SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૮|-|૩|૩૯૯ ૧૩૯ ૧૮૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ચરમાંત પ્રદેશ કઈ રીતે ? જે બાહ્ય ખડંપ્રદેશો છે, તે ચરમાંત પ્રદેશો છે, જે મધ્યમંડ પ્રદેશો છે, તે અચરમાંત પ્રદેશો છે. આના દ્વારા રોકાંત દુનય નિરાસ પ્રધાનતાથી નિર્વચન સૂઝથી અવયવ-અવયવીરૂપ વસ્તુ કહી. - x - એ પ્રમાણે શર્કરાપભાદિમાં જાણવું. ક્યાં સુધી ? વૈમાનિક સંભવ સ્પર્શ ન પામે, ફરી ત્યાં ઉત્પાત ન થવાનો હોવાથી મુક્તિગમનને લીધે તે વૈમાનિકો સ્પર્શ ચરમથી ચરમ છે, જે ફરી ઉત્પન્ન થવાના છે, તે અચરમ છે - (ત્યાં સુધી કહેવું.) છે શતક-૮, ઉદ્દેશો-૪-“ક્રિયા છે – X - X - X - X – o ઉદ્દેશા-1-તે અંતે વૈમાનિકો કહ્યા. તેઓ ક્રિયાવાળા હોય છે, તેથી ઉદ્દેશા૪-માં ક્રિયાને કહે છે - • સૂત્ર-૪૦૦ : રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! ક્રિયાઓ કેટલી કહી છે ? ગૌતમ ! પાંચ. તે આ - કાયિકી, અધિકરણિકી, એ રીતે આખું “ક્રિયા” પદ યાવતુ “માયાપત્યયિક ક્રિયા વિશેષાધિક છે.’ સુધી કહેવું. ભગવાન છે તે એમ જ છે, એમ જ છે સાવત્ ગૌતમ વિચરે છે. • વિવેચન-૪oo - એ કમથી પ્રજ્ઞાપનાનું ૨૨મું ‘ક્રિયા’ પદ કહેવું, તે આ રીતે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતક્રિયા ઇત્યાદિ. છેલ્લે સુબ આ છે - ભગવા આ આરંભિકી, પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાના, માયાપત્યયિકી, મિથ્યાદર્શનપત્યયિકી ક્રિયામાં કઈ કોનાથી ચાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે, મિયાર્દષ્ટિને લીધે અપ્રત્યાખ્યાનક્રિયા વિશેષાધિક છે, મિથ્યાર્દષ્ટિ અને અવિરતિ સમ્યગદૈષ્ટિને લીધે. પારિગ્રહિક વિશેષાધિક છે, તેમાં દેશવિરત પણ આવે તેવી. આરંભિકી ક્રિયા તેથી વિશેષાધિક છે, પૂર્વોક્ત અને પ્રમuસંયત પણ આવે તેચી. માયાપત્યયિકી વિશેષાધિક છે પૂર્વોકd અને અપમત સંયત પણ તેમાં સંભવે છે. તેને અંતે આમ કહેવું ગાથા છે - મિથ્યા, અપ્રત્યાખ્યાન, પરિગ્રહ, આભ, માયાક્રિયા ક્રમશઃ મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ, પ્રમg, અપમતને હોય છે. મિથ્યાર્દષ્ટિ તેમાં થોડા છે, બાકીના એક-એકની રાશિમાં વૃદ્ધિ છે. શતક-૮, ઉદ્દેશો-પ-“આજીવિક” છે - X - X - X - X - o કિયા અધિકારથી પાંચમાં ઉદ્દેશામાં પરિગ્રહાદિ ક્રિયા વિષય – • સૂત્ર-૪૦૧ - રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! આજીવિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું - ભગવન ! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલ શ્રાવકના ઉપકરણ કોઈ હરી જાય, તો હે ભગવન્! તે ઉપકરણને શોધે તો શું પોતાના ઉપકરણ શોધે કે બીજના શોધે? ગૌતમી તે પોતાના ઉપકરણ શોધ, બીજાના ઉપકરણ ન શોધે. ભગવન! તે શીલ, પ્રd, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધોપવાસ ગ્રહણ કરેલ શ્રાવકના તે અપહd ભાંડ તેને અભાંડ થાય ? હા, ગૌતમ ! થાય. ભગવાન ! તો આય એમ કેમ કહો છો કે, તે તેના ભાંડ શોધે છે, બીજાના નહીં ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે - આ હિરણય-સુવર્ણ-કાંસ-વસ્ત્રવિપુલ ધન કનક રન મણિ મોતી શંખ પ્રવાલ શિલ તરન ઇત્યાદિ વિધમાના સારભૂત દ્રવ્ય મારું નથી, પણ મમત્વભાવનું તેણે પ્રત્યાખ્યાન કર્યું નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે પોતાના ભાંડ-ઉપકરણ શોધે છે, બીજાના નહીં ભગવન! સામાયિક કરીને શ્રમણોપાશ્રયમાં બેસેલ શ્રાવકની પત્ની સાથે કોઈ વ્યભિચાર કરે તો ભગવાન શ્રાવક પનીને તે ભોગવે છે કે બીજી અને ? ગૌતમ! તે શ્રાવકપનીને ભોગવે છે, બીજીને નહીં -- ભગવન! તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પૌષધોપવાસ કરવાથી શું શ્રાવકની પની આપની! થઈ જાય ? હા, થઈ જાય. તો ભગવન! કા હેતુથી કહ્યું કે - તે શ્રાવકપની સાથે વ્યભિચરે છે, બીજી સ્ત્રી સાથે નહીં ? ગૌતમ! તે શ્રાવકને એમ થાય છે કે- મારે માતા-પિતા-ભાઈ-બહેન-સ્ત્રી-પુત્ર,-પુસ્ત્રી-પુત્રવધૂ નથી, પણ તેનું પ્રેમબંધન તુટયું હોતું નથી, તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવતુ બીજી સ્ત્રી ભોગવતો નથી. • વિવેચન-૪૦૧ - રાજગૃહમાં ગૌતમસ્વામીએ આમ કહ્યું - માં નીવિકા એટલે ગોશાળકના શિષ્યો. સ્થવિર - નિર્મન્થ સાધુ. તેમણે જે કહ્યું તે ગૌતમ સ્વયં જ પૂછે છે : - આધ શિક્ષાવતને સ્વીકારેલ, શ્રમણની વસતિમાં જ શ્રાવક, સામાયિકને પ્રાયઃ સ્વીકારે. તેથી કહ્યું કે શ્રમણની વસતિમાં બેસીને, કંઇ • વસ્ત્ર આદિ, ઘરની કે ઉપાશ્રયની વસ્તુ, લઈ જાય. જો તે શ્રાવક, તે પહત ભાંડને સામાયિક પરિસમાપ્તિ પછી શોધે તો પોતાના ભાંડ શોધે કે બીજાના ? પ્રસ્ત આ છે - સામાયિક કરનારને તે ભાંડ પોતાના કહેવાય કે પરિગ્રહના પ્રત્યાખ્યાનથી પોતાના ન કહેવાય ? ઉત્તર છે – “સ્વભાંડ. તેણે વિવક્ષિત યથાયોપશમ ગૃહીત એ અર્થ છે. શીત - શીલવત, અણુવત. ગુગ - ગુણવંત, વિરમUT - રાગાદિ વિરતિ, પ્રત્યારણ્યાન - નમસ્કાર સહિતાદિ. પૌપોપવાસ - પર્વ દિવસે ઉપવસન. આ શીલવતાદિના ગ્રહણ છતાં, સાવધયોગ વિરતિથી વિરમણ શબ્દના સ્વીકારથી તે જ પરિગ્રહના અપરિગ્રહ નિમિતથી ભાંડની અભાંડતા થવાના હેતુથી, તે અપહત ભાંડ, અભાંડ થાય, તેમ વ્યવહાર કરવો. થાડુ • વળી, 1 - અર્થ વડે, હેતુથી. એવા મનોપરિણામ થાય છે. હિરણ્યાદિ પરિગ્રહના દ્વિવિધ-ત્રિવિધે પ્રત્યાખ્યાન હોવાથી. ઉકત-અનુકત અર્થના સંગ્રહ માટે કહે છે - ઘન - ગણિમાદિ કે ગાય આદિ, 7 - કર્કીતનાદિ, fr - ચંદ્રકાંતાદિ, પ્રવાત - વિઠ્ઠમ અથવા શિની - મુક્તાશિલાદિ, વત્તર ત - પારાગાદિ, જેને વિપુલ ધન આદિ છે તે તથા વિધમાન પ્રધાન દ્રવ્ય છે તે. - - હવે જો ભાંડ, અભાંડ થાય તો સ્વકીય માંડ શોધે છે, તેમ કેમ કહ્યું? પરિગ્રહાદિ વિષયના મમત્વભાવથી. કેમકે તેણે મન-વચન-કાયાથી કરવું-કરાવવુંના જ પચ્ચકખાણ કર્યા
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy