SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે જીવનું મૂલ પ્રયોગકરણ કહ્યું, હવે ઉત્તર પ્રયોગકરણ ને નિયુક્તિકારશ્રી બે નિયુક્તિ વડે કહે છે - • નિયુક્તિ - ૧૭, ૧૪ + વિવેચન - હવે ઉત્તરકરણ તે શરીરકરણ અને પ્રયોગ નિષ્પન્ન છે. તેના ભેદો અનેકવિધ છે, સંક્ષેપથી ચાર ભેદે છે. તે વાત અહીં કહે છે - મૂલ પ્રયોગકરણ પછી ઉત્તર પ્રયોગકરણ કહે છે. તે કઈ રીતે? શરીરકરણ, તે તે ક્રિયાપ્રતિ સાધકતમપણાથી શરીર કરણ, તેનો પ્રયોગ- વીર્યાન્તરાયના ક્ષયોપશમ જ જીવ વીર્ય જનિત વ્યાપાર, તેનાથી નિષ્પન્ન શરીરકરણ પ્રયોગ નિષ્પન્ન, તેથી જ શરીર નિષ્પત્તિની અપેક્ષાથી આનું ઉત્તરત્વ કહેવું. તે ઉત્તરકરણ, ભેદને આશ્રીને અનેક પ્રકારે છે. તાત્પર્ય- સંસારીના કાર્યો વિદેશરૂપે ઘણાં દેખાય છે. તેથી તેના સાધનો વડે પણ ઘણાં કરણો વડે થાય છે. તેને વિસ્તારથી કહેવા શક્ય નથી, તેથી ચાર ભેદે કહે છે. તે સંક્ષેપથી ચાર ભેદના નામો આ પ્રમાણે છે- સંઘાતનાકરણ, પરિશાટનાકરણ, મિશ્રકરણ અને તેનો પ્રતિષેધ - સંઘાતના પરિશાટના શૂન્ય. તેના ચાર ઉદાહરણ - પટ અર્થાત વસ્ત્રમાં સંઘાતન, શંખમાં પરિશાટના, શકટ - ગાડામાં ઉભય છે તથા ઠુંઠામાં તે બંનેનો અભાવ છે. - x x x- હવે અજીવ પ્રયોગ કરણ - • નિક્તિ - ૧૫ + વિવેચન - જે-જે નિર્જીવોના જીવ પ્રયોગ કરાય છે, તે તે વર્ણાદિ કે રૂપ કર્માદિ તે સજીવ કરણ. દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણ કહે છે - • નિર્યુક્તિ - ૧૯૬ વિવેચન - નિત્યત્વથી ક્ષેત્રનું કરણ સાથે જતું નથી, તો કઈ રીતે ક્ષેત્ર કરણ સંભવે છે? તે કહે છે - આકાશ વિના નિર્વર્ય થતું નથી. જેથી અલ્પ પણ દ્વિ અણુક સ્કંધ આદિ, તેથી તેના પ્રાધાન્યથી દ્રવ્યકરણ પણ ક્ષેત્રકરણ કહેવાય છે - x x• ક્ષેત્ર શબ્દ આકાશનો વાચ્ય છે. તથા પર્યાય શબ્દત્વથી આ બંનેનું આ અભિધાન અદુષ્ટ જ છે. અને તે વ્યંજન- શબ્દ, તેનો પર્યાય અન્યથા થવું તે વ્યંજન પર્યાય છે. તેને પ્રાપ્ત. - 1 - ઇક્ષક્ષેત્ર કરણાદિ બહુ પ્રકારે છે. - ૪- સંપ્રદાયથી કહે છે કે, વ્યંજન પર્યાય પ્રાપ્ત છે ક્ષેત્રનો અભિલાપ કરાય છે, તે આ પ્રમાણે - ઇક્ષ ક્ષેત્ર કરણ, શાલિ ક્ષેત્ર કરણ, તલ ક્ષેત્ર કરણ ઇત્યાદિ. અથવા જે ક્ષેત્રમાં કરણ કરાય કે વર્ણવાય છે, તે ક્ષેત્રકરણ. હવે કાલકરણ કહે છે - • નિર્યુક્તિ - ૧૯૦ + વિવેચન - કાલ- સમયાદિ યાવતુપરિમાણ, જે કરણ નિષ્પતિ અપેક્ષા કારણત્વથી કહેવાય છે. અર્થાત્ જેને ભોજનાદિથી જેટલો બે ઘટિકાદિ કાલ વડે નિષ્પત્તિ, તેનો તે જ કાળ કરણ છે. તેના જ ત્યાં સાધકતમત્વ વડે વિવક્ષિત છે. અથવા જે કરણ જે જે કાળમાં છે, તેનો તે જ કાળ કરણ છે. અહીં અધિકરણ સાધનત્વથી વિવક્ષિતત્વથી કરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy