SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ-જીવોને પણ સચ્ચિદાનંદ સ્વરૂપે જુએ છે. દ્રવ્યરૂપે આત્મા, પરમાત્મા સ્વરૂપ જ છે. સર્વ જીવોના આઠ રુચક પ્રદેશો સદા કર્મરહિત-નિરાવરણ હોવાથી સિદ્ધ સદેશ શુદ્ધ છે, અર્થાત્ જીવ માસમાં પરમાત્મશક્તિ રહેલી છે, તેને ઉપાદાન શક્તિ કહે છે. જીવના ચૌદ સ્થાનો-ભેદ, ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણા આ સર્વ જીવનાં પરિણામો છે, જીવની અવસ્થાઓ છે - તે બદલાયા કરે છે, પણ જીવ કદી બદલાતો નથી. તેનો શુદ્ધ જ્ઞાયકભાવ સદા એક સ્વભાવવાળો છે. 3 ભાવની અપેક્ષાએ જીવ અનંત પર્યાયવાળો છે, અર્થાત્ જીવના અનંતા જ્ઞાન પર્યાયો, દર્શન પર્યાયો, ચારિત્ર પર્યાયો અને અગુરુલઘુ પર્યાયો હોય છે. ‘ì આયા’આ સૂત્ર-પદ ચેતના લક્ષણની અપેક્ષાએ આત્મા એક છે' એમ જણાવે છે. જુદી-જુદી અપેક્ષાઓથી જીવોના અનેક ભેદ અનેક રીતે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તેમાં ‘ચેતના’ની અપેક્ષાએ જીવનો એક ભેદ કહ્યો છે. આત્માનું જે સત્-ચિત્ર-આનંદમય શુદ્ધ સ્વરૂપ છે, તે સર્વ જીવોનું એક સરખું છે. સ્વરૂપથી સર્વ જીવો સદશ છે. જેવો સ્વભાવ સિદ્ધ-પરમાત્માનો છે, તેવો જ સ્વભાવ સર્વ-જીવોનો છે. એથી જ જે યોગી પુરુષો સચ્ચિદાનંદમય સ્વસ્વભાવમાં મગ્ન હોય છે, તેઓ સર્વ અવસ્થાઓ છે. પરમાત્મા શુદ્ધ નયની દૃષ્ટિએ ઉપર્યુક્ત સર્વ અવસ્થાઓ કર્મજન્ય હોવાથી ઉપાધિરૂપ છે. જીવ સ્વયં સકળ ઉપાધિઓથી રહિત, નિષ્કલ અને શુદ્ધ સ્ફટિક સર્દેશ નિર્મળ છે. બહિરાત્મા, અંતરાત્મા અને આ ત્રણે આત્માની જ ૧. વેળિી વ્વ, સંઘાતીતખવેશમોગાતું | बृहत्कल्पसूत्र पीठिका. काले अणादिनिहणं, भावे नाणाइयाऽणता ।। १५४ ।। ૨. ચૌદ માર્ગણા-જીવોની બાહ્ય અને આંતરિક જીવન સંબંધી અનંત ભિન્નતાઓનું એક બુદ્ધિગમ્ય વર્ગીકરણ, તેને માર્ગણા કહે છે. તે મુખ્ય ૧૪ માર્ગણાઓ નીચે મુજબ છે : (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (પ) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભવ્ય, (૧૨) સમ્યક્ત્વ, (૧૩) સંત્તી, (૧૪) આહારક. ગતિ આદિ ચાર અવસ્થાઓને લઇને જીવમાં ગુન્નસ્થાન આદિની માર્ગા એટલે કે વિચારણા કરવામાં આવે છે, તે અવસ્થાઓને માર્ગણા કહે છે. 3. जीवस्थानानि सर्वाणि, गुणस्थानानि मार्गणाः । પરિનામા વિવર્તને, ઝીવસ્તુ ન વાચન ॥ ૨૧ || उपाधिः कर्मणैव स्या-दाचाराऽऽदौ श्रुतं ह्यदः । विभवानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥ ४० ॥ 1 - ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૨૧ - - - દા. દા. ૨૦.
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy