SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫૦ બાદર :- બાદર નામ કર્મના ઉદયથી જે જીવનું શરીર સ્થૂલ હોય, જે શસ્ત્રથી વ્યાઘાત પામે તેને બાદર કહે છે. જેમાંથી કેટલાક જીવોના શરીર દૃષ્ટિગોચર થાય અને કેટલાક જીવોના અસંખ્ય શરીર ભેગા થાય ત્યારપછી દૃષ્ટિગોચર થાય છે. પર્યાપ્તિ :- શક્તિ-આહારાદિ ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય આદિ રૂપે પરિણત કરવાની શક્તિને પર્યાપ્તિ કહે છે, પર્યાપ્તિના છ ભેદ છે. ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, 3. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પિિપ્ત, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મન:પર્યાપ્તિ. તેમાં એકેન્દ્રિય જીવને ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિ હોય છે. પર્યાપ્ત ઃ- જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય તેને પર્યાપ્ત કહે છે. અપર્યાપ્ત ઃ- જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય તે. • સૂત્ર-૧૫૦/૫ ઃ ૧૦૧ તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો જલચર, સ્થલચર અને ખૈર તિર્યંચ પંચેન્દ્રિયને વિશેષ કહેવાય છે. જલચર તિર્યંચ પંચેન્દ્રિયને જો સામાન્ય કહેવામાં આવે તો સમૂમિ ચલચર તિચિ અને ગર્ભજ જલચર તિર્યંચ વિશેષ કહેવાય છે. જો સમૂઝિમ જલચર તિચિ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત સમૂછિમ જલચર અને અપર્યાપ્ત સમૂછિમ જલચરને વિશેષ કહેવયા. તે જ રીતે જો ગર્ભજ જલચર તિાિને સામાન્ય માનવામાં આવે તો પતિ ગર્ભજ જ્વર અને અપચપ્તિ ગર્ભજ જલચર વિશેષ કહેવાય છે. • વિવેચન-૧૫૦/૫ : તિર્યંચ પંચેન્દ્રિયના ભેદની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય સામાન્ય કહેવાય અને તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો વિશેષ કહેવાય છે. આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ બતાવ્યા છે. જલચર, સ્થલચર અને ખેચર, તે પ્રત્યેકના પેટા ભેદોની અપેક્ષાએ તે સામાન્ય કહેવાય અને પેટા ભેદ વિશેષ કહેવાય છે. જલચરના પેટાભેદ બે છે. (૧) સમૂકિમ (૨) ગર્ભજ. તે બંનેના પુન- બે બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. • સૂત્ર-૧૫૦/૬ ઃ રથલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો ચતુષ્પદ સ્થલચર અને પરિસર્પ સ્થલચર વિશેષ કહેવાય. જો ચતુષ્પદ સ્થલચરને સામાન્ય-અવિશેષ નામ માનવામાં આવે તો સમૂછિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષનામ કહેવાય. જો સમૂક્રિમ ચતુષ્પદ સ્થલચરને વિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપતિા સમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષનામ કહેવાય. જો ગર્ભજ ચતુપદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પતિપ્તા “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને પયાતા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષ નામ કહેવાય. જો પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો તેના ભેદ ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ વિશેષનામ કહેવાય. પૂર્વોક્ત રીતે સમૂર્તિજીમ, પાપ્તિા, અપયતા તથા ગર્ભજ, પર્યાપ્તા આપતા કહેવા. • વિવેચન-૧૫૦/૬ ઃ સ્થલચર :- જમીન પર વિચરસ્તા તિર્યંચોમાં જે ગાય વગેરે ચાર પગે ચાલે છે તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ કહેવાય છે. જમીન પર સકતા તિર્યંચપંચેન્દ્રિય જીવો પરિસર્પ સ્થલચર કહેવાય છે. તેના બે ભેદ છે – (૧) ઉરપરિસર્પ :- છાતી કે પેટથી સરકતા અજગર વગેરે ઉરપરિસર્પ કહેવાય છે અને ૧૦૨ (૨) ભુજપરિસર્પ :- ભુજા વડે સસ્કતા ખીસકોલી વગેરે જીવો ભુજપરિસર્પ કહેવાય છે. તે પ્રત્યેકના સમૂચ્છિમ અને ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ થાય છે. તેઓ પરસ્પરની અપેક્ષાએ સામાન્ય-વિશેષ નામ તરીકે ઓળખાય છે. • સૂત્ર-૧૫૦/૭ : ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ રૂપે માનવામાં આવે તો સમૂચ્છિમ અને ગર્ભજ ખેચર તિચિ પંચેન્દ્રિય વિશેષ નામ કહેવાય. સમૂર્તિજીમ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પચતા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. તે જ પ્રમાણે ગર્ભજ ખેચરને વિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપસપ્તિા વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/૭ : ખેચર :- ખે = આકાશ, ચર = વિહરતાં-આકાશમાં ઊડતાં પક્ષીઓને ખેચર કહે છે. તેના પર ગર્ભજ અને સમૂછિમ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ-પ્રભેદ થાય છે. તેને પૂર્વવત્ સામાન્ય અને વિશેષનામ તરીકે સમજવા જોઈએ. • સૂત્ર-૧૫૦૦૮ : મનુષ્ય આ નામને અવિશેષનામ માનવામાં આવે તો સંમૂછિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. સંમૂચ્છિમ મનુષ્યને અવિશેષ માનવામાં આવે તો પર્યાપ્તા સમૂર્ચિચ્છમ મનુષ્ય અને યતા સંમૂર્ચ્છિમ મનુષ્ય વિશેષ કહેવાય. ગર્ભજ મનુષ્ય અવિશેષનામ કહેવાય તો પતિા ગર્ભજ મનુષ્ય અને અપાતા ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. • વિવેચન-૧૫૦/૮ - આ સૂત્રમાં મનુષ્યનું સામાન્ય-વિશેષરૂપે કથન કરવામાં આવ્યું છે. મનુષ્યના બે ભેદ છે. ગર્ભજ અને સંમૂચ્છિમ, ગર્ભજ મનુષ્ય :- માતા-પિતાના સંયોગથી, ગર્ભ દ્વારા જે મનુષ્ય જન્મ પામે તે. સંમૂર્તિછમ મનુષ્ય - મનુષ્યના મળ, મૂત્રાદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy