SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૩૨ થી ૩૫ * સંવર-દ્વાર 1010 ૦ આશ્રવ દ્વાર કહ્યા. હવે તેના પ્રતિપક્ષરૂપ સંવર કહે છે. • સૂત્ર-૩૦,૩૧ : [૩૦] હૈ જંબૂ ! હવે હું પાંચ સંવરદ્વાર અનુક્રમથી કહીશ. જે પ્રકારે ભગવંતે સર્વ દુઃખના વિમોક્ષના માટે કહેલ છે. [૩૧] તેમાં પહેલું અહિંસા, બીજું સત્ય વચન, ત્રીજું અનુજ્ઞા પૂર્વક અપાયેલ [લેવું], ચોથું બ્રહ્મચર્ય, પાંચમું પરિગ્રહ જાણવું. છ સંવર-અધ્યયન-૧-“અહિંસા'' ૨૦૧ — * - * — x − x − x — * - સૂત્ર-૩૨ થી ૩૫ ૭ [૩] સંતરદ્વારોમાં પહેલી અહિંસા-ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. [૩૩] હે વ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં ઉપદેશ કરાયેલ છે, તપ-સંયમ-મહવ્રત, શીલ-ગુણ-ઉત્તમવતો, સત્ય-આતનો અવ્યય, ન-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ વક, સર્વજિનદ્વારા ઉપદિષ્ટ, કર્મરજ વિદાક, સેંકડો ભવ વિનાશક, સેંકડો દુ:ખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક, કાપુરુષ માટે દુસ્તર, સત્પુરુષો દ્વાર સેવિત, નિવણગમન અને સ્વર્ગ પ્રયાણક છે. આ રીતે પાંચ સંવર દ્વારા ભગવંત [મહાવીરે] કહેલ છે. તેમાં પહેલી અહિંસા છે [જેના આ રીતે સાઈઠ નામો છે] (૧) દેવ, મનુષ્ય, અસુર લોકને માટે દ્વીપ-દીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, નિર્વાણ છે. (૨) નિવૃત્તિ. (૩) સમાધિ, (૪) શક્તિ, (૫) કીર્તિ, (૬) કાંતિ, (૭) રતિ, (૮) વિરતિ, (૯) ભૃ ંગ, (૧૦) તૃપ્તિ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) સાંતિ, (૧૪) સમ્યકત્વારાધના, (૧૫) મહતી, (૧૬) બોધિ, (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ, (૧૯) સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ, (૨૨) સ્થિતિ, (૨૩) પુષ્ટિ, (૨૪) નંદા, (૨૫) ભદ્રા, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ. (૨૮) વિશિષ્ટ દષ્ટિ, (૨૯) કલ્યાણ. (૩૦) મંગલ, (૩૧) પ્રમોદ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) સિદ્ધાવાસ, (૩૫) અનાશ્રવ, (૩૬) કેવલી સ્થાન, (૩૭) શિવ, (૩૮) સમિતી, (૩૯) શીલ, (૪૦) સંયમ, (૪૧) શીલપરિગ્રહ, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) વ્યવસાય, (૪૫) ઉય, (૪૬) યજ્ઞ, (૪૭) આયતન, (૪૮) ચતન, (૪૯) પ્રમાદ, (૫૦) આશ્વાસ, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સર્વસ્ય અમાઘાત, (૫૪) ચોક્ષ (૫૫) પવિત્રા, (૫૬) સુચિ, (૫૭) પૂજા, (૫૮) વિમલ, (૫૯) પ્રભાસા, (૬૦) નિમલતર. આ તથા આવા બીજા સ્વગુણ નિષ્પન્ન પયિ નામો અહિંસા ભગવતીના પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ હોય છે. [૩૪] આ અહિંસા ભગવતી જે છે તે ભયભીત માટે શરણભૂત, પક્ષી માટે ગમન સામાન, તરસ્યા માટે જળ સમાન. ભુખ્યાને ભોજન સમ, સમુદ્ર મધ્યે જહાજ સમ, ચતુષ્પદે આશ્રમરૂપ, દુઃખ સ્થિત માટે ઔષધિલ, અટવી મધ્યે સાર્થ સમાન, અહિંસા આ બધાથી વિશિષ્ટ છે, જે પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ વનસ્પતિકાય, બીજ, હરિત, જલચર-સ્થળ-ચ-ખેચર, ત્રસ-સ્થાવર, બધાં જીવોને કલ્યાણકારી છે. ૨૦૮ આ ભગવતી અહિંસા તે છે જે અપરિમિત જ્ઞાન-દર્શનધર શીલ-ગુણવિનય-તપ-સંયમના નાયક, તીર્થંકર, સર્વ જગત્ જીવવત્સલ, ત્રિલોકપૂજિત, જિનચંદ્ર દ્વારા સારી રીતે ટ છે... અવધિ જિન વડે વિજ્ઞાત છે, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની દ્વારા જોવાયેલ છે, વિપુલમતિ મનઃ પવજ્ઞાનીને જ્ઞાત છે, પૂર્વધરો વડે અધીત છે, વૈક્રિય લબ્ધિધરે પાળેલ છે. મતિ-શ્રુત-મનઃપવ-કેવળજ્ઞાની વડે, આમષધિ શ્લેષ્મીપધિ-જલ્લૌષધિ-વિધિ-સૌષધિ પ્રાપ્ત વડે, બીજબુદ્ધિકોષ્ઠ બુદ્ધિ-પદાનુસારી-સંભિન્નશ્રોત-શ્રુતધર વડે, મન-વચન-કાય-જ્ઞાન-દર્શનચાસ્ત્રિબલિ વડે, ક્ષીરાશ્રત-મધ્વાશ્રય-સર્પિરાશ્રવ વડે, અક્ષીણમહાનસિક વડે, ચારણ-વિધાધર વડે, ચતુર્થભક્તિક યાવત્ છ માસ ભક્તિક વડે - [તથા] ઉત્સિતા-નિતિ-અંત-પ્રાંત-સૂક્ષ-સમુદાનચરક વડે, ગ્લાયક વડે, મૌનાક વડે, સંસૃષ્ટ-તાત સંસૃષ્ટ કલ્પિક વડે, ઉપનિધિક વડે, શુદ્વૈષણિક વડે, સંખ્યાદત્તિક વડે, દૃષ્ટ-અષ્ટ-સૃષ્ટલાભિક વડે, આયંબિલપુરિમાદ્ધ-એકાશનિક-નિર્વિકૃતિક વડે, ભિન્ન અને પરિમિત પિંડપાતિક વડે, અંત-પ્રાંત-અરસ-વિરસ-રૂક્ષ-તુચ્છ આહારી વડે, અંત-પ્રાંત-સૂક્ષ-તુચ્છ-ઉપશાંતપ્રશાંત-વિવિધજીવી વડે, દૂધ-મધુ-ઘી ત્યાગી વડે, મધ-માંસ ત્યાગી વડે, સ્થાનાયિક-પ્રતિમાસ્થાયિક-સ્થાનોત્કટિક-વીરસનિક-નૈષધિક-દંડાયતિકલખંડશાયિક વડે, એકપાઈક-આતાપક-અપવત-અનિષ્ઠીવક-અર્કષક વડે, ધૂતકેશ-મન્નુ-રોમ-નખના સંસ્કારત્યાગી વડે. સર્વ ગાત્ર પ્રતિક્રર્મથી વિમુક્ત વડે (તથા) શ્રુતધર દ્વારા તત્ત્વાર્થને અવગત કરાવનાર બુદ્ધિના ધાક ધીર મહાપુરુષોએ [આ અહિંસા] સમ્યક્ આચરણ કરાયેલ છે. આશીવિશ્વ સર્પ સમાન ઉગ્ર તેજ સંપન્ને, વસ્તુતત્વના નિશ્ચય અને પુરુષાર્થમાં પૂર્ણ કાર્ય કરનારી બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞાપુરુષોએ નિત્ય સ્વાધ્યાય-ધ્યાન અનુબદ્ધ ધર્મધ્યાન, પાંચ મહાવ્રતરૂપ ચાસ્ત્રિયુક્ત, સમિતિથી સમિત, સમિત પાપા, પદ્ જીવનિકાય જગવત્સલ, નિત્ય અપમત રહી વિચરનારા તથા આવા બીજાઓએ પણ તેને આરાધી છે. આ અહિંસા ભગવતીના પાલક પૃથ્વી-અગ્નિ-વાયુ-તરુગણ-ત્રાસ્થાવર સર્વ જીવ પ્રતિ સંયમરૂપ ધ્યાને માટે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુ માટે ન કરેલ, ન કરાવેલ, નાહૂત, અનુદિષ્ટ, ન
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy