SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સાથે ચોટે છે, બંધાય છે તેને પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, સંવર - ‘લેશ્યા' કહે છે. આવતાં અશુભ કર્મો અટકી જાય છે; લેશ્યા આત્માના પરિણામ- નિર્જરા-પુરાણા કર્મનો પણ અંશે-અંશે અધ્યયસાય રૂપ છે. ક્ષય થાય છે અને પરલોકમાં દેવતાઇ સુખની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. શુભ આસ્રવનો અનુબંધ થવાથી અનુક્રમે ઉત્તમ કુળ, બોધિ-લાભ, પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાનીને તીવ્ર-મંદાદિ પ્રકારવાળી પીત, પદ્મ અને શુક્લ લેશ્યાઓ અનુક્રમે વિશુદ્ધ હોય છે અર્થાત્ ધર્મધ્યાન સમયે આત્મપરિણામોની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ♦ ધર્મધ્યાનનાં બાહ્ય ચિહ્નો : (૧) તેવો સાધક જિનપ્રણીત જીવાદિ તત્ત્વોની દૃઢ શ્રદ્ધાવાળો હોય. (૨) સુદેવ અને સુગુરુની ભક્તિ તેમજ સેવા કરવામાં સદા સક્રિય હોય, તેમના ગુણોની પ્રશંસા કરવામાં સદા મોખરે હોય. (૩) શ્રુતાભ્યાસ, શીલ અને સંયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોય. (૪) લોકસંજ્ઞાને ન અનુસરતાં જિનાજ્ઞાને અનુસરનારો હોય. આ ચિહ્નો વડે ધર્મધ્યાનના ધારકને ઓળખી શકાય છે. ધર્મધ્યાનનું ફળ : ધર્મધ્યાનનું ફળ અમોઘ છે, અચિંત્ય છે, અમાપ છે. કોઇ છદ્મસ્થ તેનો પૂરો કયાસ કાઢી શકતો નથી. પરંતુ સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર પરમાત્માના ધર્મધ્યાનના પ્રભાવે વ્યક્તિગત આ લાભ થવા ઉપરાંત સમષ્ટિમાં ભદ્રંકર વાતાવરણ વધુ સમૃદ્ધ બને છે. (૨) પરમધ્યાન મૂળ પાઠ : परमध्यानं - शुक्लस्य प्रथमो भेद:पृथक्त्ववितर्कसविचारम् ॥ २ ॥ અર્થ : શુક્લ ધ્યાનનો ‘પૃથ વિતર્ક સવિચાર' નામનો જે પ્રથમ ભેદ તે ‘પરમધ્યાન' કહેવાય છે. • વિવેચન : ‘ધ્યાન શતક’ વગેરે ગ્રંથોમાં શુક્લધ્યાન સંબંધી વિશેષ માહિતી આપેલી છે. પ્રસ્તુત વિષયમાં તેના ઉપયોગી સારનો વિચાર અહીં કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે છે - શુક્લધ્યાનના ધ્યાતાને તે ધ્યાન સિદ્ધ કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે છે, વચનાનુસાર તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર તેમાં મુખ્યતયા સર્વગુણના આધારભૂત ભગવંતો ફરમાવે છે કે ધર્મધ્યાનના પ્રભાવે શુભ આસ્રવ સત્ત્વગુણનો આશ્રય લેવાનો હોય છે. કારણ કે શુક્લધ્યાન એ નિરાલંબન, ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૯૫
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy