SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) હું મરીચિ તિ ઉપદેશ આપનારા બિરાદરો ! આપે આપની ભીખમાંથી કેટલું દાન આપ્યું? એ મને પહેલાં જણાવો. તમે આવું આવું કહીને માત્ર અમારા જેવાને ઉશ્કેરવા પ્રયત્ન કરો છો કે વાસ્તવિક બોલો છો ? જો ખરેખર તમને ભીખ માંગતાં શરમ આવતી હોય તો તમે ક્યાંય કામ કેમ નથી કરતા ? મફતનું કેમ ખાવ છો ? હું તમારા જેવાઓને દાન આપીને મફતિયાઓને પ્રોત્સાહન આપી શકું નહિ, મારું લાંબુલચ ભાષણ સાંભળી શ્રેણિક મહારાજા સ્તબ્ધ થઇ ગયા. બધાની જેમ એ પણ કદાચ વિચારવા લાગ્યા હશે : બિચારો ! જીવનભર મહેનત કરનારો ! અબજોપતિ હોવા છતાં ગરીબ જેવું જીવનારો ! આ સંપત્તિનું કરશે શું ? શું પોટલું બાંધીને લઇ જશે? સંપત્તિની ઘોર મૂચ્છ એને કદાચ સાતમી નરકે લઇ જાય ! ભલેને કોઇ મારા વિષે ગમે તે વિચારે ! મારે ક્યાં એની પરવા હતી ? ભલેને કોઈ મને સાતમી નરકે મોકલી દે ! મને ક્યાં એની બીક હતી ? ભલેને મને કોઇ ગરીબ જેવું જીવનારો કહી દે, મને એનાથી શો ફરક પડવાનો ? મારી સંપત્તિમાંથી એક પૈસો પણ ઓછો ન થાય... પછી હું ગરીબ શાનો ? લોકો મરજીમાં આવે તેમ ભલે બોલ્યા કરે... હું તો મારે મારી રીતે જ જીવન જીવતો ગયો ! સંપત્તિની મૂચ્છ બીજાને ખૂબ જ ભયંકર લાગતી, પણ મને તો એમાં જ સુખ દેખાતું. સંપત્તિની આસક્તિ અને સંપત્તિની જાળવણીની ચિંતામાં બીજાને ભલે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન જણાતું હોય, સાતમી નરકના દરવાજા દેખાતા હોય, પણ મને તો આમાં જ પરમ આનંદના દ્વાર દેખાતાં હતાં ! દીક્ષા લેતાં તો લેવાઇ ગઇ, પણ હવે શું કરવું? ઘેર જવાય તેમ નથી ને અહીં પણ રહેવાય તેમ નથી કરવું શું ? - હું ચક્રવર્તીનો પુત્ર ! ઘેર જાઉં તો કેવું ખરાબ લાગે ? અહીં પણ આ કષ્ટો સહન થઇ શકે તેમ નથી. તો શું વચલો માર્ગ નીકળી ન શકે ? જેઠ મહિનાનો સૂર્ય માથે તપી રહ્યો હતો. દ્વારપાળ ચાર ગણી ગરમી લઇને ફરે તેમ રેતી સૂરજથી પણ ચાર ગણી વધુ તપતી હતી. ખુલ્લા માથે, અડવાણે પગે હું ચાલતો હતો. પસીનાથી રેબઝેબ મારું શરીર હતું. તરસથી ગળું સોસાતું હતું. વાતાવરણમાં ભયંકર ઉકળાટ હતો. એથી પણ વધુ ઉકળાટ મનમાં હતો. ચક્રવર્તી ભરતનો પુત્ર હું મરીચિ ! નાનપણથી જ મારું શરીર એવા ઝગારા મારતું હતું, તેજના કિરણો રેલાવતું હતું કે મારું નામ જ ‘મરીચિ' પાડવામાં આવ્યું. મરીચિ એટલે કિરણ ! દાદા આદિનાથ ભગવાનની એક જ દેશનાથી મને સંસાર તરફ અણગમો થઇ ગયો. સંસાર એટલે સળગતું ઘર ! સળગતાં ઘરમાં રહેવાય જ શી રીતે ? સંસાર એટલે બિહામણું જંગલ ! જલ્દી ભાગી છૂટો. સંસાર એટલે ઘોર સાગર ! જલ્દીથી તરી જાવ. આવી કોઇક ધૂન સાથે હું સંયમમાર્ગે કુદી પડ્યો. સંસાર એ સળગતું ઘર છે એ બરાબર, પણ સંયમ શું છે? એનો મને વિચાર જ ન આવ્યો. ચક્રવર્તીનો હું સુકમાળ પુત્ર ! મારાથી વિહાર શી રીતે થશે ? ઘેર ઘેર ગોચરી શી રીતે જઇશ ? લોચ શી રીતે કરાવીશ ? સ્નાન વગર કેમ ચાલશે ? આવું કાંઇ જ વિચાર કર્યા વિના હું કૂદી જ પડ્યો. વૈરાગ્યના વિચારો એટલા તીવ્ર હતા કે તેમાં બીજા કોઇ વિચાર આવવા સંભવ જ હોતા. આ તો સંયમ-જીવનની વાસ્તવિકતા પર જ્યારે મારા પગ જડાયા આત્મ કથાઓ • ૫૧૯ આત્મ કથાઓ • ૫૧૮
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy