SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૮|-|૨/૩૯૩ કેવલજ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે નિયમા બે અજ્ઞાનવાળા છે. એકેન્દ્રિયોને સમ્યગ્દર્શન અને વિભંગનો અભાવ છે. - - સ્પર્શનેન્દ્રિય લબ્ધિકને કેવળ સિવાયના ચાર જ્ઞાનની ભજના. અજ્ઞાન ત્રણ તેમજ છે. સ્પર્શનેન્દ્રિય અલબ્ધિક તે કેવલી જ છે. ઈન્દ્રિય લબ્ધિ-અલબ્ધિવાળા પણ એમજ છે. - - ઉપયોગ દ્વારે – • સૂત્ર-૩૯૪ : ભગવન્ ! સાકારોપયુત જીવો જ્ઞાની, અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાન સાકાર ઉપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની ? ચાર જ્ઞાન ભજનાએ. એ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુક્ત જીવો પણ કહેવા. - - અવધિજ્ઞાનસાકાર ઉપયુક્ત જીવો અવધિજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - મનઃપ્રવિજ્ઞાન સાકારોપયુક્ત જીવો, મનઃવજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - કેવલજ્ઞાન સાકારોપયુકત જીવો કેવલજ્ઞાન લબ્ધિકવત્ જાણવા મતિજ્ઞાન સાકારોપયુક્ત જીવોને ત્રણએ અજ્ઞાન ભજનાઓ છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુક્ત, વિભંગજ્ઞાન સાકાર જાણવા. ભગવન્ ! અનાકારોપયુક્ત જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. એ રીતે ચક્ષુદર્શન-અક્ષુદર્શન અનાકારોપયુક્ત પણ જાણવા, વિશેષ આ - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવધિદર્શન અનાકારોપયુક્તની પૃચ્છા – ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને. જે જ્ઞાની છે તેમાં કોઈ ત્રિજ્ઞાની, કોઈ તુજ્ઞનિી છે જે ત્રિજ્ઞાની છે તે પહેલા ત્રણ જ્ઞાનવાળા છે અને ચતુર્ગાની છે તે પહેલા ચાર જ્ઞાનવાળા છે. જ્ઞાની છે તે નિયમા ત્રણે જ્ઞાનવાળા છે. કેવલદર્શન અનાકારોપયુક્ત કેવળજ્ઞાન લબ્ધિવત્ જાણવા. ભગવન્! સયોગી જીવી જ્ઞાની કે અજ્ઞાન? સકાયિકવત્ જાણવા. એ પ્રમાણે મન-વચન-કાયયોગી પણ જાણવા. અયોગી, સિદ્ધવત્ જાણવી. - - ભગવન્ લેશ્યાવાળા? કાયિકવત્ કૃષ્ણાદિ લેશ્યાવાળા માફક જાણવા. અલેશી, સિદ્ધવત્ સકષાયી જીવો સઈન્દ્રિયવત્ જાણવા, યાવત્ લોભ કષાયી. અકષાયી જીવો ? પાંચ જ્ઞાન ભજનાઓ સવેદી જીવો ? ઈન્દ્રિય વ. એ રીતે સ્ત્રીપુરુષ-નપુંસક વેદી પણ જાણવા. ** અવેદક જીવો ? અકષાીવત્ આહારક જીવો? કષાયીવત્ વિશેષ એ કે તેમાં કેવલજ્ઞાની પણ હોય. ભગવત્ અણાહારક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? મનઃપતિ સિવાયના ચાર જ્ઞાનો અને ત્રણ જ્ઞાન ભજનાઓ. -- ૧૬૭ - - • વિવેચન-૩૯૪ : આર્િ - વિશેષ તે સહિત જે બોધ, તે સાકાર અર્થાત્ વિશેષ ગ્રાહક બોધ. તેમાં ઉપયોગવાળા તે સાકારોપયુક્ત. તેમાં જ્ઞાની, પાંચ જ્ઞાન ભજનાવાળા છે - કદાચ બે કે ત્રણ કે ચાર કે એક. અહીં જે કદાચ એક કે બે આદિ કહ્યું, તે લબ્ધિને આશ્રીને છે. ઉપયોગાપેક્ષાએ તો એક વખતે એક જ જ્ઞાન કે અજ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણે જ્ઞાન ભજનાએ હોય. - - હવે સાકારોપયોગ ભેદને કહે છે – તેમાં અવધિજ્ઞાન સાકારોપયુક્ત, તે અવધિજ્ઞાનલબ્ધિક માફક છે, જે પૂર્વે ૧૬૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહ્યા છે. તેમાં ત્રણ જ્ઞાનવાળા પહેલાં ત્રણ જ્ઞાનયુક્ત અને ચતુર્ગાની, પહેલા ચાર જ્ઞાનયુક્ત કહેવા. મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં મિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનયુક્ત હોય, ચતુર્ગાની આધ ચાર જ્ઞાનયુક્ત. જેમાં આકાર વિધમાન નથી, તે અનાકાર - દર્શન, તેનાથી યુક્ત જ છે તે. તેમાં જ્ઞાની છે, તે લબ્ધિ અપેક્ષાએ પાંચ જ્ઞા ભજનાએ, અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. જેમ અનાકારોપયુક્ત જ્ઞની, અજ્ઞાની કહ્યા, તે પ્રમાણે ચક્ષુદર્શનાદિ ઉપયુક્ત પણ કહેવા. વિશેષ એ કે ચતુર્દર્શનેતર ઉપયુક્ત કેવલી ન હોય, તેમને ચાર જ્ઞાન ભજનાએ. યોગદ્વારમાં-સયોગીને સકાયિકવત્ કહ્યા. તેથી સયોગી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. એ રીતે મનોયોગી આદિ પણ કહેવા. કેવલીને પણ મનોયોગ આદિ હોય છે. તથા મિાદૃષ્ટિ મનોયોગાદિ વાળાને ત્રણ અજ્ઞાન હોય છે. અયોગી-એક કેવળજ્ઞાની છે. લેશ્યાદ્વારે - સલેશ્તી, સકાયિકવત્, ભજનાએ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કેહવા. કેવલીને પણ શુક્લ લેશ્યા સંભવે છે, તેથી. કૃષ્ણ લેશ્યાદિને સઈન્દ્રિયવત્ કહ્યા. તેમને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. શુક્લલેશ્તી, સલેીવત્ અર્થાત્ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે, - અલેશ્યી સિદ્ધવત્ જાણવા. - તેઓ એક જ્ઞાની છે. કષાયદ્વાર - સકષાયી, સઈન્દ્રિયવત્. પહેલા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ અકષાયીને પાંચ જ્ઞાન ભજનાએ. કેમ ? છાસ્ય વીતરાગ અને કેવલી અકષાયી, તેમાં છાસ્થવીતરાગને પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અને કેવલિને પાંચમું છે - - હવે વેદદ્વાર - સવેદીને સઈન્દ્રિયવત્ કહ્યા. કેવલ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. અવેદી અકષાયીવત્, ભજનાએ પાંચ જ્ઞાન કહેવા. કેમકે અનિવૃત્તિ બાદરાદિવાળા અવેદક હોય છે. તેમને ચાર જ્ઞાન ભજનાએ. આહારકદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. વિશેષ આ - કેવલી પણ આહારક હોય. - ૪ - કેવલિ સમુદ્દાત, શૈલેશી અવસ્થામાં અનાહાસ્ક હોય છે. - x - - - હવે જ્ઞાનગોચરદ્વાર કહે છે – - સૂગ-૩૯૫,૩૯૬ -- [૩૫] ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યોને જાણે, જુએ. ક્ષેત્રથી તે સર્વક્ષેત્રને જાણે, જુએ. એ પ્રમાણે કાળથી અને ભાવથી પણ જાણવું. ભગવન્ ! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વે દ્રવ્યો જાણે, જુએ. એ પ્રમાણે ક્ષેત્ર અને કાળથી પણ જાણવું. ભાવથી ઉપયુક્ત સર્વ ભાવ જાણે, જુએ.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy