SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૧૬ ભૂમિકા અધ્યયન ૧૬ “બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” X પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભિક્ષુના ગુણો કહ્યા. તે તત્ત્વથી બ્રહ્મચર્યમાં રહેલાને હોય છે, તે પણ બ્રહ્મ ગુપ્તિના પરિજ્ઞાનથી હોય, તેથી તેને અહીં જણાવે છે. એ સંબંધે આવેલા અધ્યયનના - x- નામ નિક્ષેપમાં દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન' નામ છે. તેથી દશ આદિ પાંચે પદોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં એકના અભાવમાં દશ - ન સંભવે. તેથી એકનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૭૯ + વિવેચન - નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ ઇત્યાદિ, આનો અર્થ ચતુરંગીય અધ્યયનમાં કહેલો જ છે, આના અનુસાર બે આદિનો નિક્ષેપ સુગમ છે. તેથી તેની ઉપેક્ષા કરીને દશનો નિક્ષેપ કહે છે - 0 • નિયુક્તિ - ૩૮૦ + વિવેચન - દશના નિક્ષેપમાં છ ભેદો જાણવા. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. તેમાં પહેલા બે સુગમ છે. દ્રવ્ય વિષયમાં દશને વિચારતા દશ પ્રદેશના પરિમાણને જાણવું, તે દશ પ્રદેશિક સ્કંધ કહેવાય છે. કેમકે તે દશ પરિમાણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે. તથા સ્કંધની અવગાહનામાં વિચારતા ક્રમથી દશ પ્રદેશ અવગાઢ ક્ષેત્ર તે દશ કહેવાય, સ્થિતિમાં દશસમય સ્થિતિક તે જ કાળદશ કહેવાય. - • પર્યાય દશ સંખ્યત્વથી વિવસિત ભાવદશ ક્ષયમાં જે પર્યાય છે તે કહે છે - જેમકે જીવ પર્યાયની વિવક્ષામાં કષાય આદિ, અજીવ પર્યાય તે પુદ્ગલ સંબંધી વર્ણોદય છે. * * * તે • નિર્યુક્ત - ૩૮૧,૩૮૨ વિવેચન - ब्रह्म નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં જેનું ‘બ્રહ્મ' નામ છે, તે નામ બ્રહ્મ. સ્થાપના બ્રહ્મ તે બ્રાહ્મણોની ઉત્પત્તિ કથન, જે આચારાંગમાં કહેલ છે. દ્રવ્યમાં ઉપસ્થનો નિરોધ માત્ર. મિથ્યાર્દષ્ટિને દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનાં બોધ શૂન્યને બ્રહ્મના પ્રતિજ્ઞાતવ્ય જાણવા. ભાવમાં ફરી વિચારતા ઉપસ્થનો નિરોધ જાણવો. કોના સંબંધી? તે બ્રહ્મના રક્ષણ પ્રયોજનને માટે વિવિક્તા શયન, આસેવનનું સેવન આદિ, - ૪ - ૪ - હવે ચરણનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ 323 વિવેચન ચરણના વિષયમાં છ પરિમાણ ઉક્તરૂપ નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ કહેવાયેલ છે. દ્રવ્યમાં ગતિરૂપ ચરણ તે ગતિયરણ ગ્રામ આદિ ગમન રૂપ. ભક્ષણ ચરણ - ૪ - ચરણ શબ્દનો ગતિ અને ભક્ષણ બંને અર્થ થાય છે. ભાવમાં મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ સેવન. હવે સમાધિ નિક્ષેપ કહે છે - Jain Education International - ૧૫૭ - For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy