SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-J•/૬૦૪ પૃથ્વીકાયિકપણામાં ચાવત્ મનુષ્યપણામાં અતીતકાળે તે પ્રમાણે અનંતા હોય છે. ભાવિકાળે થનાર એકથી અનંત સુધી કહેવા. તે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય. ૧૭૯ વ્યંતરપણામાં જેમ નૈરયિકપણામાં કહ્યું તેમ કહેવું. અર્થાત્ એકથી માંડી અનંત સુધી ન કહેવા. પરંતુ કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કે કદાય અનંતા કહેવા. જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં અતીત કાળે તે પ્રમાણે અનંતા થયેલા છે. જે ભાવિમાં થવાના છે, તે જઘન્યપદે અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ અનંતા જાણવા. એ પ્રમાણે અાયિકને ચાવત્ મનુષ્યને જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુકુમારવત્ કહેવા. પણ ભાવિના વિચારમાં સ્વસ્થાનની અપેક્ષાથી બધું એકથી માંડીને અનંત સુધી કહેવા. પરસ્થાનની અપેક્ષાથી અસુરકુમારનું સૂત્ર કહ્યું તેમ કહેવું. - ૪ - એ પ્રમાણે કષાય સમુદ્દાત સંબંધી ચોવીશ સંખ્યાવાળા ચોવીશ દંડકો કહેવા. - ૪ હવે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડક સૂત્રો વડે મારણાંતિક સમુદ્ઘાત કહે છે – - સૂત્ર-૬૦૫ : મારણાંતિક સમુદ્દાત સ્વસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડીને અનંતા વડે કહેવો. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો, એ પ્રમાણે એ ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા. વૈક્રિય સમુદ્લાત, કષાય સમુદ્દાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. તૈજસ સમુદ્દાત મારણાંતિક સમુદ્દાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે ચોવીશના ચોવીશ દંડકો કહેતા. ભગતના એક્રેક નૈરયિક, નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્દાતો અતીતકાળે થયેલા છે? ગૌતમ! થયેલા નથી. એ પ્રમાણે વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે, કોઈને નથી, જેને થયેલા છે, તેને જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ ત્રણ હોય છે. કેટલા ભાવિકાળ થવાના છે? ગૌતમ! કોઈને થવાના હોય છે કોઈને હોતા નથી. જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યો કહેવા. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને હોય છે, કોઈને હોતા નથી, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે ભાવિકાળમાં થવાના પણ જાણવા. એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો વૈમાનિકપણામાં સુધી કહેવા. - E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (90) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન્ ! એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિ સમુદ્દાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! થયા નથી. ભાવિ કાળે કેટલા થવાના છે ? થવાના નથી. એમ વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે થયા નથી. ભાતકાળમાં કોઈને થવાના હોય, કોઈને હોતા નથી. જેને થવાનો છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે • કોઈને નથી, જેને થયા છે તેને એક થયેલો છે, એમ ભાવિકાળે થવાનો પણ એક જ જાણવો. એમ આ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. • વિવેચન-૬૦૫ : ૧૮૦ મારણાંતિક સમુદ્દાત ભાવિકાળમાં સ્વસ્થાન વિશે અને પરસ્થાન વિશે એકથી માંડી અનંતસંખ્યા વડે કહેવો. - x - વૈમાનિકપણાં સુધી વૈમાનિકને સૂત્ર કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા મારણાંતિક સમુદ્દાતો અતીતકાળે થયા છે ? ગૌતમ અનંતા થયેલા છે. ઈત્યાદિ - ૪ - તેમાં જે મારણાંતિક સમુદ્ઘાત કર્યા વિના કાળ કરીને નકથી નીકળી તુરંત કે પરંપરાથી મનુષ્યભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નરકમાં જવાનો નથી. તેને ભાવિમાં મારણાંતિક સમુદ્દાત હોતા નથી. પરંતુ જે તે જ ભવમાં વર્તતો મારણાંતિક સમુદ્દાત વડે કાળ કરીને નથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિમાં એક મારણાંતિક સમુદ્દાત હોય છે. જે ફરી નકમાં આવી બધાં મળી બે મારણાંતિક સમુદ્દાતને પ્રાપ્ત થવાનો છે, તેને બે હોય છે. એ પ્રમાણે ત્રણ-સંખ્યાતા-અસંખ્યાતા-અનંત પણ કહેવા. એ પ્રમાણે અસુકુમારપણામાં સૂત્રપાઠ કહેવો. પરંતુ અહીં ભાવના આ પ્રમાણે છે – જે નકથી નીકળી મનુષ્યભવ પામી સિદ્ધ થશે, અથવા તે ભવમાં મારણાંતિક સમુદ્ધાતને પ્રાપ્ત ન કરીને મૃત્યુ પામી તેથી અન્ય ભવમાં મોક્ષે જશે, તેને હોતા નથી. બાકીનાને એકાદિનો વિચાર પૂર્વવત્ કરવો. વ્યંતર, જ્યોતિક વૈરયિવત્ કહેવા. જેમ નૈરયિકનો નૈરયિકાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુકુમારથી માંડી વૈમાનિક સુધીના ચોવીશ દંડકાના ક્રમે વિચાર કરવો. એ પ્રમાણે અન્યાન્ય પણ ચોવીશ દંડક સૂત્રો થયા છે. એમ મારણાંતિક સમુદ્દાત પ્રત્યેકના ચોવીશ-ચોવીશ દંડકથી કહ્યો. હવે એટલી જ સંખ્યાવાળા સૂત્રો વડે વૈક્રિયામુદ્દાતને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે – વૈક્રિય સમુદ્દાત વિશે કષાય સમુદ્દાત સંબંધે પૂર્વે કહ્યું તેમ બધે કહેવું. કેવળ જેને વૈક્રિય લબ્ધિનો અસંભવ હોવાથી વૈક્રિય સમુ નથી, તેને ન કહેવો. તે આ પ્રમાણે - એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વૈક્રિય સમુદ્ધાતો અદ્વૈતકાળે થયેલા છે ? ગૌતમ! અનંતા, કેટલા ભાવિ કાળે થશે ?, ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - એકૈક નૈરયિકને અસુકુમારપણામાં કેટલા વૈક્રિય સમુદ્લાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - એમ સ્વનિત કુમાર સુધી કહેવું. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy