SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૪ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અનિત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અખલિત, અમિલિત, અવ્ય મેડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસેથી વાર ના લીધી હોય, તેથી વાચના, પુચ્છના, પરાવના અને ધર્મકથાથી યુક્ત હોય પરંતુ અનપેક્ષાથી રહિત હોય-ઉપયોગ શૂન્ય હોય. “અનુપયોગો દ્રવ્ય’ આ શા વચનાનુસાર આવશયક પદના જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ રહિત હોવાથી તે આગમતઃ દ્રવ્યઆવશ્યક કહેવાય છે. • વિવેચન-૧૪ - આ સૂત્રમાં આગમણી દ્રવ્ય આવશ્યકનું નિરૂપણ કર્યું છે. અહીં આગમ એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનના કારણભૂત આત્મા, તેનાથી અધિષ્ઠિત શરીર અને તેના દ્વારા થતાં સૂત્રના ઉચ્ચારણ વગેરેમાં કાર્યનો ઉપચાર કરી તે સર્વને શ્રુતજ્ઞાન-આગમ રૂપ કહેલ છે. આવશ્યક પદનું જ્ઞાન હોવા છતાં દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તેમાં ઉપયોગ નથી. અનપેક્ષા ઉપયોગ રહિતપણે થઈ શકતી નથી. તેથી સૂત્રમાં નો મનુષ્પહાણ કહ્યું છે. અનુપયોગ અવસ્થા દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી તેથી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. ઉપયોગપૂર્વકની નુપેક્ષા ભાવ આવશ્યક કહેવાય છે. શ્રુતના ગુણોમાં અહીનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની જૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. • સૂઝ-૧૫ - તૈગમ નયના મતે એક અનુપયુકત આત્મા, ગમથી-એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુપયુકત આત્મા, બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનયની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે. સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત આત્મા અનેક અનામતઃ દ્રવ્ય છે, તેવા કથનનો સ્વીકાર કરતો નથી. તે બધા અનુપમૃત આત્માને એક દ્વભાવયક રૂપે માને છે. ઋજુત્ર નય પૃથક્વ-ભેદને સ્વીકારતો નથી. તેથી તેના મતે એક અનુપયુક્ત આત્મા જ્ઞાનાપેક્ષા એક દ્રવ્ય આવશ્યક છે. ત્રણે શબ્દનય, જ્ઞાયક અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ, આસિત માને છે. જે જ્ઞાયક હોય તે ઉપયોગ શૂન્ય હોય શકે નહીં અને જે ઉપયોગ શૂન્ય હોય તો તે જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યાવશ્યક છે. વિવેચન-૧૫ :નય - વસ્તુ અનંત ધમત્મિક છે. એક સમયે એક જ ઘર્મનું કથન થઈ શકે, ૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેથી અન્ય ધર્મને ગૌણ કરી એક ધર્મને મુખ્યતાએ જે ગ્રહણ કરે તે નય કહેવાય છે, વસ્તુમાં અનંત ધમાં હોવાથી નયો પણ અનંત થાય છતાં સુગમતાથી બોધ કરાવવા તેને સાત વિભાગમાં વિભક્ત કર્યા છે, તે જ સાત નય રૂપે પ્રસિદ્ધ છે. (૧) નૈગમનય :- વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ બંને ધર્મોનો સ્વીકાર કરે છે. તે અનેક પ્રકારે વસ્તુનો બોધ કરાવે છે. વિશેષરૂપ ભેદને પ્રધાન બનાવી આ તય જેટલા અનુપયુક્ત આભા હોય, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૨) વ્યવહારનય :- સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થમાં વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાયથી કરવામાં આવે તે અભિપ્રાયને વ્યવહારનય કહેવામાં આવે છે. આ નય લોકવ્યવહારને પ્રધાનતા આપે છે. તે વ્યવહારમાં ‘વિશેષ' ઉપકારી છે. પાણી લાવવું હોય તો ઘટ વિશેષમાં લાવી શકાય, ઘટવ સામાન્યથી કાર્ય થઈ શકતું નથી. વ્યવહારનય ‘વિશેષ'ને જ માન્ય કરે છે તેથી વિશેષગ્રાહીનૈગમનય જેવું જ તેનું વક્તવ્ય છે. તે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. તૈગમનય જેવી જ પ્રરૂપણા હોવાથી સૂત્રકારે ક્રમ પ્રાપ્ત સંગ્રહનયને છોડી વ્યવહાર નયનું પહેલા કથન કર્યું છે. બાકી સાત નયમાં સંગ્રહનય બીજા ક્રમે અને વ્યવહાર નય બીજા ક્રમે છે. (3) સંગ્રહનય :- પ્રત્યેક પદાર્થમાં રહેલ વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્યને સ્વીકારી પ્રત્યેક પદાર્થને એકરૂપે સ્વીકારે તેને સંગ્રહનય કહે છે. અનેક ઉપયોગ શૂન્ય આત્માઓમાં અનુપયુક્તત્વ એક સમાન છે તે સામાન્યને લક્ષ્યમાં રાખી સંગ્રહાય એક આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૪) જુસૂગનય :- જે કેવળ વર્તમાન અને સ્વકીય પયયને સ્વીકારે તેને જસણનય કહે છે, તેના મતે અતીતકાલ વિનષ્ટ છે, અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. વર્તમાન પર્યાય એક સમયની જ હોવાથી એક છે, તેથી આ નય અનેકતાને સ્વીકારતો નથી, તેના મતે આગમ દ્રવ્ય આવશ્યક એક જ છે, અનેક નહીં. (૫ થી 9) શબ્દનય, સમભિરૂઢનય અને એdભૂત નય - આ ત્રણે નય શબ્દ પ્રધાન છે. તેના મતે જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વનો સમન્વય સંભવિત નથી. જ્ઞાતા હોય તો અનુપયુક્ત ન હોય અને અનુપયુક્ત હોય તો જ્ઞાતા ન કહેવાય. તે ત્રણેના મતે દ્રવ્ય આવશ્યક પ્રરૂપણા અસત્ છે. આ રીતે આગમથી દ્રવ્ય આવશ્યક સંબંધી નયોનું મંતવ્ય જાણવું. • સૂત્ર-૧૬ : ધન :- નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યઆવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) જ્ઞાયકશરીર દ્રવ્યાવચક () ભવ્યશરીર દ્રવ્યાવશ્યક (3) જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવચક. • વિવેચન-૧૬ :આ સૂત્રમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકતા ભેદનું કથન છે. અહીં ‘નો' શબ્દ
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy