SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૦૯,૩૧૦ આલંબનપણું હોવાથી આચાર ઉલ્લંઘન થતું નથી, તેમાં પૂછવા યોગ્ય સાધુ, ગૃહસ્થના અભાવે, હે આયેં ! અમોને અહીંથી જવાને કયો માર્ગ છે ? ઇત્યાદિ ક્રમે માર્ગને પૂછતો, હે ધર્મશીલે ! તમારે જવાનો આ માર્ગ છે, ઇત્યાદિ ક્રમે માર્ગને દેખાડતો, હે ધર્મશીલે ! તું આ અશનાદિને ગ્રહણ કર એમ કહી આહારદિ આપતો, હે આયેં ! આ ઘર આદિમાં આવ, તારા માટે આહારાદિ અપાવું. એમ કહે. [૩૧] સમસ્કાયને તમ: ઇત્યાદિ શબ્દ વડે વ્યવહાર કરતો સાધુ યથાર્થપણે ભાષાસાને ઉલ્લંઘતો નથી. ત્રણે સૂત્ર સુગમ છે. વિશેષ આ • તપH: અકાય પરિણામરૂ૫ અંધકારનો સમૂહ તે તમસ્કાય, જે અસંખ્યાતતમ ચારણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન પર્યન્ત જઈને પાણીના ઉપરના ભાગથી એકાદેશિક શ્રેણી વડે તમસ્કાય નીકળીને ૧૭૨૧ યોજન ઉંચો જઈને, ત્યાંથી તિર્થો વિસ્તરતો સૌધર્માદિ ચાર દેવલોકને ઘેરીને ઉંચે પણ બ્રહ્મલોકના રિટ વિમાનuતર સુધી પહોંચે છે. તેના નામો એ જ નામધેયો છે. તમને તમારૂપ હોવાથી રૂપ પ્રદર્શનમાં તમ: કહેલ છે. તેમ સ્વરૂપને પહેલા ચાર નામો વિકસે છે. વળી બીજા ચાર નામો અત્યંત તમ સ્વરૂપ બતાવનારા છે. લોકમાં એ જ અંધકાર છે, બીજો નથી માટે લોકાંધકાર કહેલ છે. દેવોને પણ એ જ અંધકાર છે, કેમકે દેવોના શરીરની પ્રભાનો પણ ત્યાં પ્રકાશ પડતો નથી માટે દેવાંધકાર કહેલ છે. આ કારણે બલવાન્ દેવના ભયથી દેવો તમસ્કાયમાં નાશી જાય છે. અન્ય ચાર નામો કાર્યને આશ્રીને છે - વાયુને હણવાસી અર્ગલા, વાયુના પરિઘ માફક પરિઘ તે વાતપરિઘ, વાયુને પરિઘવતું ક્ષોભ કરે તે વાત પરિઘક્ષોભ અથવા વાયુ સ્વરૂપ જ પરિઘને જે રોકે, તે વાતપરિક્ષોભ અથવા વાયુરૂપ પરિઘને જે રોકે તે વાતપરિક્ષોભ. - ૪ - ક્યાંક દેવપરિઘ, દેવપરિક્ષોભ. આ નામો પ્રથમના બે પદના સ્થાનમાં કહેવાય છે. દેવોને અરણ્ય માફક બલવાના ભયથી નાશવાનું સ્થાન હોવાથી જે તમસ્કાય તે દેવારણ્ય છે. સાગર આદિ સંગ્રામના શૂહની જેમ દૂધિગમ્ય હોવાથી તે દેવભૂહ છે. તમાકાય સ્વરૂપ પ્રતિપાદન કરવા તમુકાયેu. સૂત્રનો અર્થ કહેલો છે, પણ સૌધર્માદિ કાને તે આવરીને રહેલ છે, કુકડાના પાંજરા આકારે સ્થિત છે, તેના પ્રતિપાદન માટે કહ્યું છે - હે ભગવન ! તમકાય કેવા આકારે છે ? હે ગૌતમ નીચે સરાવલાના મૂળના આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે છે. વયન પયય વડે મકાય કહ્યો, હવે અર્થપર્યાય વડે પુરુષ કહે છે. • સૂત્ર-૩૧૧ - ૧- ચાર ભેદ પુરો કહ્યા - સંપકટ પ્રતિસવી, પ્રચ્છન્ન પ્રતિસેવી, પ્રત્યુત્પન્ન નંદી, નિસ્સરણનંદી... - સેના ચાર ભેદ છે - જીતનારી પણ પરાજિત ન થનાર, પરાજિત થનાર પણ ન જીતનાર, જીતનારી અને પરાજય પામનારી, ને જીતનાર - ન પરાજિત થનાર... સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૩- આ પ્રમાણે ચાર ભેદે પુરો છે - જીતનાર પણ પરાજિત ન થનાર આદિ. ૪- ચાર ભેદે સેનાઓ કહી - જીતીને ફરી જીતનાર, જીતીને પરાજય પામનાર, પરાજય પામીને જીતનાર, પરાજય પામીને ફરી હારનાર.. ૫- એ પ્રમાણે ચાર ભેદે પુરુષો - જીતીને ફરી જિતનાર આદિ. • વિવેચન-૩૧૧ - સૂણો સુગમ છે. વિશેષ એ કે - કોઈ ગચ્છવાસી સાધુ સંપકટ-અગીતાર્થ આગળ મૂલગુણ - ઉત્તગુણોમાં અભિમાન કે કલા વડે દોષને સેવે તે સંપકટ પ્રતિસેવી, બીજો છાની રીતે દોષને સેવે છે તે પ્ર૭ પ્રતિસવી. ત્રીજો વસ્ત્ર અને શિષ્યાદિની પ્રાપ્તિ વડે કે શિષ્ય-આચાર્યાદિ રૂપે વૃદ્ધિ પામે તે પ્રત્યુત્પન્નનંદી અથવા આનંદ, લાભ વડે જે આનંદ પામે છે, તે પ્રત્યુત્પન્ન નંદી, તથા પ્રાદુર્ણક સાધુનો, શિષ્યાદિનો, પોતાનો ગચ્છાદિથી નિર્ગમન વડે જે આનંદ પામે તે નિઃસરણ નંદી, પાઠાંતરથી પ્રાપ્ત થાય તેમ સેવે, પણ અનુચિતને જુદો ન કરે તે પ્રત્યુત્પmોવી. એક સેના શગુના બલને જીતે, પણ બુ બલથી ન હારે, બીજી સેના બીજાથી હારનારી છે, તેથી જીતનારી નથી. બીજી કારણવશાત્ ઉભય સ્વભાવવાળી છે, ચોથી જીતવાની ઇચ્છાવાળી ન હોવાથી બંને નથી. પુપ - સાધુ, પરિપતોને જીતનાર તે જેતા, પણ તેથી પરાજય ન પામનાર. તે એક, બીજો કંડરીકવતુ, બીજો ક્યારેક જીતનાર, ક્યારેક કર્મવશાત હાસ્નારશૈલકરાજર્ષિવતુ, ચોથો તે નહીં ઉત્પન્ન થયેલ પરિષહવાળો. એક વખત શત્રુના બળને જીતીને ફરીથી જીતે તે પહેલી સેના ઇત્યાદિ મૂલાર્થ પ્રમાણે જાણવું... પુરુષના સંબંધમાં પરિષહાદિમાં આ રીતે વિચારવું. અહીં તાવથી તો કપાયો જ જીતવા યોગ્ય છે, તેનું સ્વરૂપ દર્શાવવા ક્રોધને આગળ કહેવાનો હોવાથી અહીં માયાદિ ત્રણ કષાયો કહે છે • સૂત્ર-૩૧૨ : ચાર ભેદ વસ્તુનું વક્રવ છે - વાંસના મૂલનું વકતવ, ઘેટાના શીંગડાનું વકત્વ, ગોમૂમનું વકત્વ, વાંસની છાલનું વકત્વ.. એ પ્રમાણે ચાર ભેદે માયા છે - dયમલ સમ વક યાવતું વાંસછાલ સમાન વકત્વ. વસમૂલ સમાન માયામાં પ્રવેશોલ જીવ કાળ કરીને નૈરયિકમાં ઉતપન્ન થાય છે, ઘેટાના શીંગડા સમાન માયાવાળો જીવ મરીને તિચિયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમૂત્ર સમાન માયાવાળો મરીને મનુષ્યમાં ઉપજે છે. વાંસની છાલ સમાન માયાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. - સ્તંભ ચર ભેદે છે - શૈવતંભ, અશિસ્તંભ, દાસ્તંભ અને નેતfભ, એ પ્રમાણે માન ચાર ભેદે છે - રૌલdભ સમ યાવતું નેતરસ્તંભ સમાન. રોલ સ્તંભ સમાન માનવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે ગાવત નેતર સ્તંભ સમાન માનવાળો જીવ મરીને દેવયોનિમાં ઉપજે છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy