની યુક્તિ બીજા ગ્રંથોથી જાણવી. એ પ્રમાણે પ્રાયઃ આગળ પણ છે. ‘જીવો છે.' આ લોકાયતક મતના નિષેધાર્યે કહ્યું. ‘અજીવો છે.’ પુરષઅદ્વૈતાદિવાદના નિષેધાર્ચે છે. ‘બંધ-મોક્ષ છે.' જીવને કર્મનો બંધ અને સર્વે કર્મોનો વિયોગ છે. આ બંને સાંખ્યમતના નિષેધાર્થે છે. • x • “પુન્યપાપ છે.” પાપજ ઘટતા અને વધતા સુખદુ:ખ નિબંધન છે, પુચકર્મ નથી. પુન્ય જ વધે કે ઘટે તે સુખદુઃખનો હેતુ છે, પાપ નહીં આ બંને વાદનો નિરાસ કર્યો છે. અથવા જગત્ વૈવિષ્ય નિબંધન કેવળ સ્વભાવવાદના નિરાસાર્થે છે. “આશ્રવ-સંવર છે.” કર્મબંધનો હેતુ તે આશ્રવ, આશ્રવનો નિરોધ તે સંવર. આ બંને બંધ-મોક્ષના નિકારણત્વના પ્રતિષેધાર્યું છે. અથવા વીર્યના પ્રાધાન્યને જણાવવા માટે છે. “વેદના-નિર્જરા” છે. વેદના-કર્મનું અનુભવવું કે પીડા, નિર્જરાદેશથી કર્મનો ક્ષય. આ ભોગવ્યા વિના કર્મ ક્ષય ન પામે, તે પ્રતિપાદન કરવાને છે. અરિહંતાદિ ચારની સતા, તેમનો જગમાં અતિશયપણાની શ્રદ્ધા ન કરનારને શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનું છે. નક અને નૈરયિકનું અસ્તિત્વ પ્રતિપાદન “પ્રમાણના અભાવે તેનું અગ્રાહ્યત્વ છે” એ મતના નિષેધાર્યું છે. તિર્યંચાદિ અસ્તિત્વ પ્રતિપાદન તો પ્રત્યક્ષ પ્રમાણ છે. “ભ્રાંતિથી કુવાસનાજન્ય આ તિર્યંચાદિ પ્રતિભાસ છે, તેની સત્તા નથી” એમ જે માને છે, તેના મતને નિષેધાર્થે છે. માતા-પિતાની સતાનું અભિધાન - x - x - વાસ્તવમાં માતાપિતાનો વ્યવહાર નથી, તેવા મતના નિરાસ માટે છે, - X - X - તથા જેઓ માને છે કે પક્ષો રાગાદિ યુક્ત હોવાથી અતીન્દ્રિયાર્ચદટા સંભવતા નથી, તેના મતના નિરાસ માટે ઋષિ સતા બતાવી અને તે નિરાસ ચંદ્રનું ગ્રહણ આદિ જ્ઞાનના અવિસંવાદ દર્શનથી છે. દેવાદિનું અસ્તિત્વ અભિધાન-જેઓ અપ્રત્યક્ષ હોવાથી દેવાદિ નથી, તેના મતને નિવારવાને માટે છે. સિદ્ધિ-ઈષપાભારત કે નિષ્કિતાર્થતા. સિદ્ધો એટલે સિદ્ધિવાળા. પરિનિવણિકર્મકૃત સંતાપને ઉપશાંત કરી સમ્યકપણે રહેવું. પરિતિવૃત-પરિનિર્વાણવાળા તથા જેઓ માને છે . પ્રાણાતિપાતાદિ બંધ-મોક્ષનો હેતુ થતો નથી, જીવના અભાવે બંધમોક્ષ થતો નથી, તે મતના નિષેધાર્થે “પ્રાણાતિપાત છે” ઈત્યાદિ કહ્યું. x-x - અહીં યાવત્ શબ્દથી રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરસ્પરિવાદ, અરતિરતી, માયામૃષા જાણવું. તેમાં ઝિન - પ્રેમ (રાગ અનભિવ્યકત છે, માયા-લોભ વ્યક્ત રાગ માગ છે. હેપ-અનભિ વ્યસ્ત છે, ક્રોધ-માન વ્યક્તિાક પીતિમાબ છે.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy