SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-|-/૬૪૦ આપવાને માટે કદાચ કોઈ વચનની છુટ્ટી અભિગ્રહમાં સંભવે છે. તિજ્ઞસંનિયાળુ - તલની ફળીમાં, મર્મ પળાય - મને આશ્રીને “આ મિથ્યાવાદી થાઓ” એવો વિકલ્પ કરીને. અમવાદ્ - અભ્ર રૂપ વા-પાણીના દલિકો. પતળતાવડ઼ - પ્રકર્ષથી ગર્જે છે. - x - નામટ્ટિય - અતિ કાદવ નહીં તે રીતે. પવિત્તપસિય - પ્રવિલ વિપુષ, ચરેત્તુવિળાસળ - રજ એટલે વાયુથી ઉડેલ આકાશવર્તી રેણુ - ભૂમિસ્થિત ધૂળ, તે બંનેને ઉપશમક, સનિનોન - શીતાદિ મહાનદીના જેવો રસમય. CE • સૂત્ર-૬૪૧ થી ૬૪૪ -- [૬૪૧] ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છટ્ઠ-છઠ્ઠના તપકર્મ સાથે બે હાથને ઉંચા કરી-કરીને સૂર્યાભિમુખ રહી, આતાના ભૂમિમાં આપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે જુઓ ચોતરફ પડતી હતી. પ્રાણ-ભૂત-જીવ-સવની અનુકંપાથી તે પડતી એવી જુને વારંવાર ત્યાંને ત્યાં રાખતો હતો. - ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્ત્વજ્ઞ કે તપવી મુનિ છો કે “જૂના રાજ્જાતર છો ? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર્યું નહીં, પણ મૌન રહ્યો. ત્યારે તે ગોશાળાઓ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે શું તમે તત્ત્વજ્ઞ કે મુનિ વત્ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે-ત્રણ વખત આમ કહેતા શીઘ્ર કોપિત થયો યાવત્ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી ઉતર્યો, ઉતરીને તૈજસ સમુદ્ઘતિથી સમવહત થયો, થઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યું, ત્યારે હે ગૌતમ ! મેં ગૌશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજ ને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય. ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગૌશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છંદ ન કરી શક્યાનું જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી, સંહરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્ ! મેં જાણી લીધું. - ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે ભગવન ! આ જૂઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે “મેં જાણી લીધું, ભગવન્ ! મેં સમજી લીધું.’’ ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા ! તું વૈશ્યાયન બાલતપવીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક પાછો સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછ્યું કે – શું તમે તત્ત્વજ્ઞ કે તપવી મુનિ છો અથવા જૂઓના - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગૌશાળા ! તે બાલતપસ્વીને બીજી-ત્રીજી વખત પણ પૂછ્યું કે તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ યાવત્ શય્યાતર છો ?, ત્યારે તે વૈશ્યાયને, તને બીજી-ત્રીજી વખત આમ કહેતો જાણીને અતિ કોપિત થઈ યાવત્ પાછા ખસ્સા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેોલેશ્યા કાઢી. ત્યારે તે ગોશાળા ! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજલેશ્યા છોડી યાવત્ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીર છંદ ન કરાયેલ જોઈને તેણે ઉષ્ણ તેજોવેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું – ભગવન્ ! મેં જાણી લીધું, ભગવન્ ! મેં સમજી લીધું. - - ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે ભગવન્ ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલકને કહ્યું ગોશાલક ! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલાં પાણીથી નિરંતર છટ્ઠ-છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઉંચા રાખીને યાવત્ આતાપના લઈ વિસરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્યક્ વિનયપૂર્વક સ્વીકારી. [૬૪ર] ત્યારે હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગરે વિચરવા નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું ભગવન્ ! આપે તે દિવસે મને આમ કહેલ વત્ પ્રરૂપેલ કે હે ગોશાળા ! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્ સાત તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો વીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું – ત્યારે મેં કહેલા યાવત્ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રીતિ, રુચિ કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચિ કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવત્ એકાંતમાં તે છોડ ફેંકી દીધો. હે ગોશાળા ! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા ! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુણ્યજીવો પણ મરીને આ જ તલનો છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક ! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પહિરે છે. ૯૦ -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy