SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦e ૨૬/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ “આદ્રકીય” છે. – x- x – x-x-x-x-x • ભૂમિકા : પાંચમું અધ્યયન કહીને હવે છઠું કહે છે. તેનો સંબંધ આ છે . ગત અધ્યયનમાં “આચાર'' અને અનાયારનો ત્યાગ બતાવ્યો. તે જેણે આચર્યો અને અનાયાસ છોડયો છે, તે હવે કહે છે : સાયવા ગત અધ્યયનમાં આયા-અનાચાર સ્વરૂપ બતાવ્યું, તે• x• જેણે પાળેલ છે, તેવા ટાંતરૂપ “આદ્રકકુમાર"ને કહે છે. અથવા અનાયાનું ફળ નાખીને સદાચારે પ્રયન કમ્પો, જે રીતે આર્વકકુમારે કર્યો. તે દર્શાવવા આ અધ્યયન છે, તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો જાણવા. તેમાં ઉપકમમાં અધિકાર આ છે - “આર્વકકુમાર'ની કથા. જેમ અભયકુમારે પ્રતિમા મોકલતા બોધ પામ્યો. તે બધું અહીં કહે છે નિફોપ ત્રણ પ્રકારે - ઓઘ નિફોપામાં અધ્યયન, નામ નિક્ષેપોમાં “આદ્રકીય” નામ છે. તેમાં “આ4'' પદનો નિક્ષેપો કહે છે [નિ.૧૮૪ થી ૧૮૯-] સંકલિત વૃજ્યનો સાર આ પ્રમાણે છે ‘આ4' શબદના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભેદથી ચાર નિક્ષેપા છે, તેમાં નામ, સ્થાપનાને છોડીને ભાદ્ધને કહે છે. દ્રવ્યાદ્ધ-બે રીતે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા હોય પણ ઉપયોગવાળો ન હોય. નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદુવ્યતિરિત એ ત્રણ ભેદવ્યતિરિકતમાં - જે પાણી વડે માટી આદિને ભીના કરીએ તે ઉદકાદ્ધ છે. જે બહારથી સુકું પણ અંદર ભીનું તે સાદ્ધ છે. જેમ શ્રીફળ. છવિઆદ્ર • સ્નિગ્ધ ચામડીવાળું દ્રવ્ય, જેમકે સાયુ મોતી વગેરે. વસાચબીથી લીપલ, બ્લેષાદ્ધ-વજવેપાદિથી લીધેલ, થાંભલો આદિ. ઉકત ઉદકાદિ પાંચે દ્રવ્યાદ્ધ છે. ભાવાર્ત-રાગ, સ્નેહાદિથી જે જીવદ્રવ્ય ભીંજાય તે ભાવાદ્ધ કહેવાય. હવે આર્તકુમાર'ને આશ્રીને બીજી રીતે દ્રવ્યાદ્ધ બતાવે છે - એક ભવમાં જે જીવ સ્વર્ગથી આવીને આદ્રકુમારપણે ઉત્પન્ન થશે, તે બદ્ધાયુક, અભિમુખ નામગોત્ર, અનંતર સમયે ‘આ4' નામે ઉત્પન્ન થનાર તે દ્રવ્યાઈક જાણવા. હવે ભાવાર્ધક કહે છે • આર્વકનું આયુ-નામ-ગોમ અનુભવે છે તે. જો કે આદુનો પણ આર્વક સંજ્ઞા વ્યવહાર છે, પણ તેનો અહીં અધિકાર નથી. આ અધ્યયન આર્તકુમાર અણગાને આશ્રીને છે. આદ્રકપુર નગરે સર્વક નામે સજા હતો, તેના પુત્રનું નામ પણ આર્વકકુમાર હતું. તે સંવૃત સાધુ થયા. મહાવીર સ્વામીના સમવસરણમાં ગોશાળા તથા હસ્તિતાપસ સાથે વાદ થયો. તેઓ પરાજય પામ્યા, તે આ અધ્યયનના ઉપચાસથી જાણવું. તેથી આદ્રકકુમારચી આ અધ્યયન થયું. આદ્રકકુમાર ચઢિ આગળ છે. ૦ શંકા- દ્વાદશાંગી તો શાશ્વત છે, જ્યારે આર્તકકુમાર તો મહાવીર સ્વામીના ૨૦૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તીર્થમાં ચયા, તો દ્વાદશાંગી શાશ્વત કઈ રીતે જાણવી ? o સમાધાન - તમારું કહેવું ઇષ્ટ છે. દ્વાદશાંગી નિત્ય, શાશ્વત, મહાપ્રભાવી છે. બધાં અધ્યયનો આવા જ છે. દ્રવ્યાર્ચ તે શાકાત જ છે, તો પણ કોઈ વિષય તે ટોગમાં, તે સમયમાં “આર્વક આદિ" હોય અને દાખલ કરેલ હોય. ત્યાં પૂર્વે તેવો જ વિષય બતાવનાર અન્ય મુનિનું ટાંત હોય છે, માટે અમે આ સ્વીકારીએ છીએ. જેમ ગsfuત માં ઝાઝાન માં પૂર્વના દષ્ટાંતને બદલે નવા દષ્ટાંતો કહ્યાં છે. [નિ.૧૦ થી ૨૦ - સંકલિત પૃથર્થ અહીં રજૂ કરેલ છે. આર્ય આદ્રકે સમોસરણ તરફ જતાં ગોશાળા નામક ભિક્ષુ તથા બ્રહ્મવર્તી ગિદંડી હસ્તિતાપસોને કહેલ તવ આ અધ્યયનનો મુખ્ય વિષય છે, તે સૂગ વડે કહેવાશે. હવે આર્વકનું કચાનક અહીં કહે છે મગઘ જનપદમાં વસંતપુર નામે ગામ હતું. ત્યાં ‘સામાયિક' નામે કુટુંબી વસે છે. તેણે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને પનીરહિત દીક્ષા લીધી. તે સદાચાર-રત, સંવિપ્ન સાધુ સાથે વિચારે છે. તેની પત્ની સાળી સાથે વિયરે છે. કોઈ વખતે પોતાના પત્ની સાળીને ગૌચરી જતાં જોયા. સામાયિક સાધુને તેવા કર્મના ઉદયથી પૂજડા યાદ આવતા તેણીમાં સગી થયો. પોતાનો અભિપ્રાય સાથેના સાધુને કહ્યો. તેણે મુખ્ય સાધીને કહ્યું, મુખ્ય સાધ્વીએ તે સ્ત્રી સાધીને કહ્યું. તે સાધ્વીએ કહ્યું કે હવે મારે રોકાકી વિચરવું યોગ્ય નથી. મારા પતિ સાધુ મારો મોહ છોડશે નહીં, માટે મારે ભક્તપ્રત્યાખ્યાન અનશન કરવું યોગ્ય છે. તે અનશન કરી દેવલોકે દેવી થઈ. સામાયિક સાધુએ આ વૃત્તાંત સાંભળી, સંવેગ પામી, વિચાર્યું કે તેણીએ મારે કારણે અનશન કર્યું. તેથી તેણે પણ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. તે પમ સંવેગ પામેલો પણ પ્રાયશ્ચિત્ત કર્યા વિના માયાશાયુકત ભકત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવી આર્વકુમાર નામે ઉત્પન્ન થયો. તેની પત્ની સાવી દેવલોકશી વી વસંતપુરે શ્રેષ્ઠી પુગી થઈ. આર્વકકુમાર યુવાન થયો. કોઈ વખતે આર્વક રાજાએ રાજગૃહીનગરે શ્રેણિક રાજને પ્રીતિ વધાસ્વા મોટું ભેટમું મોકલ્યું. આર્વકકુમારે મંત્રીને પૂછયું - આવાં મહાહ ભટણાં મારા પિતા કોને મોકલે છે ? તેણે કહ્યું કે આદિશમાં તમારા પિતાના પરમમિત્ર શ્રેણિક સજાને. આદ્રકકુમારે પૂછયું, તેને કોઈ મારે મૈત્રી યોગ્ય પુત્ર છે ? મંત્રી કહે છે. આકે તેને આપવા પોતાના તરફથી પણ ભેટ મોકલી અને કહેવડાવ્યું કે આકકુમાર તમારા તરફ ઘણો સ્નેહ ધરાવે છે. સ્ત્રીએ સગૃહી ઈને શ્રેણિક રાજાને તથા • x • x • અભયકુમારને તે ભેટણાઓ ભેટ કર્યા. અભયકુમારે પારિણામિક બુદ્ધિથી વિચાર્યું કે- આ ભવ્ય જીવ - [આર્વકકુમાર) થોડાં વખતમાં મુક્તિ જનાર છે. તેથી મારી સાથે પ્રીતિ ઇચ્છે છે. તેને આ આદિવાસ પ્રભુની પ્રતિમાના દર્શનથી લાભ થાય તેવો અનુગ્રહ કરું. એમ વિચારી તેમ કર્યું તથા મહાહ ભેટમું મોકલ્યું અને અભયકુમારે મંત્રીને કહ્યું કે • મારું આ ભેટયું માસ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy