SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 46 અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર * સાનુવાદ વિવેચન સૂગ-૩૧૮ 245 મતે પરસમય-વકતવ્યતા અનર્થ, અહેતુ વગેરે મિથ્યાદર્શનરૂપ છે માટે અસ્વીકારણીય છે. સ્વમત જ હિતકારી, કલ્યાણકારી, આદરણીય છે, માટે તે એક જ સ્વીકારણીય છે. - સૂગ-૩૧૯ થી ૩ર૧ - પન :- અધિકારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : આવશ્યક સૂત્રના જે અધ્યયનનો જે વર્ષ વિષયઅર્થ વિષય હોય, તેનું કથન કરવું તે અથિિધકાર કહેવાય છે. જેમકે - (1) સાવધ યોગ વિરતિ (2) ઉકીર્તન (1) ગુણવાનની વિનય પતિપત્તિ () ખલનાઓની નિંદા (5) વણ ચિકિત્સા (6) ગુણધારણા. આ સામાયિક આદિ છ અદયયનોનો અધિકાર છે. * વિવેચન-૩૧૯ થી 321 - જે અધ્યયનનો જે અર્થ હોય છે તેનો અધિકાર કહેવાય. આવશ્યક સૂગના છ અધ્યયનના ગાળામાં કહેલ છ વચ્ચે વિષય છે. તે તેનો અધિકાર છે. (1) સામાયિક અધ્યયનનો વર્ણ વિષય-તેનો અર્થ સાવધયોગ વિરતિ એટલે સાવધ વ્યાપારનો ત્યાગ છે. (2) ચતુર્વિશતિસ્તવ અધ્યયનનો કાર્ય ઉકીર્તન-સ્તુતિ કરવી તે છે. (3) વંદના અધ્યયનનો અર્થ ગુણવાન પુરુષને સમાન આપવું, વંદના કરવી તે છે. (4) પ્રતિક્રમણ અધ્યયનનો અર્થ આચારમાં થયેલ ખલનાઓનીઅતિયારોની નિંદા કરવી તે છે. (5) કાર્યોત્સર્ગ અધ્યયનનો અર્થ વ્રણ ચિકિત્સા છે. (6) પ્રત્યાખ્યાન અધ્યયનનો અર્થ ગુણધારણા છે. * સૂત્ર-૩૨૨/૧ - પ્રશ્ન :- સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (1) નામ, (2) સ્થાપના, (3) દ્રવ્ય, (4) રૂમ, (5) કાળ અને (6) ભાd. * વિવેચન-૩૨૨/૧ : સમવતાર એટલે સમાવું-સમાવિષ્ટ થવું. વસ્તુ પોતાનામાં, પરમાં, ઉભયમાં કયાં સમાવિષ્ટ થાય છે ? ક્યાં અંતર્ભત થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. તેના સૂત્ર કથિત નામ આદિ છ ભેદ છે. * સૂત્ર-૩૨૨૨ : નામ સમવતારનું સ્વરૂપ કેવું છે? નામ સમવસ્તાર અને સ્થાપના સમવારનું સ્વરૂપ વન પૂર્વવત્ અતિ આવશ્યકના વર્ણન પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્ય સમવતારના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - આગમથીદ્રવ્યસમવતાર અને નોઆગમથી દ્રવ્યસમવતર યાવતું ભવ્યશરીર નોઆગમતઃ દ્રવ્યસમવાર સુધીનું વર્ણન આવશ્યકની સમાન જાણવું. પ્રશ્ન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જ્ઞાયકશરીર ભભશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવસ્તારના ત્રણ ભેદ છે. જેમકે (1) આત્મસમવતાર, (2) પરસમવતાર (3) ઉભયસમવતાર, આત્માસમવતારની અપેક્ષાએ સર્વદ્રવ્ય આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ રહે છે. પરસમવતારની અપેક્ષાએ કુંડામાં બોરની જેમ પરભાવમાં રહે છે. તદુભય સમવતારની અપેક્ષાએ ઘરમાં થાંભલો અને ઘટમાં ગ્રીવાની જેમ પરભાવ તથા આત્મભાવ બંનેમાં રહે છે. * વિવેચન-૧૨૨/ર : સમવતાર એટલે સમાવિષ્ટ થતું, રહેવું. પ્રત્યેક દ્રવ્ય-પદાર્થ ક્યાં રહે છે ? તેનો વિચાર નિશ્ચયનય અને વ્યવહારનયથી કરવામાં આવે છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં-આત્મભાવમાં જ રહે છે. નિજસ્વરૂપથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ જ નથી. વ્યવહારનયથી વિચાર કરતાં દ્રવ્ય પરભાવમાં પણ રહે છે. જેમ બોર કુંડામાં રહે છે. દેવદત્ત ઘરમાં રહે છે. દ્રવ્ય-પદાર્થનો જે આધાર, તેમાં તે રહે છે, તેમ લોકમાં વ્યવહાર થાય છે. ઉભયરૂપતામાં નિશ્ચય અને વ્યવહારનો યુગપ એક સાથે વિચાર કરવામાં આવે છે. જે ઘરમાં થાંભલો રહે છે તે આત્મભાવમાં પણ રહે છે અને ઘરમાં પણ રહે છે. તેમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી, અન્ય દ્રવ્યના આધારે પણ રહે છે. માત્ર પરભાવ સમવતારનું કોઈ દૃષ્ટાંત નથી. સૂત્રમાં ‘કુંડામાં બોર'નું જે દેટાંત આવ્યું છે, તે ઉભયરૂપતાનું જ દટાંત કહેવાય, કારણ કે બોર સ્વસ્વરૂપમાં પણ રહે જ છે. એકલા પરભાવમાં રહેતા કોઈ દ્રવ્ય-પદાર્થ નથી. તેથી પરભાવ સમવતારનું દૃષ્ટાંત શક્ય નથી. તેથી અહીં આત્મભાવથી અલગ વિવા ન કરતાં નામ માત્રથી તેનો પૃથક્ નિર્દેશ કરેલ છે. વાસ્તવમાં સમવતારના બે પ્રકાર છે - * સૂત્ર-૩૨૨/૩ : અથવા જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રણ સમવતાના બે પ્રકાર કહiા છે. આત્મસમવતાર અને તદુભય સમવતાર, જેમ ચતુષષ્ટિકા આત્મસમવારથી અભિભાવમાં રહે છે અને તદુભય સતવારની અપેક્ષાએ દ્વાર્ષાિશિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. હાSિiશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ ષોડશિકામાં અને આત્મભાવમાં રહે છે. જોશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. દુભય સમવારથી અષ્ટભાગિકામાં અને આત્મભાવમાં સમવતરિત થાય છે. અદભામિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તદુભય અવતારથી અભિાગિકામાં અને આત્મભાવમાં સમવતીણ થાય છે. ચતુભવિકા આત્મ સમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાનીમાં અને આત્મભાવમાં રહે છે. અર્ધમાનિકા
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy