SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-૯ 188 કલ્પ [બારો] સૂત્ર જોઈએ અથવા બીજાઓની દૃષ્ટિથી દેખાઈ શકે એવું હોવું જોઈએ અથવા ઘરના ચારેય તરફનાં દ્વાર ખુલ્લા હોવાં જોઈએ, એ રીતે તેને એકલા રહેવાનું કહ્યું છે. ચાલ્યા જવાનું કહે છે. (1) ત્યાં તે એકલા સાધુને એકલી સાળીની સાથે મળીને રહેવાનું કાતું નથી (2) ત્યાં તે એકલા નિરૈન્યને બે નિર્ગુન્થીઓની સાથે મળીને રહેવાનું પતું નથી. (3) ત્યાં બે નિર્ઝન્થોને એકલી નિગ્રન્થીની સાથે મળીને રહેવાનું ક૫તું નથી. (4) ત્યાં બે નિર્ગળ્યોએ બે નિગ્રન્થીઓ સાથે મળીને રહેવાનું ક૫તું નથી. ત્યાં કોઈપણ પાંચમાની સાક્ષી રહેવી જોઈએ. ભલેને તે ક્ષુલ્લક હોય કે સુલ્લિકા હોય અથવા બીજાઓ તેમને દેખી શકતા હોય, બીજાઓની દૃષ્ટિમાં તેઓ આવી શકતા હોય અથવા ઘરની ચારેય બાજુના દ્વાર ખુલ્લાં હોય ત્યારે એ રીતે તેમને એકલા રહેવાનું કપે છે. * [301] અને એજ રીતે એકલી નિર્ગુન્શીની અને એકલા ગૃહસ્થને મળીને રહેવાના સંબંધમાં ચાર ભાંગા સમજવા જોઈએ. *[300] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ગસ્થને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડી રહેલ હોય ત્યારે તેને કાં તો બગીચાની છાયામાં કે ઉપાશ્રયની નીચે જવાનું કહ્યું છે. ત્યાં એકલા નિરૈન્યને એકલી મહિલાની સાથે મળીને રહેવાનું કાતું નથી. ત્યાં પણ સાથે મળીને નહિ રહેવાના સંબંધમાં પૂર્વ સૂત્રની માફક ચાર ભાંગા સમજી લેવા જોઈએ. ત્યાં પાંચમાં કોઈપણ સ્થવિર અથવા સ્થવિરા હોવા * [30] વર્ષાવાસમાં રહેલા નિર્ઝન્ય કે નિગ્રન્થીઓને બીજા કોઈને કહ્યા વિના અથવા બીજાઓને સૂચના કર્યા વિના તેમને માટે અન્ન-પાણી ખાદિમ કે સ્વાદિમ ચારેય જાતનો આહાર લાવવાનું કાતું નથી. પ્રશ્ન :- હે ભગવન્! આ પ્રકારે કેમ કહેલ છે ? ઉત્તર :- હે શિષ્ય! બીજા દ્વારા કહ્યા સિવાયનો કે બીજા દ્વારા સૂચના આપ્યા સિવાયનો લાવવામાં આવેલો આહાર વગેરે જો તેની ઈચ્છા થશે તો ખાશે. જો ઈચ્છા નહિ થાય તો તે ખાશે નહિ અર્થાત્ બીજાઓ માટે પૂછયા વિના કે બીજાઓના કહ્યા વગર આહાર વગેરે લાવવો ન જોઈએ. કેમકે પૂછયા વિના લાવવામાં આવેલો આહાર જો તેની ઈચ્છા ન હોય અને ઈચ્છા વિના તે ખાય છે, ત્યારે કાં તો તેને રોગ થઈ જશે અને જો તે નહિ ખાય તો પરિઠાપન દોષ લાગશે.
SR No.009033
Book TitleKalpaSutra Mool Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy