SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન-ભિન્ન પ્રકારની હોય છે, દરેક જીવની આ વ્યક્તિગત યોગ્યતાને તથાભવ્યત્વ કહે છે. મોક્ષ પ્રાપ્તિમાં દરેક ભવ્યજીવને ક્ષેત્ર, કાળ, ભાવ આદિની ભિન્નતા હોય છે, તેમાં તેમનું તે-તે પ્રકારનું તથાભવ્યત્વ કારણભૂત છે. દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્નભિન્ન હોવાથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન હેતુઓથી થાય છે. કોઇ જીવને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ નિસર્ગથી તો કોઇને અધિગમથી થાય છે. પ્રાપ્ત થાય છે. તેના સિવાય કર્મક્ષયનું કાર્ય થઇ શકતું નથી. મોહનીય આદિ કર્મોના ક્ષય માટે પ્રવૃત્ત જીવને નિર્મળ અને નિશ્ચળ ધ્યાન-યોગ અપેક્ષિત છે. પ્રસ્તુતમાં બતાવેલા છન્નુ પ્રકારના યોગો ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિ અને એકાગ્રતાના સૂચક છે. સહજ યોગ્યતાનું કારણ - જીવ માત્રમાં બોધ વ્યાપારરૂપ ‘ઉપયોગ’ હોય છે. ઉપયોગ જીવનો સહજ સ્વભાવ છે, ધર્મ છે, ધ્યાનમાં ઉપયોગની એકાગ્રતા છે. જીવને અશુભ (આર્ત્ત-રૌદ્ર) ધ્યાનનો અભ્યાસ અનાદિ કાળથી છે. કોઇ પ્રબળ પુણ્યોદય જાગતાં જીવને મરુદેવા માતાની જેમ સામાન્ય નિમિત્ત મળતાં મરુદેવા માતાની જેમ જે ભવ્યજીવોને સહજ રીતે અશુભ-ધ્યાનનો નિરોધ થઇ સમ્યગ્દર્શન આદિ ગુણો કે ધ્યાન-જાય અને શુભ-ધ્યાન લાગુ પડે, ક્રમશઃ શક્તિઓ સહજ-સ્વાભાવિક રીતે-બાહ્ય સમાધિ અને પરમ માધ્યસ્થભાવ પ્રગટ નિમિત્તો વિના આત્માના તથાપ્રકારના થાય અને ઉત્તરોત્તર વીર્યોલ્લાસ વૃદ્ધિગત વિશિષ્ટ શુભ પરિણામથી પ્રગટે છે, થતાં, ચાર ઘાતીકર્મોનો ક્ષય થતાં તેમને યોગના આ ૯૬ પ્રકારો સહજ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. સ્વાભાવિક રીતે હોય છે, ‘ભવનયોગ’રૂપ છે. તે આ રીતે જે જીવોને ધ્યાન સંબંધી ભેદ-પ્રભેદો કે તેની પ્રક્રિયા વગેરેનું વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં ‘ઉપયોગ’ની વિશેષ નિર્મળતા થવાથી ધ્યાનની શક્તિ પ્રત્યેક મુક્તિગામી જીવને પ્રણિધાન યોગ આદિ ૯૬ પ્રકારના યોગો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ આદિ કરણો અવશ્ય હોય છે. આ કરણો ધ્યાનરૂપ છેતેમાં યોગ, વીર્ય આદિ શક્તિઓ પણ અંતર્ભૂત છે. ૧. ‘ભવનયોગ’ના ૯૬ પ્રકારના નામ જુઓ : પરિશિષ્ટ નંબર ૩. ૨. ઉપયોગો નક્ષમ્ ॥ શ્રી તત્ત્વાર્થ સૂત્ર. ૨-૮ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૬૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy