SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૫૪૨ ૧૬૯ • વિવેચન - ૫૪ર - આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી આગમને શબ્દથી અને અર્થથી સાંભળીને અને વિનય ગ્રહણ કરીને જે શિક્ષિત થાય છે. તે જ આચાર્યાદિની નિંદા કરે છે, તે વિવેક રહિત બાલ પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનાચાર નિરપેક્ષ પાપભ્રમણ કહીને હવે દર્શનાચાર નિરપેક્ષને કહે છે - • સૂત્ર - ૨૪૩ - આચાર્ય અને ઉપાદયાયની જે ચિંતા કરતા નથી, પણ અનાદર કરે છે, જે તબ્ધ (દાંડ) છે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - ૫૪૩ - આચાર્ય અને ઉપાધ્યાયોને અવિપરીતપણાથી તેમની તૃપ્તિ ન કરે, દર્શનાચાર અંતર્ગત વાત્સલ્યથી વિરહિત થઈ તેમના કાર્યોની ચિંતા ન કરે. અરહંત આદિમાં યથોચિત પ્રતિપત્તિથી પરાંચમુખ અને ગર્વથી સ્તબ્ધ થઈને કોઈ વડે પ્રેરાયા છતાં તેના વચનમાં ન પ્રવર્તે તે પાપભ્રમણ કહેવાય છે, હવે ચારિત્રાચાર રહિતને કહે છે - • સૂત્ર - પ૪૪ થી પપર - (૫૪૪) જે પ્રાણી, બીજ અને વનસ્પતિનું સંમર્દન કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૫) જે સંથારો, ફલક, પીઠ, નિષા, પાદ કંબલના પ્રમાર્જન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૬) જે જલ્દી જલ્દી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાચરણ કરે છે, જે મયદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૭) જે પ્રમત્ત થઈને પડિલેહણ કરે છે, જે પાત્ર અને કંબલને જ્યાં ત્યાં રાખી દે છે, પડિલેહણમાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૮) જે અહીં - તલની વાતોને સાંભળતો પ્રમત્તભાવથી પડિલેહણ કરે છે, ગુરુની અવહેલના કરે છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૯) જે ઘણો માયાવી, વાચાળ, પીઠો, લોભી કે અતિગ્રહ છે, અસંવિભાગી છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૦) જે વિવાદને ઉદીરે છે, ધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યસ્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૧) જે અસ્કિરાસન કરે, કૌફુટ્ય કરે, જ્યાં-ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૨) જે રજલિમ પગ સાથે સુઈ જાય છે, શય્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં અનાયુક્ત રહે, તે પાપગ્રહણ કહેવાય છે. • વિવેચન - પ૪૪ થી પાર - (સૂબાઈ સ્પષ્ટ હોવાથી, અહીંવૃત્તિમાં કહેલ વિશિષ્ટ શબ્દોની જ અમે નોંધ કરેલ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy