SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૪૨ • વિવેચન-૩૪ર : સૂત્ર સરળ છે. વિશેષ આ - થાન - ગાડા આદિ, તે બળદ આદિથી યુક્ત, વળી સમગ્ર સામગ્રી સહિત અથવા પૂવપિર કાલ અપેક્ષાએ જોડેલું. બીજું બળદથી જોડેલ પણ સામગ્રીથી નહીં, એ રીતે.. પુરુષ પણ ધનાદિ વડે યુક્ત અને ઉચિત અનુષ્ઠાનથી યુક્ત અથવા પહેલા પણ ધન અને ધમનુષ્ઠાનાદિથી યુક્ત અને પછી પણ યુક્ત, તે રીતે ચતુર્ભગી. અથવા દ્રવ્યલિંગથી યુક્ત અને ભાવલિંગથી યુક્ત તે પ્રથમ સાધુ, દ્રવ્યલિંગથી યુક્ત ભાવથી નહીં તે નિકુવાદિ, દ્રવ્યલિંગથી નહીં પણ ભાવલિંગ યુક્ત તે પ્રત્યેક બુદ્ધાદિ, ઉભયવિયુક્ત તે ગૃહસ્થાદિ. બળદ વડે યુક્ત અને યુક્ત પરિણત સામગ્રી વડે પ્રથમ રહિત થઈ યુક્તપણે પરિણત પુર્ષ પૂર્વવતુ જાણવો.. યુક્તરૂપ - સંગત સ્વભાવી કે પ્રશસ્ત યુકત તે યુકતરૂપ, પુરષ પહો ઘનાદિ અથવા જ્ઞાનાદિથી યુકત અને યુકતરૂપ તે ઉચિત વેષ.. યુક્ત પૂર્વવતુ અને શોભે છે કે જેની શોભા છે તે યુત શોભા, પુરુષ તો ગુણ વડે યુક્ત અને જેની શોભા ઉચિત છે તે યુક્ત શોભ. - શ્વાદિ વાહન અથવા ગૌડદેશમાં ચોસ બે હાથ પ્રમાણ અને વેદિકા સહિત તે યુમ્યક કહેવાય છે, તે વડે યુક્ત બેસવાની સામગ્રી વડે » પલાણસહિત, વળી વેગાદિથી યુક્ત, એ રીતે ચાનની જેમ વ્યાખ્યા કરવી. પ્રતિપક્ષ - દાષ્ટબ્લિક તેમજ જાણવું. તે કોણ ? - પુરુષના પ્રકારો પરિણત, રૂપ અને શોભા સૂત્રો વડે પ્રતિપક્ષસહ ચૌભંગી કહેવી. તે શોભા સૂત્રની ચતુર્ભાગી પર્યક્ત કહેવું . સાઉથ • ખેડનાર, ગાડામાં બળદાદિને જોડનાર પણ છોડનાર નહીં * * * એમ શેષ ભંગ પણ જાણવા. વિશેષ એ કે ચોથો ખેડે છે. અથવા ગાડા આદિને જોતરવાની તૈયારી કરનાર પ્રત્યે જોડાવનાર તે યોજાપયિતા અને છોડનારાને જે પ્રેરણા કરનાર તે વિયોકાપયિતા. લોકોત્તર પુરષ વિવક્ષામાં સાચી માફક સંયમ યોગમાં સાધને પ્રવતવનાર તે યોજયિતા, અનચિતથી અટકાવનાર તે વિયોજયિતા. યાન સૂર્ણ માફક ઘોડા, હાથીના સૂત્રો જાણવા... અશ્ચાદિનું વહન થતુ ગમન - ૪ - એક યુગ્ય માર્ગમાં જનાર હોય છે, ઉન્માર્ગમાં નહીં આદિ ચૌભંગી. અહીં વાહનની ગતિ વડે જ નિર્દેશમાં ચતુર્વિધપણે કહેલ હોવાથી તેની ચયનિ ઉદ્દેશ વડે યુક્ત ચાતુર્વિઘમ જાણવું. ભાવયુગ્ય પક્ષે મુખ્ય • સંયમ યોગનો ભાર વહન કરનાર સાધુ. માર્ગમાં જનાર તે અપમત્ત મુનિ, ઉન્માર્ગે જનાર તે દ્રવ્યલિંગી, બંનેમાં જનાર તે પ્રમત અને ચોથા ભંગે સિદ્ધ છે. ક્રમશઃ સત - સત્ ઉભય - અનુભય અનુષ્ઠાનવાળા હોવાથી અથવા પથ-ઉત્પથનું સ્વસમય-પરસમય હોવાથી અને થાય શબ્દનો ગતિરૂપ અર્થ વડે બોધ પર્યાયથી • x - ચતુર્ભગી છે. એક પુષ્પ રૂપવાનું કે સુંદર આકાર યુક્ત છે, ગંધ સંપન્ન નથી - આવળના ફૂલની જેમ, બીજું બકુલ જેવું, બીજું જાઈ જેવું, ચોયું બોરડીના પુષ્પ જેવું.. પુરુષ રૂપાળો કે સુવિહિતરૂપ યુક્ત, જાતિ, કુલ, બળ, રૂપ, બૃત, શીલ, ચારિત્ર એ સાત સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદ સાથે દ્વિસંયોગી એકવીશ ચૌભંગી કરવી સુગમ છે. આમળા જેમ મધુર કે આમળો જ મધુર તે આમલકમધુર. - દ્રાક્ષ, તેની જેમ કે તે જ મધુર તે મૃઢીકામધુર, એ રીતે ક્ષીરવત્, ખંડવતું. આ ક્રમથી થોડું - બહુ • બહુતર - બહુતમ મધુર છે. જે આચાર્યો થોડા - બહુ - બહુતર - બહુતમ ઉપશમાદિ ગુણરૂપ મધુરતાવાળા છે, તેનું સામ્ય કહ્યું. પોતાની વૈયાવચ્ચ કરનાર તે આળસુ કે વિસંભોગી સાધુ, અન્યની વૈયાવચ્ચે કરનાર તે સ્વાર્થનિરપેક્ષ, સ્વ-પર વૈયાવચ્ચી તે સ્થવિકલ્પી, બંને પ્રકારથી નિવૃત્ત તે અનશનાદિ સ્વીકારેલ મુનિ... નિસ્પૃહ હોવાથી વૈયાવચ્ચ કરે જ છે, આચાર્ય કે ગ્લાનપણાને લઈને વૈયાવચ ઇચ્છે જ છે, કરે છે અને એ પણ છે તે સ્થવિર વિશેષ, બંનેથી નિવૃત્ત - જિનકલ્પી. અજર - દિગ્યામાદિને વિશે રાજાદિને હિતાહિત પ્રાપ્તિ-પરિહારના અનિ તથાવિધ ઉપદેશથી જે કરે તે અર્થકર-મંત્રી કે નૈમિત્તિક, તેઓ અર્થકર છે પણ માન કરતા નથી. “હું વણપૂછ્યું કેમ કહું ?” એમ માન કરતા નથી એ પ્રથમ, બીજા ત્રણ ભાંગા સુગમ હોવાથી જાણી લેવા. અહીં વ્યવહાર ભાષ્યની ગાથા છે - ચામાવિષયમાં રાજાએ પૂછેલ હોય કે ન પૂછેલ હોય તો પણ શુભાશુભને કહે, ત્રીજો ભંગ પૂછતા કહે, બીજો-ચોથો નિષ્ફળ છે. ગણ-સાધુ સમુદાયના કાર્યો કરે, તે ગણાર્યકર-આહારાદિથી સહાય કરે પણ પ્રાર્થનાની અપેક્ષાવાળો ન હોવાથી માન ન કરે. આ રીતે બીજા ત્રણ ભંગ પણ જાણી લેવા. કહ્યું છે કે - આહાર, ઉપધિ, શય્યાદિથી ગચ્છને મદદ કરે છે પણ માન ન કરે, બીજો મદદ ન કરે પણ માન કરે, ત્રીજો બંને કરે, ચોથો બંને ન કરે. અથવા હું ગચ્છનો કાર્ય કરનાર છું એમ માન ન કરે. હમણાં જ ગચ્છનું કાર્ય કહ્યું તે સંગ્રહ. આહારાદિ અને જ્ઞાનાદિ વડે ગચ્છ સંબંધી સંગ્રહ કરે તે ગણસંગ્રહકર. શેષ પૂર્વવતુ. કહ્યું છે - ગચ્છને માટે સંગ્રહ દ્રવ્ય અને ભાવથી બે ભેદે. તેમાં દ્રવ્યથી મહારાદિ અને ભાવથી જ્ઞાનાદિ. - x • પણ માન કરતો નથી. ગ૭ને નિર્દોષ સાધુસામાચારીમાં પ્રવર્તાવીને અથવા વાદી, ધર્મકથી, નૈમિતિક, વિધા અને સિદ્ધાદિપણાથી ગ9ની શોભા કરવાના શીલવાળો ગણ શોભાકર છે. પણ માનકર નથી, કેમકે પ્રાર્થનાનો અભિલાષી નથી, અથવા મદનો અભાવ છે...ગણને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કરે તે ગણશોધિકર અથવા આહારાદિને વિશે દોષની શંકા થતાં ગૃહસ્થ કુળમાં જઈને જે આહારની શુદ્ધિ કરે તે પ્રયમપુરષ, જે માનથી શદ્ધિ માટે જતો નથી તે દ્વિતીય, ગૃહસ્થની પ્રાર્થનાથી જે જાય તે તૃતીય અને જે પ્રાર્થનાને ઇચ્છતો નથી અને જતો નથી તે ચતુર્થ. રૂપ-સાધુવેશ, તેને કારણવશ છોડે પણ ચાઅિલક્ષણ ધર્મને ન છોડે છે - બોટિકમતમાં રહેલ મુનિવ૮, બીજા ધર્મને છોડે પણ વેશને નહીં તે નિલવ જેવો, બીજો બંનેને છોડે-દીક્ષા છોડનાર, બંનેને ન છોડે-સુસાધુવત્.. કોઈ જિનાજ્ઞાારૂપ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy