SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કo ૪/૨/૩૧૯ થી ૩૨૨ કોડાકોડી સાગરોપમ કાલ હતો.. જંબૂદ્વીપના ભરત-ઐરાવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં ચાર સાગરોપમ કોડાકોડીનો કાળ હશે. [] જમ્બુદ્વીપમાં દેવકુ-ઉત્તરકુરને છોડીને ચાર અકર્મભૂમિ કહી છે - હૈમવત, ઐરણયવત, હરિવર્ષ, રમ્યમ્ વર્ષ.. ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો છે • શદપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત પાયિ... ત્યાં ચાર મહર્વિક દેવો યથાવત્ પલ્યોપમની સ્થિતિવાળ વસે છે - સ્વાતિ, પ્રભાસ, અરુણ, પu.. જંબુદ્વીપમાં મહાવિદેહ મ ચાર ભેદે કહ્યું છે - પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવગુરુ ઉત્તર બધા નિષધ અને નીલવંત પર્વતો ૪00 યોજન ઊંચા અને ઝoo ગાઉ ઉંડા કહ્યા છે. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીની ઉત્તરે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ, કરોલ... જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પવનો કહ્યા છે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - અંકાવતી, પમાવતી, આશીવિષ, સુખાવહ... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . ચંદ્ર પર્વત, સૂર્ય પર્વત, દેવ પર્વત, નાર પર્વત... જંબૂદ્વીપના મેરની ચાર વિદિશાઓ ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે - સૌમનસ, વિધુતભ, ગંધમાદન અને માલ્યવંત. જંબુદ્વીપના મહાવિદેહ ફોગમાં જઘન્યથી ચાર અરિહંતો, ચાર ચક્રવતીઓ, ચાર બળદેવો, ચાર વાસુદેવો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. જંબૂદ્વીપના મેરુ પર્વતને વિશે ચાર વન કહ્યા છે - ભદ્રાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન... જંબૂદ્વીપના મેરના પંડકવનમાં ચાર અભિષેકશીલાઓ કહી છે . પંડકંબલ શિલા, અતિખંડુકંબલ શિલા, કતર્કબલ શિલા, અતિકતકંબલ શિલા.. મેરુ ચૂલિકા ઉપરના ભાગે ચાર યોજનની પહોળાઈ વડે કહી છે.. એ રીતે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાધિમાં પણ કાળ સુઝથી આરંભીને ચાવત મેર ચૂલિકા પર્યન્ત જાણતું. એ પ્રમાણે ચાવત પુખરવર દ્વીપના પશ્ચિમાધમાં ચાવતું મેરુ ચૂલિકામાં જાણવું. [૩૨] જંબૂદ્વીપમાં અવશ્ય રહેલ વસ્તુ કાળસૂત્રથી ચૂલિકા સુધી કહી તેમજ યાવત્ ધાતકીખંડ અને પુરવરમાં પૂર્વ-પશ્ચિમ પડખે છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૨ : (3૧૯] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ - ચાર દિશાઓનો સમૂહ તે ચતુર્દિક, તે ચાર દિશાઓમાં. કૂટ એટલે શિખર. અહીં દિશાણપણથી વિદિશાઓમાં પણ કૂટ છે તેમ જાણવું. તેમાં અગ્નિકોણમાં રત્નકૂટ છે, ત્યાં વેણુદેવનું નિવાસસ્થાન છે. નૈઋત્યકોણમાં રનોચ્ચયકૂટ પર વેલંબ વાયુકુમાર ઇન્દ્રનો નિવાસ છે, જેનું બીજું નામ વેલંબસુખદ છે. ઇશાન કોણમાં વેણુદાલિ સુવર્ણકુમારેન્દ્રનો નિવાસ છે. વાયવ્ય કોણમાં પ્રભંજન સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વાયુકુમારેન્દ્રનું રત્નસંચયટ છે. એ રીતે દ્વીપસાગરપ્રાપ્તિ સંગ્રહણી અનુસાર આ વ્યાખ્યા બતાવી. - x • રત્નકૂટના પશ્ચિમ ભાગે ત્રણ કૂટોને ઉલ્લંધીને વેલંબ વાયુકમારેન્દ્રનું વેલંબ સુખદ નામે કૂટ છે. સર્વ રત્નકૂટના પશ્ચિમે ત્રણ કૂટને ઉલ્લંઘીને પ્રભંજન વાયુકુમારેન્દ્રનું ઋદ્ધિમાન પ્રભંજનકૂટ છે. અહીં ચાર સ્થાનના અનુરોધથી માત્ર ચાર કૂટો કહ્યા છે. અન્યથા બીજા પણ બાર કૂરો છે. જે પૂવિિદ ચાર દિશામાં અને દેવાધિષ્ઠિત છે. કર] આ સૂપની કોઈ વૃત્તિ વૃત્તિકારે મોંધી નથી. [૩૨૧] માનુષોત્તરે કૂટ દ્રવ્યો કહ્યા, હવે તેનાથી આવૃત ફોક દ્રવ્યોને ચાર સ્થાન વડે કહે છે - જંબૂદ્વીપના ભરતથી આરંભી મેરુ ચૂલિકા પર્યન ગ્રંથ વડે કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ એ • ચિત્રકૂટાદિ ૧૬ વક્ષસ્કાર પર્વતો આ પ્રમાણે છે - વિજય, વાકાર પર્વત, અંતર્નાદી, વનમુખોનો આયામ ૧૬,૫૯૨ યોજન અને કળા છે. બધાં વક્ષસ્કાર પર્વતો રનમય છે. જે દિશાએ વર્ષધર પર્વતો છે, ત્યાં ૧૦૦ યોજન ભૂમિમાં ઉંડા, ૪૦૦ યોજના ઊંચા છે, ત્યાંથી નદી તરફ ૫૦૦ ગાઉ ભૂમિમાં ઉંડા અને ૫oo યોજન ઉંચા છે, તેથી અઘરૂંધ આકારે રહેલ છે.. બધાં વિજયોમાં પ્રત્યેકનો વિઠંભ ૨૨૧૩ યોજન છે. વક્ષસ્કારની પહોળાઈ પ00 યોજન અને અંતરનદીની ૧૨૫ યોજન છે.. જે જણાય છે તે પદ-સંખ્યા સ્થાન અનેક ભેદે છે. સર્વથી હીનપદ તે જઘન્ય પદ, તેમાં વિચારતા અવશ્ય ભાવથી અરિહંતાદિ ચાર હોય જ. મેરની તળભૂમિમાં ભદ્રશાલવન, મેખલાયુગલમાં નંદન અને સોમનસવના અને શિખરે પાંડુકવન છે. તેમાં મેરુ પર્વતનું ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમ ૨૨,ooo યોજના લાંબુ અને ઉત્તર-દક્ષિણ ર૫૦ યોજન પહોળું છે. ત્યાંથી પoo યોજન ઉંચે ૫૦૦ યોજન પહોળાઈથી નંદનવન છે, જે મેરુને વીંટીને રહેલું, રમ્ય છે. ત્યાંથી ૬૨,૫૦૦ યોજન ઉંચે નંદનવન સદંશ સૌમનસ વન છે. તે ૫૦૦ યોજન પહોળાઈ વાળું છે. સોમનસથી ૩૬,૦૦૦ યોજન ઊંચે મેરુના શિખરે પંડકવન છે, તેમાં નિર્મળ, અગાધજળ ભરેલ કુંડો છે. તે ૪૯૪ યોજન વિસ્તારવાળું, ૩૧૬૨ યોજન પરિધિવાળું ચક્રવાલ છે. ત્યાં તીર્થકરોના અભિષેક માટેની અભિષેક શિલાઓ લિકાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં ક્રમશઃ છે. આગળના ભાગમાં વિસ્તારવાળી છે. - જે રીતે કાલમાનથી આરંભીને ચૂલિકા પન કહેલ છે, તેમ ધાતકીખંડના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાઈમાં પણ કહેવું. એક મેર સંબંધી કથત અન્ય ચાર મેરુની સમાન છે. આ વર્ણન સંગ્રહ ગાથા વડે કહે છે [૩૨૨] જંબૂદ્વીપનું આ વર્ણન તે જંબૂદ્વીપક અથવા જંબૂદ્વીપ પ્રત્યે પ્રાપ્ત થાય તે જંબૂઢીપગ. જંબૂદ્વીપમાં જે વર્ણન કહેવા યોગ્ય હોવાથી આવશ્યક છે, તે જંબૂદ્વીપકાવશ્યક. * * કયું આદિ ? કયું અંત્ય ? તે કહે છે - સુષમસુષમાં લક્ષણકાળથી આરંભીને ચાવતું મેરુચૂલિકા પર્યન્ત વર્ણન ધાતકીખંડ અને પુકરવર
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy