SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંઓ [ ગુમ ! સંવત ૨૦૭ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) આ તામ્રપત્ર વદરા રાજયના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ચમાં તે વખતના વડોદરાના આસિસ્ટંટ એટ ધી ગર્વનર જનરલ મેજર ડ૯. બી. કેરીસે ડૉ. ફલીટને તે તામ્રપત્ર કહ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મેક૯યાં. હાલ તે પતરાંઓ વડેદરા પાછી મેકલી આપ્યાં છે. પતરાંઓની સંખ્યા બે છે અને તેનું માપ આશરે ૧૧”૪૭y” થાય છે. લેખના રક્ષણ માટે તેના અંદરના કાંઠાઓ વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડું છે કે ઘણુ અક્ષરે પતરાંએના પાછળના ભાગમાં ચેખા દેખાય છે. પહેલા પતરાને છેડે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંઓમાંથી લગભગ ઇંચ જાડા ત્રાંબાના તારના બે કકડા પસાર કરેલા છે. જમણું તને તાર કડી કરી વાળે છે, પણ સાંધેલ નથી. બીજો તાર પણ તે જ પ્રમાણે વાળલે છે, અને મને પતરાંઓ મળ્યાં ત્યાં સુધી કાપે નહેાતે. તારના બે છેડા એક ૨ ઇંચ ૧ ઇંચની સુરક્ષિત લંબગેળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં બાંધી દીધેલા છે. મુદ્રાને પૃષ્ઠભાગ ગળ ઉપડતે છેઉપરનો ભાગ ૧છું ઇંચ X ૧ ઇંચના માપને સપાટ લમ્બ ગેલાકૃતિવાળા એ આડી પંક્તિઓથી બે ખાનામાં વહેંચી નાખેલ છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર થોડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરમાં હંમેશ મુજબને “શ્રી ભટક” લેખ છે. બે પતરાંઓનું વજન ૩ પાંડ છ ઔસ છે. અને બે કડીઓ તથા મુદ્રાનું વજન ૬ ઑસ છે, કુલ વજન ૩ પૉડ ૧૫ ઓસનું થાય છે. હસ્તકવાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ પાંડ જમીન તથા બે ટાંકીઓ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધવસેન ૧ લાએ પિતાના મુખ્ય શહેર વલભીમાંથી કાઢયું તેનું વર્ણન લેખમાં છે. હરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બનેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણ, હસ્તકવાહરણ અથવા હસ્તવપ્રહારને પ્રદેશ વલભીના અન્ય ત્રણ પતરાંએમાં પણ બતાવેલ છે. ભાવનગર સ્ટેટના ઘોઘાની દક્ષિણે ૬ મેલપર આવેલું હાલનું હાથબ, તથા ટેલેમી અને પંરિટ્યુસનું “અસ્વકમ” એ જ હસ્તવપ્ર અગર હરતકવઝ છે, એવું માનવામાં આવે છે. દ્વારપાળ મમ્મક તક હતું. અને લેખક કિકક હતા. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થએલાં અન્ય ત્રણ શાસનને લેખક પણ તે જ હતા. અને તેમાંના એક શાસનને દૂતક મમ્મક હતે. નીચે આપેલ લેખ (ગુપ્ત) સંવત ૨૦૭, એટલે, ઈ. સ. પ૨૬-ર૭, ના વૈશાખવદ ૧૫ ને દિવસે લખાયો છે. પ્રોફેસર બુહુરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાને એક બીજા લેખ પણ તે જ સંવતને છે. આ સમય અત્યાર સુધી તેને ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશને વહેલામાં વહેલે છે. * બિ, ઇ. . . ૫. ૧૮ઈ, હુe. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy