SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૬/૯૨૭,૯૨૮ અને કોઈ પ્રતિભવ પ્રતિસેવના કુશીલવાદિ યુક્તિથી પૂરે છે - ૪ - હવે આર્ષ દ્વાર - આકર્ષ અને ચાસ્ત્રિની પ્રાપ્તિ. સવમાં શત પરિમાણ વડે. - શત પૃથä. - ૪ - ૪ - ઉત્કૃષ્ટ બે વખત એટલે એક ભવમાં બે વખત ઉપશમ શ્રેણીકરણથી નિર્ણવ્યત્વના બે આકર્ષ થાય. 939 પુલાકના વિવિધ ભવગ્રહણમાં જે થાય, તેને એક આકર્ષ એક ભવમાં, બીજો અન્યત્ર ભવમાં, એ રીતે અનેક ભવમાં બે આકર્ષ થાય. પુલાકત્વ ઉત્કર્ષથી ત્રણ ભવમાં થાય, તે ઉત્કર્ષથી ત્રણ વખત થાય. પછી પહેલા ભવમાં એક આકર્ષ, અન્ય બે ભવમાં ત્રણ, ત્રણ એ પ્રમાણે સાત આકર્ષ થાય. બકુશને ઉત્કર્ષથી આઠ ભવ કહ્યા. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ આકર્ષ કહ્યા. તેમાં આઠ ભવ ગ્રહણમાં ઉત્કૃષ્ટથી પ્રત્યેક ભવના ૯૦૦ આકર્ષ ગણતાં આઠ ભવમાં ૭૨૦૦ આકર્ષ થાય. નિગ્રન્થને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણો કહ્યા છે. એક ભવમાં બે આકર્ષથી બે, બીજા ભવમાં બે, પછીના ભવે એક એમ પાંચ આકર્ષ કરીને સિદ્ધ થઈ શકે, એમ કરીને પાંચ કહ્યા. - - - - કાળદ્વારમાં કહે છે– • સૂત્ર-૯૨૯,૯૩૦ : [૯૨૯] ભગવન્ ! પુલાક, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. એ રીતે પ્રતિોવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. -- નિગ્રન્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જન્મ એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત, - - સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોડી. ભગવન્ ! મુલાકો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂ - - બકુશો વિશે પૃચ્છા. ગૌતમ ! સર્વકાળ એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. - - નિગ્રન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવત્ જાણવા. [૩૦] ભગવન્ ! મુલાકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશ ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્દ એ રીતે યાવત્ નિગ્રન્થ. સ્નાતકો વિશે પૃચ્છા. [તેમને] અંતર નથી. ભગવન્ ! મુલાકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો. બકુશો વિશે પ્રથ્ન ? ગૌતમ ! અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. નિગ્રન્થો વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા. • વિવેચન-૯૨૯,૯૩૦ : પુલાકત્વને પ્રાપ્ત અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી કે મુલાકત્વથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પડતા નથી. માટે જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યું. ઉત્કૃષ્ટથી પણ આ પ્રમાણ અંતર્મુહૂર્ત છે. - ૪ - બકુશને ચાસ્ત્રિ પ્રાપ્તિના પછીના જ સમયે મરણ સંભવે છે, માટે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વ કોડી કહ્યું કેમકે પૂર્વકોડી આયુવાળા આઠ વર્ષને અંતે ચાસ્ત્રિ સ્વીકારે તો તેમ થાય. નિર્ગુન્થને જઘન્ય એક સમય. ઉપશાંત મોહના પ્રથમ સમય પછી અનંતર જ મરણનો સંભવ છે. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. - - સ્નાતકને જઘન્યથી અંતર્મુહૂર્ત કેમકે આયુના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પત્તિમાં સ્નાતકનો આ જઘન્ય કાળ ચાય છે. ૧૩૮ પુલાકાદિનું કાળમાન હવે બહુવચનમાં કહે છે – એક પુલાકનો જે અંતર્મુહૂર્ત કાળ, તેના અંત્ય સમયે, બીજા ખુલાકત્વને પામે છે, એ રીતે જઘન્યત્વ વિવક્ષામાં બંને પુલાકનો એકત્ર સમયમાં સદ્ભાવ હોય છે - ૪ - જો કે પુલાકો ઉત્કૃષ્ટથી એક સમયે સહપૃથકત્વ પરિમાણને પામે છે તો પણ અંતર્મુહૂર્વથી ઘણાં પુલાકોની અંતર્મુહૂર્ત સ્થિતિ મોટી હોય છે. તેથી તેમનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત કહ્યું છે. બકુશાદિનો સ્થિતિકાળ સર્વકાળ છે. કેમકે તે પ્રત્યેકની સ્થિતિનું બહુપણું છે. નિર્પ્રન્ગો, પુલાકવત્ કહેવા. - X - ક્ષેત્રથી અંતરદ્વાર - તેમાં પુલાક, પુલાક થઈને કેટલા કાળે પુલાકત્વ પામે ? જઘન્યથી અંતર્મુહૂર્ત રહીને ફરી પુલાક જ થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળે પામે. અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત અંતર જાણવું. કોઈ જીવ આકાશના પ્રત્યેક પ્રદેશે મૃત્યુ પામે, આવા મરણમાં જેટલો કાળ સમસ્ત લોકને વ્યાપ્ત કરે તેટલો કાળ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કહ્યું છે. સ્નાતકોને પ્રતિપાતના અભાવે અંતર નથી. - - એવાપેક્ષાએ પુલાકત્વનું અંતર કહી પૃથકત્વાપેક્ષાએ પણ કહ્યું છે - હવે સમુદ્દાત કહે છે– • સૂત્ર-૯૩૧ થી ૯૩૪ : [૯૩૧] ભગવન્ ! પુલાકને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! ત્રણ. વેદના - કષાય અને મારણાંતિક સમુદ્ભુત. ભગવન્ ! બકુશને ? પાંચ સમુદ્ઘાત વેદના યાવત્ đજા સમુદ્દાત. પતિોવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. - કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ સમુદ્ઘાતો છે - વેદના યાવત્ આહાર સમુદ્દાત. - - નિગ્રન્થ વિશે પ્રı? ગૌતમ ! એક પણ નથી. - - સ્નાતક વિશે પૃચ્છા-ગૌતમ ! એક જ કેવલી સમુદ્ઘાત. [૩૨] ભગવન્ ! પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય? સંખ્યાત ભાગોમાં હોય? અસંખ્યાત ભાગોમાં હોય? સર્વલોકમાં હોય? ગૌતમ ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિગ્રન્થ સુધી કહેવું. - - નાતક વિશે પ્રશ્ન ગૌતમ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત - --
SR No.009004
Book TitleAgam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy