SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ રૂપથી તે ગતિ વડે સર્વથા વચન નિરોધ રૂપ વચનગુપ્તિ યુક્ત થઈને મનના વ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિનામાં એકાગ્રતા આદિથી યુક્ત થી અધ્યાત્મ યોગ સાધન યુક્ત થાય છે. વિશિષ્ટ વાણુ ગતિ રહિત જ ચિત્તની એકાગ્રતાદિનો ભાગી થતો નથી. -~ • સૂત્ર - ૧૧૬૮ - ભગવન્! માય ગુતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાલ ગુતિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયમુક્ત થઈને ફરી થનારા પાપાશ્ચવનો નિરોધ કરે છે. • વિવેચન - ૧૧૬૮ - શુભ યોગ પ્રવૃત્તિ રૂપ કાયમુસિવાળાને અશુભ યોગનો વિરોધ પ્રાપ્ત થાય છે. સંવર વડે અભ્યસ્ત થઈને કાય ગુમ થયેલો ફરી સર્વતા નિરદ્ધ કાયિક વ્યાપારથી આશ્રવના હેતુરૂપ હિંસાદિ પાપાશ્રવનો નિરોધ કરે છે. તાત્વિક રીતે આ ફળ પરંપરા સુપ્રસિદ્ધ છે. • સૂત્ર - ૧૧૬૯ - ભગવદ્ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થાઈને જ્ઞાન પર્વતોને પામે છે, સમ્યક્તને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાત્વને નજર છે. વિવેચન - ૧૧૬૯ - અહીં ત્રણ ગુમિ આદિથી યથાક્રમે મનની સમાધારણાના આદિનો સંભવ રહે છે. તેથી કહે છે-મનની સમિતિ, આગમ અભિહિત ભાવની અભિવ્યતિથી અવધારણા - વ્યવસ્થાપન તે મનની સમાધારણા, તેનાથી એકાગ્રતા જન્મે છે. એકાગ્રતાથી વિશિષ્ટતર વસ્તુ તત્ત્વના અવબોધરૂપ જ્ઞાન પર્યવો પામે છે. તેના વડે સમ્યક્તને વિશુદ્ધ કરે છે. આનું વિશુદ્ધત્વને વસ્તુ તરૂાગમમાં તવિષયક રુચિ પણ શુદ્ધતર સંભવે છે, તેથી જ મિથ્યાત્વને નિર્ભર છે. • સૂત્ર • ૧૧૭૦ - ભગવન ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્વવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોવિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે. • વિવેચન - ૧૧૦ - વચન સમાધારણાથી વચનના વિષયો પ્રાપનીય છે. અહીં તવિષયક દર્શન પર્યયો પણ ઉપચારથી તથોક્ત જ છે. તેથી દર્શનપર્યવ- સમ્યક્તભેદરૂપવાફસાધારણ દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. વચન દ્રવ્યાનુયોગના અભ્યાસથીતવિષયક આશંકાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભ બોધિત્વ પામે છે અને દુર્લભ બોધિકત્વને ક્ષીણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy