SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૨/૨/-/૬૬૪ તે કાપનારને અનુમોદે એ રીતે ચાવતું મહાપાપી થાય. [] કોઈ પુરુષ કોઈ અપમાનાદિ શબ્દોના કારણે અથવા સડેલા આદિ મળતા કે ઇટાદિ લાભ ન મળતાં ગૃહપતિ કે તેના પુત્રોની ઉંટશાળા, ગોશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાને કાંટાથી ઢાંકીને સ્વયં અગ્નિ વડે બાળી દે છે, બીજ પાસે ભળાવે છે, બાળનારની અનુમોદના કરે છે ચાલવું પ્રખ્યાત થાય છે. પિ] કોઈ પણ પ્રતિકુળ ઉદાદિ આદિ ઉક્ત કારણોથી શુદ્ધ થઈ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ કે મોતી સ્વયં હરી , બીજ પાસે હરણ કરાવે કે હરણ કરનારને અનુમોદે તેથી તે મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. ૬િ) કોઈ પુરુષ - શ્રમણ કે માહણના ભક્ત પાસેથી સડેલ આદિ મળે ઈત્યાદિ ઉક્ત કારણે તે શ્રમણ કે માહન ઉપર શુદ્ધ થઈને તેના છમ, દંડ, ઉપકરણ, મhક, લાઠી, આસન, વસ્ત્ર, શિલિમિતિ, ચમbદનક કે ચમકોશન સ્વયં હરણ કરે : કરાવે કે અનુમોદે, તે મહાપાપી પે પ્રાપ્ત થાય છે. [ણ કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે ગાથાપતિ કે ગાથાપતિ પુખોના આદિને અકારણ જ સ્વયં આગ લગાડી ભસ્મ કરે છે - x • કરાવે છે - x - અનમોદે છે. એ રીતે તે મહાપાપી યે જગતમાં વિખ્યાત થાય છે. | ]િ કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે કારણ જ ગાથાપતિ કે તેના પુpોના ઉટ, બળદ, ઘોડા કે ગધેડાના અંગોને સ્વયં કાપે છે - કપાવે છે - અનુમોદે છે તે યાવત મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. વુિં કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોની ઉટશાળા યાવતું ગભશાળા ચાવતું સળગાવે છે, શેષ પૂર્વવતુ. [૧] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે કારણ જ ગાયાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ, મોતી ચોરે છે, ચોરાવે છે કે ચોરનારને અનુમોદે છે... [૧૧] કોઈ-કોઈ વિચાર્યા વિના જ શ્રમણ કે માહણના છમ, દંડ યાવત્ ચછેદનક હરે છે . હરાવે છે . અનુમોદે છે ચાવત મહાપાપીરૂપે ઓળખાય છે. કોઈ પુરુષ શ્રમણ કે માહણને જોઈને તેમની સાથે વિવિધરૂપે પાપકર્મ કરીને પોતાને પ્રખ્યાત કરે છે અથવા ચપટી વગાડે છે. કઠોર વચનો કહે છે. ભિક્ષાકાળે સાધુ ગૌરી માટે આવે તો પણ અશન-પાન ચાવતું આપતા નથી અને કહે છે કે - આ સાધુઓ તો ભારવહન કરતા નીચ છે, આળસુ છે, શુદ્ધ છે, દરિદ્ર છે માટે દીક્ષા લે છે તેવા સાધુ દ્રોહીનું જીવન ધિક્કારને પાત્ર છે છતાં તે પોતાના જીવનને ઉત્તમ માને છે. પણ પરલોક વિશે વિચારતાં નથી. આવા પુરુષો • દુઃખ, શોક, નિંદા, તાપ, પીડા અને પરિતાપ પામે છે. તેઓ આ દુ:ખ, શોક આદિથી વધ, બંધન, કલેશાદિ ક્યારેય નિવૃત્ત થતા નથી. તે મહા-આરંભ, સમારંભ, આરંભન્સમારંભથી વિવિધ પાપકર્મો કરતા ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોપભોગને ભોગવતા રહે છે. તે આ પ્રમાણે આહાકાળે આહાર, પાનકાળે પાન, વાકાનેવા, આવાસકાળ આવાસ, ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શયનકાળે શયનને ભોગવે છે. તેઓ નાહીને, ભવિકર્મ કરીને, કૌતુક-મંગલપ્રાયશ્ચિત કરીને, મસ્તકસહિત સ્નાન કરી, કંઠમાં મm પહેરે છે, મણિ-સુવર્ણ પહેરી, માળાયુકત મુગટ પહેરે છે. પ્રતિબદ્ધ શરીરી હોય છે. કમરે કંદોરો અને છાતીએ ફૂલમાળા પહેરે છે. નવા વો પહેરી, ચંદનનો લેપ કરીને, સુસજિd વિશાળ પ્રસાદમાં ભવ્ય સિંહાસને બેસી ઓ વડે પરિવૃત્ત થઈ, આખી રાત્રિ જ્યોતિના ઝગમગાટમાં ભવ્ય નાચ-ગાન-વા%િા-તંગી-તાલ-તલ-બુટિત-મૃદંગના tવનિસહિત ઉદર માનુષી ભોગોપભોગને ભોગવતા વિચારે છે. તે એક નોકરને. બોલાવે ત્યાં ચા-wાંચ જણા હાજર થાય છે. હે દેવાનુપિયા અમે શું કરીએ? શું લાવીએ? શું ભેટ કરીએ? આપને શું હિતકર છે? તેમ પૂછે છે. તેને આવા સુખમાં મગ્ન જોઈને અનાર્યો એમ કહે છે - આ પણ તો દેવ છે, દેવોથી પણ શ્રેષ્ઠ છે, દેવો જેવું જીવે છે, તેમના આશ્રયે બીજી પણ જીવે છે. પણ તેને જોઈને આર્ય પુરણ કહે છે કે - આ પુરષ અતિ કૂકમ, અતિ ધૂત શરીરનો રક્ષક, દક્ષિણગામી નૈરયિક, કૃષ્ણાક્ષિક અને ભાવિમાં દુર્લભ બોધિ થશે. કોઈ મૂઢ જીવ મોક્ષને માટે ઉધત થઈને પણ આવા સ્થાનને ઇછે છે, કે જે સ્થાન ગૃહરો ઇચ્છે છે. આ રસ્થાન અનાર્ય, જ્ઞાનરહિત, અપૂર્ણ, અન્યાયિક, અસંશુદ્ધ, અશલ્યકતક, સિદ્ધિમાર્ગ, અમુકિતમાર્ગ, અનિવામિાર્ગ, અનિયણિ માર્ગ, અસવદુઃખ પ્રક્ષlણ માર્ગ, એકાંત મિથ્યા, અસાધુ છે. આ રીતે પ્રથમ અધર્મપક્ષ સ્થાનનું કથન કર્યું • વિવેચન-૬૬૪ : અહીં પ્રથમ સૂગથી વિશેષ એ છે કે - પૂર્વે આજીવિકા અથવા ગુપ્ત જીવહિંસા કરે તે કહ્યું. અહીં કોઈ નિમિતથી સાક્ષાત્ લોકો મધ્ય જીવ હત્યાની પ્રતિજ્ઞા કરી ઉધતુ થાય તે કહે છે. જેમકે કોઈ માંસાહાર ઇચ્છાથી, ટેવથી કે ક્રીડા માટે કોપાયમાન થયેલો સભામાં ઉભો થઈ પ્રતિજ્ઞા કરે કે હું આ પ્રાણીને હણીશ, ભેદીશ, છેદીશ ચાવતુ પાપકર્મ રૂપે પ્રખ્યાત થાય. આ સૂત્રમાં અધર્મપણે ચાલનારા બધાં પ્રાણિદ્રોહ કરનારાનું કંઈક વર્ણન કરવાનું છે - તેમાં પહેલા સૂત્રમાં બીજાના અપરાધ વિના ક્રુદ્ધ થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી કૂધ થયેલાને બતાવે છે કોઈ સ્વભાવથી જ ક્રોધી, અસહિષ્ણુતાથી બીજાના શબ્દાદિ કારણે સામેવાળાનો શત્રુ બનીને બીજાનું બગાડે. ‘શબ્દ' લેવાથી કોઈ દ્વારા આકૃષ્ટ, નિંદિત કે વચનથી વિરોધ કરે, તો તેનું બગાડે. ‘રૂપ’ લેવાથી કોઈ બીભત્સને જોઈને અપશુકન માનીને કોપે. “ગંધ-રસ'નું ગ્રહણ સૂઝ વડે જ કહે છે કોઈ તેમને સડેલી વસ્તુ આપે અથવા અલા ધાન્યાદિ દાન આપે તેનાથી કોપાયમાન થાય, અભિષ્ટ વસ્તુ ન આપે, તે વિવક્ષિત લાભના અભાવે કોપાયમાન થઈને ગૃહપતિ આદિના ખળામાં રહેલ ચોખા-ઘઉં આદિ પોતે બાળી નાંખે, બીજા પાસે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy