SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૧૪૩ ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભગવના ત્રીજા આરાના પાછલા ગભાણમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું છે? ગૌતમાં બહુસમ મણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર, હોય યાવતુ મણિ વડે ઉપશોભિત હોય છે. તે આ પ્રમાણે કુત્રિમ અને અકૃત્રિમ. ભગવન્તે આરાના પાછલના પ્રિભાગમાં ભરતક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે? ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારે સંઘયણ, છ પ્રકારે સંસ્થાન, ઘણા સો નુણ ઉd ઉંચાઈ, જઘન્યથી સંખ્યાત વર્ષ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષનું આયુ પાળે છે. પાળીને કેટલાંક નકમાં, કેટલાંક તિર્યંચમાં, કેટલાંક મનુષ્યમાં અને કેટલાંક દેવગતિમાં જાય છે, કેટલાંક સિદ્ધ થઈને યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચન-૪૦ : વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. • x • x • હવે આને જ વિભાગ પ્રદર્શનાર્થે કહે છે - તે સુષમદુ:ષમા નામે ત્રીજા આરો લક્ષણ વડે ત્રણ ભાગ કરાય છે. તે આ પ્રમાણે - પહેલા તૃતીયાંશ ભાગ તે પ્રથમ મિભાગ, એ પ્રમાણે આગળ પણ જાણવું. તેનો ભાવ આ છે - બે કોડાકોડી સાગરોપમના ત્રણ ભાગ વડે જે આવે, તે એકૈક ભાગનું પ્રમાણ છે, તે આ પ્રમાણે – ૬૬ કરોડ લાખ, ૬૬ કરોડ હજાર, ૬ કરોડ શતક, ૬૬ કરોડ, ૬૬ લાખ, ૬૬ હજાર, ૬૬૬ સાગરોપમ અને 3 સાગરોપમ. આ ચકો આ રીતે આવે – ૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬૬ 3. હવે પૂર્વના અને મધ્યમના ભાગને આશ્રીને પ્રશ્ન કરે છે - સ્વરૂપ વિષયક પ્રશ્ન પૂર્વવતું. વિશેષતા એ છે – ૨૦૦૦ ધનુષ અને કોશ ઉંચાઈ છે ૬૪ પીઠની પાંસળી છે કેમકે ૧૨૮નું અડધું આટલું થાય છે. એક દિવસ વીત્યા પછી આહારેચ્છા થાય છે. પલ્યોપમનું આયુ હોય, અપત્ય યુગલને ૩૯ અહોરાત્ર સંરક્ષણ અને સંગોપન કરે છે. તેનો અવસ્થા ક્રમ પૂર્વવત છે. વિશેષ એ કે એકૈક અવસ્થામાં કાલમાન ૧૧-દિવસ, ૧૩ ઘટી, ૮૫લ, ૩૪-અક્ષરથી કંઈક અધિક છે. ૭૯ને સાત વડે ભાગવાથી આટલો કાળ આવે છે. આમાં મનુષ્યોની ભિn mતિ નથી. ત્યારે. તેનો અસંભવ હોઈ શકે છે. તત્વ વિદ્વાનો જાણે અને જે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય એ ચાર ભેદ કહ્યા છે, તે ત્રીજા આરાના અંતે થનાર હોવાથી, અહીં તેનો અધિકાર નથી. (શંકા) આ આરાના ત્રણ વિભાગ કેમ કર્યા ? જેમ પહેલો આરામાં ત્રણ પલ્યોપમાય, ત્રણ ગાઉ ઉંચાઈ, ત્રણ દિવસ પછી ભોજન, ૪૯ દિવસ અપત્ય સંરક્ષણ છે, પછી ક્રમથી કાળની પરિહાનિથી બીજા આરાની આદિમાં બે પલ્યોપમાયુ, બે ગાઉ ઉંચાઈ, બે દિવસ પછી ભોજન, ૬૪ દિવસ અપત્ય સંરક્ષણ, પછી પણ તે પ્રમાણે જ પરિહાનિથી ત્રીજા આરાની આદિમાં એક પલ્યોપમાયુ, એક ગાઉ ઉંચાઈ, એક દિવસ પછી. ભોજન, ૭૯ દિવસ અપત્ય સંરક્ષણ કરીને પછી, ત્રણ ભાગ કરાયેલ બીજા આરાના પહેલાં બે મિભાગ સુધી, તે પ્રમાણે જ નિયત પરિહાનિથી ઘટતાં યુગલ મનુષ્યો થાય છે. અંતિમ ભાગમાં તે પરિહાનિ અનિયત થાય છે, તેમ સૂચવવા માટે ત્રિભાગ કરણ સાર્થક હોય તેમ સંભવે છે. અન્યથા જેમ આગમ સંપ્રદાયમાં વિભાગકરણનો હેતુ છે, તે જાણી લેવો. હવે ત્રીજા આરાના સ્વરૂપનો પ્રશ્ન કરતાં પૂછે છે –. x - જેમ દક્ષિણાદ્ધ ભરતના સ્વરૂપના પ્રતિપાદન અધિકારમાં વ્યાખ્યા કરી, તેમ અહીં સૂત્રમાં નિરવશેષ ગ્રહણ કરવી. વિશેષ એ કે- અહીં કૃષિ આદિ કર્મ પ્રવૃત્ત થયું, કૃત્રિમ તૃણ - કૃત્રિમ મણિ વડે એમ કહ્યું. પછી મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે, તે પૂર્વવતું. હવે જે રીતે જગતની વ્યવસ્થા થઈ તે કહે છે – • સુત્ર-૪૧ : તે આરાના પાછલા વિભાગમાં એક પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, અહીં આ પંદર કુલકરો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - સુમતિ, પ્રતિકૃતી, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુખાન, યશસ્વાન, અભિચંદ્ર, ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ. • વિવેચન-૪૧ : ત્રીજા આરાના છેલ્લા સિભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા આ સમયમાં આ પંદર કુલકરો થયા. કુલકર એટલે વિશિષ્ટ બુદ્ધિ વડે લોક વ્યવસ્થાકારી કુલકરણશીલ પુરુષ વિશેષ. અહીં કોઈ કહે છે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં સાત કુલકરોના નામો છે, અહીં પંદર નામો છે, તે કઈ રીતે સંભવે છે? [સ્થાનાંગ આદિમાં સાત જે કુલકરો. કહા છે • x • વિમલ વાહન, ચક્ષુમાન, યશસ્વાતુ, અભિચંદ્ર, પ્રસેનજિતુ, મરુદેવ અને નાભિ. અહીં ઋષભદેવ સહિત પંદર કહેલા છે. તેમાં પણ અભિચંદ્ર અને પ્રસેનજિતના અંતરાલમાં ચંદ્રાભ કહેલ છે. તો અન્યોન્ય સંગતિ કઈ રીતે થાય ? - હીરસૂરિ વૃત્તિ પુણ્ય પુરુષોના અધિકાધિક વંશ્ય પુરુષવર્ણનના ન્યાયથી આમ કહ્યું હોય. પરંતુ પલ્યોપમના આઠ ભાગ બાકી રહેતા - એ વચન કાળને સારી રીતે બાધક છે. તે આ રીતે - અસકલાનાથી પલ્યોપમના ૪૦-ભાગ પીએ, તેનો આઠમો ભાગ તે પાંચ થાય. તેમાં પણ પહેલા વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી ચાર ચાલીશ ભાગ તેના આયુના ગયા. બાકી એક પલ્યોપમનો ૪૦મો સંખ્યય ભાગ રહે, તે ચક્ષુખાન આદિના અસંખ્યાત પૂર્વથી - નાભિના સંખ્યાત પૂર્વથી શ્રી ઋષભસ્વામી ૮૪ લાખ પૂર્વથી બાકીના ૮૯ પક્ષથી પરિપૂર્ણ કરાય છે. તો પૂર્વના સુમતિ આદિ કુલકરોના મહત્તમ આયુનો અવકાશ કઈ રીતે રહે? હિીર વૃત્તિમાં કહે છે -કુલકરો જે પ્રકારે છે. કુલકર કૃત્યોમાં નિયુક્ત અને સ્વતંગપ્રવૃd. વિમલવાહનHIદિ નિયુક્ત છે તે સનાંગ આદિમાં કહા છે, તે જ કુલ કૃત્ય કરતાં કુલકરો
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy