SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ભદ્રા બોલી : ઓ નરનાથ ! દેવતાઈ માળા, દેવતાઇ વસ્ત્રો, દેવતાઇ આહાર અને દેવતાઇ વિલેપનોથી ટેવાયેલો આ શાલિભદ્ર માણસોના શ્વાસથી અત્યંત પીડાય છે. જેમ પ્રજાના નિસાસાથી ભ્રષ્ટ-રાજાનું રાજય, પારકાના નિસાસાથી જેમ સુખ, ભોરિંગ નાગના ફૂંફાડાથી જેમ જીવન અને ઊંચા શ્વાસથી જેમ શરીર દુભાય. | ૧૪૧ / ૧૪૨ || હે રાજન્ ! કારણ કે, દેવપણાને પામેલા આના પિતા (ગોભદ્રદેવ) પ્રિયા સહિત આ શાલિભદ્રને દિવ્ય ભોગલક્ષ્મી આપે છે, જેમ કલ્પવૃક્ષ યુગલિકોને દિવ્ય ભોગ-લક્ષ્મી આપે છે. ૧૪૩ છે. ઓ મહારાજા ! ઓ નરદેવ ! તો લક્ષ્મીના ક્રીડાપાત્ર, કમળ જેવા કોમળ આ શાલિભદ્રને કૃપા કરીને આપ આપના હાથમાંથી છોડી દો. ગૌણાર્થ: ઓ ઉત્તમ હાથી ! લક્ષ્મીનું ક્રીડાપાત્ર (કમળ), કૃપા કરીને તું તારી સૂંઢમાંથી છોડી દે. ૧૪૪ // તે પવિત્ર શ્રેણિકથી મુક્ત થયેલો, સુખી, પ્રસિદ્ધ ગુણવાળી, બત્રીશ પત્નીઓ સાથે શાલિભદ્ર ક્ષણવારમાં મંગળમય સાતમા માળે પહોંચી ગયો. ગૌણાર્થ : પુણ્યકર્મથી મુક્ત થયેલો સુખ સહિત બત્રીશ સિદ્ધ ગુણો સાથે (૩૧ સિદ્ધ ગુણો + ૧ સુખ) તે (જીવ) એ જ સમયે (અહીંથી) સાતમા રાજલોકમાં રહેલા મોક્ષમાં પહોંચી ગયો. || ૧૪૫ //. હવે ભદ્રા શ્રેણિકને કહે છે : હે સ્વામી ! આપના આગમનથી આપે મારો પુત્ર ધર્મની જેમ પ્રતિષ્ઠિત કર્યો. (પ્રતિષ્ઠા-યુક્ત કર્યો) હવે વિદ્યા જેવી મારી સંપત્તિને દર્શનપૂર્વકના આપના અનુભવથી પવિત્ર કરો. 828282828282828282828282828282828482 / રૂo ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy