SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આ આગાર એકશનથી અઠમ સુધીના પચ્ચકખાણમાં હોય. તેથી આગળ (૪ ઉપવાસ વગેરે) ના પચ્ચખાણમાં આ આગાર ન હોય. (૧૨) ચોલપટ્ટાગારેણ - જિન્દ્રય મહામુનિઓ અમુક પ્રસંગે વવાનું પણ અભિગ્રહ પચ્ચખાણ કરે છે. તેવા મન વાહત થઈ બેઠા હોય અને તેવા પ્રસંગે જો કોઈ ગૃહસ્થ આવે તો ઉઠીને તુરત ચોલપટ્ટો પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્ર અભિગ્રહ પચ્ચખાણનો ભંગ ન થાય. એકલા વત્યાગના પુરૂખાણમાં ‘પાંગુરણસંહએ પચ્ચક્ખામ અન્નત્થણાભોગેણં...” ઈત્યાદેિ આલાપક ઉચરવો. આ આગાર સાધુઓને જ હોય છે. હાલમાં વડાપકખાણનો અભાવ છે માટે આ આગાર ઉરચુરાવાતો નથી.. (૧૩) લેવાલેવેણ - અકલ્પનીય દ્રવ્યથી ખરડાયેલ કડછી કે ભાજનને લૂછવા છતા સર્વથા અલેપ નથી થતું પણ લેપાલેપ રહે છે. એનાથી કે એમાંથી વહોરાવેલ હાર વાપરતા આર્યામલ તથા નવના પચ્ચખાણનો ભંગ ન થાય. (૧૪) ગિહન્દુસંસઠેણં - ‘શાક, કરંબો વગેરે વધારવાથી કંઈક લેપવાળી થયેલી હથેલી રોટલી વગેરે ના લુવામાં ઘસીને ગૃહસ્થ પોતાની માટે બનાવેલ વસ્તુ મુનિને નવી-આર્યાબલમાં કલ્પ. સ્પષ્ટ રસ અનુભવવામાં આવે તો ન કલ્પ. આ આગાર મુનિને જ છે. (૧૫) ઊંખdવવેગેણં - રોટલી વગેરે પર પડેલી ગોળ વગેરે પિંડવગઈ? ઉપાડી લઈ દૂર કરે છતા કંઈક અંશ રહી જાય તો તે રોટલી વગેરે વાપરતા આર્યોબલાના પચ્ચખાણનો ભંગ ન થાય. સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંsવિગઈને ઉપાડી લેવાથી આંધ5મગ્રતાવાળા ભોજન વડે તો પચ્ચખાણનો ભંગ થાય જ. આ આગાર મુનને જ હોય છે. (૧૬) પડુચ્ચર્માખએણે - નીવીમાં ન કલ્પે તેવી ધી વગેરે વિગઈનો હાથ રોટલી વગેરેની કણકમાં દઈ બનાવેલી રોટલી વગેરે વાપરતા નીવીના પચ્ચકખાણનો ભંગ ન થાય. સૂક્ષ્મ પણ ધાર રેડીને કણઝાદે મસળ્યા હોય તો પચ્ચખાણનો ભંગ થાય જ. આ આગાર નીવીમાં જ હોય છે અને મુનને જ હોય છે. (૧૭) લેવેણ વા - તિવિહાર ઉપવાસાના પરચખાણમાં શુદ્ધ પાણી ન મળે અને ઓસામણનું પાણી - રાંધેલા અનાજનું ડહોળ અને દાણા વિનાનું એવુ નિતર્યું પાણી, ખજૂરનું પાણી, આમલીનું પાણી, દ્રાક્ષનું પાણી વગેરે મળે કે જેમાં ત્યાગેલા અદનાની રજકણો હોય તો તેવું પાણી કારણસર વાપરતા પુરચખાણનો ભંગ ના થાય. તે પાણી ભાજનને કંઈક ચીકણુ કરે માટે લેપકૃત પાણી કહેવાય. (૧૮) અલેવેણ વા - શુદ્ધ પાણીના અભાવે કારણસર છાશની આછ વગેરે અપકૃત પાણી તિવહાર ઉપવાસાદિના પરખાણમાં વાપરે તો પણ પચ્ચખાણનો ભંગ ન થાય. તે પાણી ભાજનને ચીકણ ન કરતુ, માટે અપકૃત્ પાણી કહેવાય. (૧૯) અચ્છેણ વા - ત્રણ ઉકાળાવાળુ નિર્મળ જળ, ફળાદેના ધોવણ, ફળાદના નિર્મળ ચત્ત જળ વાપરવાથી તિવિહાર ઉપવાસાદના પચ્ચખાણનો ભંગ ન થાય. તિવિહાર ઉપવાસાદિમાં મુખ્યતયા ત્રણ ઉકાળાવાળુ નિર્મળ પાણી જ વાપરવુ જોઈએ. (૨૦) બહુલેવેણ વા - બહુલજળ એટલે તલનું ઘોવણ, તંદુલનું ઘોવણ ૧. ગૃહસ્થ એક ચીજ વહોરાવ્યા પછી બીજી ચીજ વહોરાવે ત્યારે હાથ વગેરેને લાગેલા પહેલી ચીજના અંશો બીજી ચીજને લાગે. પહેલી ચીજનો જેને ત્યાગ હોય તેને પણ અત્યંત બીજી ચીજ આ આગારથી કલ્પે. જેમકે પહેલા ચોપડેલી રોટલી વહોરાવૈ, પછી ભૂખી રોટલી વહોરાવે, તો પહેલા વહોરાવેલ રોટલી પરનું ધી હાથ પર લાગેલ હોય તો લૂખી રોટલીઓને લાગ્યું હોય છતા એ લૂખી રોટલીઓ આયંબલ વગેરેવાળાને આ આગારથી કલ્પ. (૭૭) (૭)
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy