SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૬૦ કિંચિત્ વિશેષણ વડે આવા પ્રકારના અન્ય જ્ઞાતભેદો પણ સંભવે છે, પણ તે વિવક્ષિત નથી. ૧૧૧ હવે જ્ઞાત પછી દૃષ્ટાંતવાળા હેતુને સાધ્ય સિદ્ધિનું અંગ હોવાથી તેના ભેદોને 'ડ' ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ આ - દિનોતિ - ફોય વસ્તુને જણાવે છે માટે હેતુ, અન્યથા અનુપપત્તિ લક્ષણરૂપ છે. કહ્યું છે કે - અન્યથા હેતુનું અનુપપત્તિરૂપ લક્ષણ કહેલ છે તેની પ્રસિદ્ધિ, સંદેહ અને વિપર્યાસ વડે હેત્વાભાસપણું કહેલ છે. પૂર્વે કહેલ હેતુ પ્રશ્નના ઉત્તરરૂપ ઉપપત્તિ માત્ર છે અને આ હેતુ તો સાધ્ય પ્રત્યે અન્વય-વ્યતિરેકવાળો છે. તથાવિધ દૃષ્ટાંત વડે તદ્ભાવનું સ્મરણ થાય છે, તે એક લક્ષણવાળો છે, પણ વિશેષથી ચાર ભેદે છે. યાપક - વાદીને કાળનો વિલંબ કરાવે છે, જેમ કોઈ અસતી સ્ત્રી એકૈક રૂપિયા વડે એકેક ઉંટનું લીંડુ દેવું એમ કહી મોકલે, તે ઉપાય વડે પોતે કોઈ વિટ પુરુષની સેવામાં કાળયાપન કરતી હતી. તે યાપક હેતુ. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ છે - પ્રતિવાદીને જાણીને તેવા તેવા વિશેષણ બહુલ હેતુ કરવા યોગ્ય છે કે જેથી કાળની ચાપના થાય છે - X -. તે સંભાવના આવા પ્રકારે છે - પવનો સચેતન છે, બીજાથી પ્રેરાઈને તિર્થ્રો અને અનિયતપણે ગોશરીવત્ ગતિમાન હોય છે. આ હેતુ, વિશેષણ બહુલતાથી બીજાને દુરધિગમત્વથી વાદીને કાળની યાપના કરે છે. હેતુના સ્વરૂપને ન જાણતો વાદી જલ્દીથી અનૈકાંતિકત્વાદિ દૂષણો પ્રગટ કરવા સમર્થ થતો નથી, માટે આ હેતુથી વાદીને કાળયાપના થાય છે. અથવા વ્યાપ્તિની પ્રતીતિ ન થવા વડે વ્યાપ્તિ સાધક પ્રમાણાંતરની વિશેષાપેક્ષા સહિત હોવાથી વાદી જલ્દીથી સાધ્યની પ્રતીતિ કરતો નથી પણ કાલોપ થાય છે. આ હેતુ સાધ્યની પ્રતીતિ પ્રત્યે વિલંબ કરાવતો હોવાથી યાપક છે - ૪ - ૪ - ઇત્યાદિ. સ્થાપતિ - વ્યાપ્તિ પ્રસિદ્ધ હોવાથી કાલક્ષેપ વિના પક્ષનું સમર્થન કરે છે. જેમ કોઈ ધૂર્વ પરિવ્રાજક એમ કહે કે - લોકના મધ્યભાગે આપેલ બહું ફળવાળું થાય છે, તે મધ્યભાગને હું જ જાણું છું, એમ માયા વડે દરેક ગામમાં ભિન્ન ભિન્ન લોકના મધ્યભાગને પ્રરૂપતો હતો. તેનો નિગ્રહ કરવા માટે કોઈક શ્રાવકે કહ્યું કે - લોકના મધ્યભાગનું એકપણું હોવાથી ઘણા ગામોમાં તેનો સંભવ કેવી રીતે હોય ? આ રીતે યુક્તિથી તારા વડે બતાવેલ ભૂલોકનો મધ્યભાગ થતો નથી. આ પ્રમાણે પક્ષનું સ્થાપન કર્યું માટે સ્થાપક હેતુ છે. - x - ધૂમ હોવાથી અહીં અગ્નિ છે વળી દ્રવ્ય અને પર્યાયથી વસ્તુ નિત્યાનિત્ય છે, તે પ્રતીયમાનત્વથી આ બે હેતુની પ્રસિદ્ધ વ્યાપ્તિ વડે કાલક્ષેપ વિના સાધ્યના સ્થાપનથી સ્થાપકપણું છે. - તથા - વ્યંતિ - બીજાને જે વ્યામોહ ઉત્પન્ન કરે છે તે શકટ અને તીતને ગ્રહણ કરનાર ધૂર્તની જેમ યંસક છે. કોઈ પુરુષ માર્ગમાં મળેલ મૃત તીતરયુક્ત શટ વડે નગરમાં પ્રવેશ કર્યો. ધૂર્તે કહ્યું - શકટતિતરી કેમ મળે છે ? તે પુરુષે આ શકટ સંબંધી તીતર માગે છે એમ વિચારી કહ્યું - પાણી આદિથી મસળેલ સાથવા વડે મળે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે. ધૂર્તે સાક્ષીને બોલાવી તીતરસહિત શકટને ગ્રહણ કર્યુ. - x - કહ્યું કે મેં તો શકટ સહિત તીતર તે શકટતિતરી ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે બનવાથી ગાડાવાળો ખેદ પામ્યો. એ રીતે જીવ છે, ઘટ છે, એમ સ્વીકાર કરતા જીવ અને ઘટને વિશે અસ્તિતત્વ સમાનપણે વર્તે છે, તેથી તે બંનેનું એકપણું થયું. અભિન્ન શબ્દનો વિષય હોવાથી વ્યંસક હેતુ. વળી અસ્તિતત્વ જીવાદિમાં વર્તતું નથી, તેથી જીવાદિનો અભાવ થાય, કેમકે અસ્તિત્વનો અભાવ હોવાથી વ્યંસક હેતુ છે - x - તથા સ્નૂસન - વ્યંસક વડે પ્રાપ્ત થયેલ અનિષ્ટ ચોરે છે અર્થાત્ ગયેલ વસ્તુને પાછી મેળવે છે તે લૂષકહેતુ. તે જ ગાડાવાળાએ જેમ બીજા તે તેને શીખવ્યું ત્યારે તે ધૂર્ત પાસે જઈને માંગ્યુ કે મને “તર્પણાલોડિકા' આપ. ત્યારે તે ધૂર્તે પોતાની સ્ત્રીને કહ્યું આને સત્પુ મસળેલ પિંડ આપ, તેમ કરતી એવી તેની પત્નીને લઈ તે ચાલતો થયો અને ધૂર્તને કહ્યું કે - આ સ્ત્રી મારી છે કેમકે સત્પુ વડે જે મસળે છે તે તર્પણાલોડિકા છે અને તે તેં જ આપેલ છે. કેમકે અસ્તિતત્વની વૃત્તિ વડે જીવ અને ઘટને વિશે તું એકત્વની સંભાવના કરે છે ત્યારે સર્વે ભાવોનું એકત્વ થશે - x - પણ એમ થતું નથી. અહીં અસ્તિત્વવૃત્તિની સમાનતાથી આ લૂષક હેતુ છે - ૪ - X ૧૧૨ પ્રકારાંતર વડે હેતુને જણાવનાર વિકલ્પ અર્થવાળો ‘અથવા’ શબ્દ છે. નોતિ - પ્રમેયરૂપ પદાર્થને જે જણાવે છે તે હેતુ - પ્રમેયની પ્રમિતિમાં જે કારણ તે પ્રમાણ. તે સ્વરૂપાદિ ચાર ભેદે છે. તેમાં અર્થો પ્રત્યે જે વ્યાપ્ત થાય તે અક્ષ-આત્મા, તે પ્રત્યે જે જ્ઞાન વર્તે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. તે નિશ્ચયથી અવધિ, મન:પર્યાય, કેવલરૂપ છે. અથવા ક્ષક્ષ - ઇન્દ્રિયો પ્રત્યે જે જ્ઞાન વર્તે છે, તે વ્યવહારથી પ્રત્યક્ષ છે. તે ચક્ષુ વગેરેથી થયેલું છે. તેનું લક્ષણ - પદાર્થનું અપરોક્ષતાથી ગ્રહણ કરનાર જે જ્ઞાન તે પ્રત્યક્ષ અને ઇન્દ્રિયો વડે ગ્રહણની અપેક્ષાએ પરોક્ષ જાણવું. અનુ - લિંગ દર્શન અને સંબંધ અનુસ્મરણ પછી માન - જે જ્ઞાન તે અનુમાન છે. તેનું લક્ષણ - સાધ્ય વિના હેતુથી ન થનાર અને સાધ્યનો નિશ્ચય કરાવનાર અનુમાન છે, પ્રમાણ હોવાથી પ્રત્યક્ષ માફક ભ્રાંતિરહિત છે. આ સાધ્ય વિના ન થનાર હેતુથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી હેતુ છે. ઉપમાન તે ઉપમા, તે જ ઉપમ્ય. રોઝ જેવો આ બળદ છે, એ સાદૃશ્ય નિર્ણયરૂપ છે. કોઈ બળદને જોઈને જંગલમાં ઘણા અવયવોની સમાનતા ધારણ કરનાર અને ગોળ કંઠવાળા અન્ય રોઝને જ્યારે જુએ છે ત્યારે તે જ અવસ્થામાં આ પશુના જેવો આ બળદ છે, એવું જે જ્ઞાન તે ઉપમાન છે. અથવા સાંભળેલ અતિદેશ વાક્ય સમાન અર્થની પ્રાપ્તિ વિશે સંજ્ઞા-સંજ્ઞી સંબંધનું જે જ્ઞાન તે ઉપમાન કહેવાય. જેના વડે પદાર્થો જણાય તે આગમ - આપ્તવચનથી સંપાધ વિપ્રકૃષ્ટ અર્થ પ્રત્યય. કહ્યું છે - તત્વગ્રાહિતાથી ઉત્પન્ન દૃષ્ટબાધ-ઇષ્ટબાધરહિત તેમજ પરમાર્થને કહેનાર વાક્ય વડે થતું જે જ્ઞાન તે શાબ્દ પ્રમાણ છે. આપ્તપુરુષે કહેલ અનુલ્લંઘ્ય,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy