SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૦૩ થી ૯૧૭ ૧૬૫ બે પ્રદેશ પછી તેના વડે વધતી ગાડાની ઉધના જેવા આકારવાળી મહાદિશા ચાર જ છે. એક પ્રદેશની શરૂઆતવાળી, અનુત્તરા મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરૂઆતવાળી અનુત્તર એવી ઉtઈ અને ધો બે દિશા ઉત્પન્ન થાય છે.. [૧] ઈન્દ્ર છે દેવતા જેણીનો તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયી, ચામ્યા ઇત્યાદિ, તિમિરરહિત હોવાથી ઉદર્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકારયુકતપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધોદિશાનું નામ તમા છે. [૧૧] તળાવ આદિમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, ગોતીર્થની જેમ. ગોતીર્થઅવતારવાળી ભૂમિ, તેથી રહિત તે સમભૂમિ. આ ભૂમિ ૯૫,ooo યોજના પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થભૂમિને છોડીને મધ્યમાં હોય છે. ઉદકની શિખા-વેલા, ૧૦,૦૦૦ યોજન વિઠંભથી છે, ઉંચાણે ૧૬,૦૦૦ યોજન છે. સમુદ્રની મધ્ય ભાગથી જ ઉઠેલ છે. બધી પણ પૂર્વદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે મહાપાતાળ કળશો-વલયામુખ, કેઉર, જયક, ઈશ્વર નામે ચોથા સ્થાનમાં કહેલ છે. ક્ષુલ્લક પાતાળ કળશોના નિષેધ માટે મહાશબ્દનું ગ્રહણ છે. - X એક લાખ યોજનના ઉદ્વેધ વડે છે. મૂલ-તળીયામાં ૧૦,૦૦૦ યોજન, મધ્ય એક લાખ. કેવી રીતે ? મૂલના વિાકંભથી બંને પડખે એક એક પ્રદેશની વૃદ્ધિથી વિસ્તાર પામતાં કળશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે, તે વડે. • x• x• મુખમૂલ-મુખપદેશમાં. - ભીંતો, વજમય છે, ૮૮૪ આ સંખ્યામાં ાલક પાતાળ કલશો, મહાપાતાળ કલશ અપેક્ષાઓ છેતે પિંડાઈ અને મધ્યના વિકંભથી, ૧૦00 યોજન તથા ૧૦૦ યોજન છે. ૯િ૧૨] ધાતકી ખંડમાં પૂર્વ-પશ્ચિમનો મેર, સૂઝ સિદ્ધ સ્વરૂપ છે. વિશેષ એ કે - ધાતકી ખંડદ્વીપમાં બંને મેરુ ૮૪,000 યોજન ઉંચા અને 1000 યોજન જમીનમાં ઉંડા છે, શિખરે પહોળા છે. મૂળમાં ૫૦૦ યોજન પહોળા અને સપાટી ઉપર ૯૪oo યોજન પહોળા છે. ૯૧૩,૯૧૪] બધાં વૃત વૈતાઢ્ય પર્વતો વીશ છે, તે પ્રત્યેક પાંચ-પાંચ હૈમવત, હૈરાયવત, હરિવર્ષ, રમ્ય વર્ધક્ષેત્રમાં શબ્દાવતી, વિકસાવતી, ગંધાવતી, માલવપર્યાય નામથી છે. વૃત શબ્દનું ગ્રહણ દીધ વૈતાદ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. [૧૫] માનુણોતર પર્વત ચકવાલ પ્રસિદ્ધ છે. [૯૧૬ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યે રહેલા સોળ પર્વતો છે. તિકર પર્વતો નંદીશ્વર દ્વીપમાં ચારે વિદિશામાં છે. | [૧૩] રુચક પર્વત ચક નામક તેરમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કુંડલ નામે અગ્યારમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત, ઉદ્વેધ, મલ કિંમ, ઉપરી વિઠંભથી ચકવર પર્વત સમાન છે. દ્વીપસાગર પ્રજ્ઞાતિમાં કહ્યું છે • ૧૦૨૨ યોજન મૂલમાં વિસ્તૃત અને શિખરે ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો ૧૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વિસ્તૃત છે. રુચક પર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે - મૂલમાં વિઠંભ ૧૦૦૨૨ યોજન અને શિખરે ૪૦૨૪ યોજન વિસ્તૃત છે - ગણિતાનુયોગ કહો, હવે દ્રવ્યાનુયોગ • સૂત્ર-૯૧૮ : દ્રવ્યાનુયોગ દશ ભેદે કહ્યું છે, તે આ છે - દ્રવ્યાનુયોગ, માતૃકાનુયોગ, એકાર્થિકાનુયોગ, કરણાનુયોગ, અર્પિતાનર્પિત, ભાવિતાભાવિત, ભાહા-આભાઇ, શાતાશાશ્વત, તથાજ્ઞાન, અતથા જ્ઞાન. વિવેચન-૯૧૮ : અનુયોજન-સૂરનો અર્થ સાથે સંબંધ કરવો અથવા અનુરૂપ કે અનુકૂલ યોગ-સૂમના અભિધેય અર્થ પ્રતિ વ્યાપાર તે અનુયોગ એટલે વ્યાખ્યાન, વ્યાખ્યય ભેદથી તે ચાર પ્રકારે છે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ. તેમાં (૧) દ્રવ્યાનુયોગ-જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય છે. રાવત તે તે પયયોને પામે છે અથવા દૂતે - તે તે પર્યાયિો વડે શ્રવે છે. દ્રવ્ય - ગુણ પયયવાળો પદાર્થ. તેમાં જીવમાં સહભાવિત લક્ષણ-જ્ઞાનાદિ ગુણો છે, તેના સિવાય જીવ કદાપિ ન સંભવે. જીવવની હાનિ થવાથી તથા માનુષત્વ, બાલવાદિ કાલકૃત અવસ્થા લક્ષણો તેમાં છે જ. આથી ગુણપર્યાયવાળું આ દ્રવ્ય આદિ તે દ્રવ્યાનુયોગ. ૨-માતૃકાનુયોગ-માતૃકાની જેમ માતૃકા-પ્રવચન પુરુષની માતા ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણ પદગયી, તેણીનો અનુયોગ. જેમ-ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમકે બાલ્યાદિ પયયોની પ્રતિક્ષાણમાં ઉત્પત્તિ દેખવાથી અને અનુત્પતિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની પ્રાપ્તિનો પ્રસંગથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવ દ્રવ્ય છે, કેમકે પ્રતિક્ષણે બાલ્યાદિ અવસ્થાનો વ્યય જોવાથી, અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજસપણું જ થશે. જો સર્વથા ઉત્પાદ, વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ રીતે ધુવ ન થાય, ત્યારે અકૃત-આગમ, કૃત-વિનાશની પ્રાપ્તિ થશે. પૂર્વ દષ્ટ અનુસ્મરણ, અભિલાષાદિ ભાવનો અભાવ થશે. સમસ્ત આલોક-પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું ધ્રુવપણું છે. • x - એ માતૃકાનુયોગ છે. ૩-એકાચિંકાનુયોગ-એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે જેઓને છે તે યોકાર્થિક-શબ્દો, તે વડે અનુયોગ-તેનું કથન તે એકાર્દિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રતિ જીવ, પ્રાણી, ભૂત, સત્વ અથવા એકાયિકોનો જે અનુયોગ, જેમ પ્રાણ ધારણથી જીવ, ઉચ્છવાસાદિના અસ્તિતત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત, સદા હોવાપણાથી સત્વ ઇત્યાદિ. ૪-કરણાનુયોગ-જેઓના વડે કરાય તે કરણ, તેનો અનુયોગ. તે આ-કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ-સ્વભાવ-નિયતિ-પૂર્વકૃત છે, પણ એકાકી જીવ કંઈ કરવા શક્તિમાન નથી અથવા માટી દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને દંડાદિક કરણકલાપ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી ન શકે માટે તેના કારણો છે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy